હીરાઉદ્યોગમાં વેકેશન શરૂ, સવાલ એ છે કે દિવાળી પછી કારખાના ક્યારે ખૂલશે?

ગુજરતના હીરાઉદ્યોગમાં આ વખતે ભારે મંદીનો માહોલ છે એવા સમયે કારખાનાઓ ફેકટરીઓમાં વેકેશન તો પડી ગયા છે, પરંતુ મોટો સવાલ એ છે કે દિવાળી વેકેશન પછી કારખાનાઓ ખુલશે કે નહીં? સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં દિવાળીના સમયે 21 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ એવી છે કે 21 દિવસ પછી પણ કારખાના ખુલે એવું લાગતું નથી.

ગુજરાતમાં સૌથી વધારે રત્નકલાકારો સુરતમાં છે અને એ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ, ભાવનગર, સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં પણ હીરાના કારખાનાઓમાં રત્નકલાકારો કામ કરે છે. હીરાઉદ્યોગમાં વર્ષમાં બે વખત વેકેશન રાખવામાં આવે છે. એક ઉનાળાનું વેકેશન જે ટુંકુ હોય છે, પરંતુ દિવાળીમાં 21 દિવસનું વેકેશન રાખવામાં આવે છે, કારણકે સુરતમાં મોટોભાગના રત્નકલાકારો સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા છે અને દિવાળીના વેકેશનમાં માદરે વતન જતા હોય છે.

જો કે હીરાઉદ્યોગમાં છેલ્લાં લાંબા સમયથી મંદીનો માહોલ છે GJEPC અને અન્ય ડાયમંડ એસોસિયેશને સંયુક્ત રીતે દિવાળ પહેલા જાહેરાત કરી હતી કે ડાયમંડ મેન્યુફેકચર્સ સ્વયંભુ 1 મહિના માટે હીરાનં પ્રોડક્શન બંધ રાખે. અમેરિકાએ રશિયાના અલરોઝા ડાયમંડ પર મુકેલા પ્રતિબંધની પણ હીરાઉદ્યોગ પર અસર છે.

ન્યૂઝ 18ના એક અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર અને અમરેલીમાં યુવાનો રત્નકલાકાર તરીકે રોજગારી મેળવી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ કરવા છતા યુવાનોને નોકરી નહીં મળવાને કારણે હીરા ઘસવાના કામમાં જોડાઇ રહ્યા છે.

સાવરકંડુલામાં 37 વર્ષથી હીરાનું કારખાનું ચલાવતા જયસુખભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ આ વખતે હીરાઉદ્યોગમાં કપરી પરિસ્થિતિ છે. કારખાનાઓમાં વેકેશન પડી ગયા છે, પરંતુ કારખાના ફરી ક્યારે શરૂ કરાશે તે એક મોટો સવાલ છે. હીરાઉદ્યોગ પર લાખો રત્નકલાકારો નભે છે અને કારખાના સમયસર શરૂ નહીં થાય તો મોટી સંખ્યામાં રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાશે.

દિવાળી પહેલા જ અનેક રત્નકલાકારોને એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે, કામ નહીં મળવાને કારણે આવક બંધ થઇ ગઇ છે અને બાળકોની શાળાની ફી કેવી રીતે ભરવી તેની પણ ચિંતા ઉભી થયેલી છે.

સૌરાષ્ટ્રના એક રત્નકલાકારે કહ્યુ હતુ કે, દર વર્ષે દિવાળીના સમયમાં 20 હજારથી 22 હજાર રૂપિયાનું કામ થતું હતું, પરંતુ આ વખતે 12 હજારથી 15 હજાર રૂપિયાનું કામ પણ માંડ થઇ રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.