એલિયન્સ અસ્તિત્વમાં છે, NASAના વડા નેલ્સને સ્વીકાર્યું, અન્ય સ્થળોએ પણ જીવન

નાસાના વડા, એટલે કે તેના સંચાલક, બિલ નેલ્સન વ્યક્તિગત રીતે માને છે કે, એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે. નાસાએ UFO પર એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેને તેઓ હવે અજ્ઞાત વિષમ ઘટના (UAPs) કહે છે. આ રિપોર્ટ જાહેર કરતી વખતે બિલ નેલ્સને કહ્યું કે, હું અંગત રીતે માનું છું કે બ્રહ્માંડના અન્ય ભાગોમાં પણ જીવન છે.

બિલે કહ્યું કે, એલિયન્સ છે પણ આપણે તેમને શોધવાની જરૂર છે. UAP પર રિપોર્ટ જાહેર કરતી વખતે તેમણે વિશ્વભરના મીડિયાને કહ્યું કે, હાલમાં આ એવી વસ્તુઓ છે જે આકાશમાં ઉડતી અને દોડતી જોવા મળે છે. પરંતુ કોઈ તેમને સમજવા સક્ષમ નથી. ન તો કોઈ સમજાવવા સક્ષમ છે. હવે આવી સ્થિતિમાં તેઓ ક્યાંથી આવ્યા તે ખબર નથી.

બિલ નેલ્સને કહ્યું કે, બ્રહ્માંડમાં ઘણા રહેવા યોગ્ય ગ્રહો દેખાય રહ્યા છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અમે આવા એક્સોપ્લેનેટની શોધ કરી રહ્યા છીએ. આ તો માત્ર શરૂઆત છે. એક દિવસ આપણે એવા ગ્રહોની શોધ કરીશું કે જેના પર જીવન હશે. તેના પુરાવા પણ મળશે.

બિલે કહ્યું કે, આ ગ્રહો મધ્યમ કદના ખડકાળ ગ્રહો હશે. તેમનો સૂર્ય પણ મધ્યમ કદનો અને સંપૂર્ણ અંતરે હશે. તે ગ્રહો પર કાર્બન હશે. તેમજ રહેવા યોગ્ય વાતાવરણ પણ હાજર રહેશે. જો તમે મને પૂછો કે શું બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે. તો હું તમને જણાવી દઉં કે આ બહુ મોટી વાત છે. પરંતુ વ્યક્તિગત રીતે મારો જવાબ હા હશે.

પરંતુ જ્યારે મેં મારા વૈજ્ઞાનિકોને પૂછ્યું કે ગાણિતિક અથવા વૈજ્ઞાનિક આધાર પર તેની સંભાવના શું છે. તો તેણે કહ્યું કે, જો લાખો અને કરોડો તારાઓની તપાસ થાય. જે લાખો અને કરોડો આકાશગંગાઓમાં છે. ત્યારે જવાબ મળશે કે, ઓછામાં ઓછા એક લાખ કરોડ ગ્રહો એવા હશે જ્યાં જીવનની શક્યતા હોઈ શકે. અથવા ત્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે.

નાસાએ તેના UAP સંશોધન માટે નવા ડિરેક્ટરની પસંદગી કરી છે. તે એક નિષ્ણાત પેનલનું નેતૃત્વ કરશે, જે એલિયન્સ, UFO એટલે કે UAPનો અભ્યાસ કરશે. તેમની તપાસ કરશે. હાલમાં, નાસાના નવા અહેવાલમાં કોઈ એલિયન વિશ્વ, એલિયન્સની હાજરી અથવા UFO અથવા UAPના અસ્તિત્વની સંભાવનાને નકારી કાઢવામાં આવી છે.

અમેરિકી રક્ષા મંત્રાલય એટલે કે પેન્ટાગોન પણ આ કામમાં નાસાને મદદ કરી રહ્યું છે. બિલ નેલ્સન કહે છે કે, એલિયન્સ અથવા UFO એવા પદાર્થો અથવા વિષયો છે જે ખૂબ જ રસપ્રદ છે. જેને લઈને લોકોના મનમાં તેમના વિશે અનેક પ્રશ્નો છે. કારણ કે લોકો કે આપણે વૈજ્ઞાનિકો તેમના વિશે બહુ જાણતા નથી. અમે આ વિષય પર સનસનાટી ફેલાવવા કરતાં વધુ સારું રહેશે કે તેને વિજ્ઞાનની રીતે સાબિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ વિષય પર વૈજ્ઞાનિક રીતે કામ કરવામાં આવે. અને તેની શોધખોળ થવી જોઈએ.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.