ગિરનારનો મુદ્દો છોડી દેવા માટે મને 500 કરોડની ઓફર થયેલી,મહેશગીરીનો ધડાકો

ભાવનગરના પાલિતાણામાં યોજાયેલી ધર્મસભામાં જૂનાગઢ ગુરુ દત્તાત્રેય મહંત મહેશગીરીએ એક નિવેદન કરીને વિવાદનો મધપુડો છંછેડી દીધો છે.મહંતે કહ્યું હતુ કે, જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી. જો કે તેમણે ઓફર કોણે કરી હતી? તે વિશે કોઇ ફોડ પાડ્યો નહોતો. આ ઉપરાંત મહંત મહેશગીરીએ જૈન સમાજ પર પણ નિશાન સાધ્યું હતું.

પાલિતાણામાં મંગળવારે વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ દ્રારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સભામાં મહંત મહેશગીરીએ નિવેદન આપ્યું કે જૂનાગઢનો વિષય છોડી દેવા માટે મને 500 કરોડ રૂપિયાની ઓફર થયેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે સનાતન જાગે છે ત્યારે પૈસા ગૌણ થઇ જાય છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી અનેત વિવાદો ઉભા થઇ રહ્યા છે. સાળંગપુર મંદિરનો વિવાદ હોય કે ગિરનાર પર દત્તાત્રેયનો વિવાદ હોય, સનાતન ધર્મના સંતો મંહતો ધર્મસભા યોજીને સનાતન ધર્મની સુરક્ષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પાલિતાણામાં દ્રારકાપીઠ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં અને સંતો મહંતો હાજર રહ્યા હતા.

પાલિતાણાના શેત્રુંજ્ય ડુંગર પર આવેલા નિલકંઠ મહાદેવ મંદિર અને જૈનાના વિવાદ વચ્ચે મહંત મહેશગીરીએ કહ્યું હતું કે, જૈન સમાજના લોકો હિંદુ મંદિરો પર દાવા કરી રહ્યા છે. જૈનો મહારાષ્ટ્રના લક્ષ્મી મંદિરને અને તિરુપતિ બાલાજી મંદિરને પણ જૈનાના મંદિર તરીકે ગણાવે છે. તેમણે જૂનાગઢ દત્તાત્રેય વિવાદ વિશે કહ્યું હતું કે, મૂળ વિવાદ આઝાદી કાળથી ચાલી રહ્યો છે. જેમાં હિંદુ સમાજ અને સંતો ભગવાન દત્તાત્રેયની ચરણપાદુકા તરીકે ગિરનારની ટોચ પર રહેલા સ્થાનકની પૂજા કરે છે. જ્યારે જૈન સમાજ દાવો કરે છે કે એ ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની નહીં, પરંતુ તેમના તીર્થંકંર નેમિનાથ ભગવાનની છે. આ મામલો હાઇકોર્ટમા પણ વર્ષોથી ચાલી રહ્યા છે.

તાજેતરમાં ગિરનારના દત્તાત્રેય શિખર પર વિવાદ ઉભો થયો હતો. એવો આરોપ છે કે દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે જૈન સમાજે એવો દાવો કર્યો હતો કે અમને દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા.

About The Author

Top News

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ

બિહારના મુંગેર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક પુત્રી લોક લાજ છોડીને તેના લગ્નના દિવસે જ તેના...
National 
લગ્ન પછી દુલ્હન રસગુલ્લા ખાઈને હાથ ધોવાના બહાને પ્રેમી સાથે ભાગી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.