હીરાઉદ્યોગમાં વેકેશન શરૂ, સવાલ એ છે કે દિવાળી પછી કારખાના ક્યારે ખૂલશે?

ગુજરતના હીરાઉદ્યોગમાં આ વખતે ભારે મંદીનો માહોલ છે એવા સમયે કારખાનાઓ ફેકટરીઓમાં વેકેશન તો પડી ગયા છે, પરંતુ મોટો સવાલ એ છે કે દિવાળી વેકેશન પછી કારખાનાઓ ખુલશે કે નહીં? સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં દિવાળીના સમયે 21 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી છે કે 21 દિવસ પછી પણ કારખાના ખુલે એવું લાગતું નથી.

ગુજરાતમાં સૌથી વધારે રત્નકલાકારો સુરતમાં છે અને એ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર, સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં પણ હીરાના કારખાનાઓમાં રત્નકલાકારો કામ કરે છે. હીરાઉદ્યોગમાં વર્ષમાં બે વખત વેકેશન રાખવામાં આવે છે. એક ઉનાળાનું વેકેશન જે ટુંકુ હોય છે, પરંતુ દિવાળીમાં 21 દિવસનું વેકેશન રાખવામાં આવે છે, કારણકે સુરતમાં મોટોભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા છે અને દિવાળીના વેકેશનમાં માદરે વતન જતા હોય છે.

જો કે હીરાઉદ્યોગમાં છેલ્લાં લાંબા સમયથી મંદીનો માહોલ છે GJEPC અને અન્ય ડાયમંડ એસોસિયેશને સંયુક્ત રીતે દિવાળ પહેલા જાહેરાત કરી હતી કે ડાયમંડ મેન્યુફેકચર્સ સ્વયંભુ 1 મહિના માટે હીરાનં પ્રોડક્શન બંધ રાખે. અમેરિકાએ રશિયાના અલરોઝા ડાયમંડ પર મુકેલા પ્રતિબંધની પણ હીરાઉદ્યોગ પર અસર છે.

ન્યૂઝ 18ના એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર અને અમરેલીમાં યુવાનો રત્નકલાકાર તરીકે રોજગારી મેળવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ કરવા છતા યુવાનોને નોકરી નહીં મળવાને કારણે હીરા ઘસવાના કામમાં જોડાઇ રહ્યા છે.

સાવરકંડુલામાં 37 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા જયસુખભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વખતે હીરાઉદ્યોગમાં કપરી પરિસ્થિતિ છે. કારખાનાઓમાં વેકેશન પડી ગયા છે, પરંતુ કારખાના ફરી ક્યારે શરૂ કરાશે તે એક મોટો સવાલ છે. હીરાઉદ્યોગ પર લાખો રત્નકલાકારો નભે છે અને કારખાના સમયસર શરૂ નહીં થાય તો મોટી સંખ્યામાં રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાશે.

દિવાળી પહેલા જ અનેક રત્નકલાકારોને એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે, કામ નહીં મળવાને કારણે આવક બંધ થઇ ગઇ છે અને બાળકોની શાળાની ફી કેવી રીતે ભરવી તેની પણ ચિંતા ઉભી થયેલી છે.

સૌરાષ્ટ્રના એક રત્નકલાકારે કહ્યુ હતુ કે, દર વર્ષે દિવાળીના સમયમાં 20 હજારથી 22 હજાર રૂપિયાનું કામ થતું હતું, પરંતુ આ વખતે 12 હજારથી 15 હજાર રૂપિયાનું કામ પણ માંડ થઇ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

પહેલગામમાં મોતને ભેટેલા સુરતના મોટા વરાછાના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે નિકળી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર...
Gujarat 
ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?

આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
National 
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.