એક દિવસમાં જ અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમને કેન્દ્રના નિર્ણયથી અવગત કરાવ્યા હતા, જેમાં પાકિસ્તાની નાગરિકોને 14 કેટેગરીમાં આપવામાં આવેલા તમામ હાલના કાયદેસર વિઝાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને એ સુનિશ્ચિત કહ્યું હતું કે તેઓ અહીં રહેતા પાકિસ્તાનીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવે અને તેમને 26-29 એપ્રિલ સુધીની સમયમર્યાદાની અંદર ભારત છોડવા કહે.

foreign-immigrants2
com/ANI

કેન્દ્ર સરકારના આ નિર્દેશ બાદ  તમામ રાજ્યો, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોએ અહીં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવ્યું છે. આ સંદર્ભમાં, ગુજરાતના અમદાવાદમાં 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP પી. અજીત રાજિયને કહ્યું કે, ‘અમે SGO, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

બીજી તરફ, સુરત પોલીસની SOG અને ક્રાઇમ બ્રાંચ ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોના 100થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસની ટીમ આ લોકોની પૂછપરછ કરી રહી છે. અમદાબાદમાં કસ્ટડીમાં લેવાયેલા ગેરકાયદેસર પ્રવાસીઓમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના JCP શરદ સિંઘલે કહ્યું કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, DGPની સૂચના અનુસાર, અમદાવાદમાં ચંડોળાની આસપાસ રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે 457 ગેરકાયદેસર પ્રવાસીઓને પકડ્યા છે, બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે તેમને ડિપોર્ટ કરીશું.

તેમણે કહ્યું કે, આ અગાઉ 2 FIR કરીને 127 બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી 70ને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાકીનાને રિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવાસીઓમાં મોટાભાગના પાસે નકલી ભારતીય દસ્તાવેજો મળ્યા છે. કોની મદદથી તેઓ દસ્તાવેજો બનાવડાવે છે, તેની તપાસ કરી રહ્યા છીએ. કસ્ટડીમાં લેવામાં આવેલા 457 ગેરકાયદેસર પ્રવાસીઓની પૂછપરછ ચાલી રહી છે અને અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ કોના સંપર્કમાં છે, કેવી રીતે ભારતમાં પ્રવેશ્યા અને તેમના દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે.

Top News

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.