હીરાઉદ્યોગમાં વેકેશન શરૂ, સવાલ એ છે કે દિવાળી પછી કારખાના ક્યારે ખૂલશે?

On

ગુજરતના હીરાઉદ્યોગમાં આ વખતે ભારે મંદીનો માહોલ છે એવા સમયે કારખાનાઓ ફેકટરીઓમાં વેકેશન તો પડી ગયા છે, પરંતુ મોટો સવાલ એ છે કે દિવાળી વેકેશન પછી કારખાનાઓ ખુલશે કે નહીં? સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં દિવાળીના સમયે 21 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી છે કે 21 દિવસ પછી પણ કારખાના ખુલે એવું લાગતું નથી.

ગુજરાતમાં સૌથી વધારે રત્નકલાકારો સુરતમાં છે અને એ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર, સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં પણ હીરાના કારખાનાઓમાં રત્નકલાકારો કામ કરે છે. હીરાઉદ્યોગમાં વર્ષમાં બે વખત વેકેશન રાખવામાં આવે છે. એક ઉનાળાનું વેકેશન જે ટુંકુ હોય છે, પરંતુ દિવાળીમાં 21 દિવસનું વેકેશન રાખવામાં આવે છે, કારણકે સુરતમાં મોટોભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા છે અને દિવાળીના વેકેશનમાં માદરે વતન જતા હોય છે.

જો કે હીરાઉદ્યોગમાં છેલ્લાં લાંબા સમયથી મંદીનો માહોલ છે GJEPC અને અન્ય ડાયમંડ એસોસિયેશને સંયુક્ત રીતે દિવાળ પહેલા જાહેરાત કરી હતી કે ડાયમંડ મેન્યુફેકચર્સ સ્વયંભુ 1 મહિના માટે હીરાનં પ્રોડક્શન બંધ રાખે. અમેરિકાએ રશિયાના અલરોઝા ડાયમંડ પર મુકેલા પ્રતિબંધની પણ હીરાઉદ્યોગ પર અસર છે.

ન્યૂઝ 18ના એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર અને અમરેલીમાં યુવાનો રત્નકલાકાર તરીકે રોજગારી મેળવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ કરવા છતા યુવાનોને નોકરી નહીં મળવાને કારણે હીરા ઘસવાના કામમાં જોડાઇ રહ્યા છે.

સાવરકંડુલામાં 37 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા જયસુખભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વખતે હીરાઉદ્યોગમાં કપરી પરિસ્થિતિ છે. કારખાનાઓમાં વેકેશન પડી ગયા છે, પરંતુ કારખાના ફરી ક્યારે શરૂ કરાશે તે એક મોટો સવાલ છે. હીરાઉદ્યોગ પર લાખો રત્નકલાકારો નભે છે અને કારખાના સમયસર શરૂ નહીં થાય તો મોટી સંખ્યામાં રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાશે.

દિવાળી પહેલા જ અનેક રત્નકલાકારોને એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે, કામ નહીં મળવાને કારણે આવક બંધ થઇ ગઇ છે અને બાળકોની શાળાની ફી કેવી રીતે ભરવી તેની પણ ચિંતા ઉભી થયેલી છે.

સૌરાષ્ટ્રના એક રત્નકલાકારે કહ્યુ હતુ કે, દર વર્ષે દિવાળીના સમયમાં 20 હજારથી 22 હજાર રૂપિયાનું કામ થતું હતું, પરંતુ આ વખતે 12 હજારથી 15 હજાર રૂપિયાનું કામ પણ માંડ થઇ રહ્યું છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.