સાવરકુંડલામાં યુવકની અંતિમ ક્રિયા પછી હવે પોલીસે કેમ મૃતદેહ બહાર કાઢ્યો?

સાવરકુંડવાના બગોયા ગામમાં 10 દિવસ પહેલાં અરવિંદ પરમાર નામના યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. તે વખતે આત્મહત્યા માનીને પોલીસે પરિવારને લાશ સોંપી દીધી હતી અને અંતિમ વિધી કરી દેવામાં આવ્યા હતા. જો કે એ પછી યુવકનો એક વીડિયો અને ઓડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ પરમારની હત્યા થઇ હોવાનો દાવો કર્યો હતો અને અમરેલીના SP પર આરોપ લગાવ્યા છે. પોલીસે અરવિંદની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી છે. અરવિંદની આત્મહત્યા કે  હત્યા તે વિશેનું કોંકડું હજુ ગુંચવાયેલું છે.

મૃતક અરવિંદ પરમાર બીજો ફોટામાં તેનોા મોટાભાઇ

જિગ્નેશ મેવાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સાવરકુંડલાના દલિત વ્યકિત અરવિંદ પરમારના મોત માટે પોલીસની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે પછી પોલીસે દફન કરવામાં આવેલા અરવિંદના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સાવરકુંડલાના બગોયામાં રહેતા અરવિંદ પરમારની 21 જુલાઇએ સીમમાંથી લાશ મળી હતી. તે વખતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. અરવિંદ પરમારના મોત બાદ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં અરવિંદ પરમાર પોતાના પર જાનનું જોખમ હોવાનું કહી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થયા પછી જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અરવિંદ પરમારે અગાઉથી પોલીસને જાણ કરી હતી કે મારી હત્યા થઇ શકે છે તેમ છતા પોલીસે પ્રોટેક્શન આપ્યું નહોતું. જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, અમરેલાની  SPને સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે.

અરવિંદનો વીડિયો ઉપરાંત એક ઓડયો પણ વાયરલ થયો છે, જેમાં તે અમરેલીના SP હિમકર સિંહ સાથે વાત કરે છે. અરવિંદ SPને કહે છે કે મારી હત્યા થઇ શકે છે, પ્લીઝ કઇંક કરો. SP કહે છે કે, તમે પોલીસ સ્ટેશન પહોંચો અથવા 100 નંબર ડાયલ કરો. અરવિંદની લાશ મળી  અને પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વગર પરિવારને લાશ સોંપી દીધી હતી.

ધારાસભ્ય મેવાણીના આરોપ પછી પ્રાંત કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર,,Dy SPની હાજરીમાં અરવિંદના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

સાવરકુંડલાના પ્રાંત કલેક્ટર ધારાબેન ભાલાળાએ કહ્યું હતું કે, પંચોની હાજરીમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જો કે, અરવિંદ પરમારના પરિવારે હજુ સુધી કોઇ ફરિયાદ કરી નથી.

પોલીસનું કહેવું છે કે અમે પરિવારને પોસ્ટમોર્ટમ માટે સમજાવ્યા હતા, પરંતુ તેમણે દફન વિધી કરી નાંખી હતી.

અમરેલીના  SP હિમકર સિંહે મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે આ ઓડિયો ક્લીપ એક વર્ષ પહેલાંની છે અને અધૂરી છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.