ગિરનારનો મુદ્દો છોડી દેવા માટે મને 500 કરોડની ઓફર થયેલી,મહેશગીરીનો ધડાકો

ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી. જો કે તેમણે ઓફર કોણે કરી હતી? તે વિશે કોઇ ફોડ પાડ્યો નહોતો. આ ઉપરાંત મહંત મહેશગીરીએ જૈન સમાજ પર પણ નિશાન સાધ્યું હતું.

પાલિતાણામાં મંગળવારે વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ દ્રારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં મહંત મહેશગીરીએ નિવેદન આપ્યું કે જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે સનાતન જાગે છે ત્યારે પૈસા ગૌણ થઇ જાય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી અનેત વિવાદો ઉભા થઇ રહ્યા છે. સાળંગપુર મંદિરનો વિવાદ હોય કે ગિરનાર પર દત્તાત્રેયનો વિવાદ હોય, સનાતન ધર્મના સંતો મંહતો ધર્મસભા યોજીને સનાતન ધર્મની સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પાલિતાણામાં દ્રારકાપીઠ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં અને સંતો મહંતો હાજર રહ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનાના વિવાદ વચ્ચે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે, જૈન સમાજના લોકો હિંદુ મંદિરો પર દાવા કરી રહ્યા છે. જૈનો મહારાષ્ટ્રના લક્ષ્મી મંદિરને અને તિરુપતિ બાલાજી મંદિરને પણ જૈનાના મંદિર તરીકે ગણાવે છે. તેમણે જૂનાગઢ દત્તાત્રેય વિવાદ વિશે કહ્યું હતું કે, મૂળ વિવાદ આઝાદી કાળથી ચાલી રહ્યો છે. જેમાં હિંદુ સમાજ અને સંતો ભગવાન દત્તાત્રેયની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચ પર રહેલા સ્થાનકની પૂજા કરે છે. જ્યારે જૈન સમાજ દાવો કરે છે કે એ ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની નહીં, પરંતુ તેમના તીર્થંકંર નેમિનાથ ભગવાનની છે. આ મામલો હાઇકોર્ટમા પણ વર્ષોથી ચાલી રહ્યા છે.

તાજેતરમાં ગિરનારના દત્તાત્રેય શિખર પર વિવાદ ઉભો થયો હતો. એવો આરોપ છે કે દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે જૈન સમાજે એવો દાવો કર્યો હતો કે અમને દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.