એલિયન્સ અસ્તિત્વમાં છે, NASAના વડા નેલ્સને સ્વીકાર્યું, અન્ય સ્થળોએ પણ જીવન

નાસાના વડા, એટલે કે તેના સંચાલક, બિલ નેલ્સન વ્યક્તિગત રીતે માને છે કે, એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે. નાસાએ UFO પર એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેને તેઓ હવે અજ્ઞાત વિષમ ઘટના (UAPs) કહે છે. આ રિપોર્ટ જાહેર કરતી વખતે બિલ નેલ્સને કહ્યું કે, હું અંગત રીતે માનું છું કે બ્રહ્માંડના અન્ય ભાગોમાં પણ જીવન છે.

બિલે કહ્યું કે, એલિયન્સ છે પણ આપણે તેમને શોધવાની જરૂર છે. UAP પર રિપોર્ટ જાહેર કરતી વખતે તેમણે વિશ્વભરના મીડિયાને કહ્યું કે, હાલમાં આ એવી વસ્તુઓ છે જે આકાશમાં ઉડતી અને દોડતી જોવા મળે છે. પરંતુ કોઈ તેમને સમજવા સક્ષમ નથી. ન તો કોઈ સમજાવવા સક્ષમ છે. હવે આવી સ્થિતિમાં તેઓ ક્યાંથી આવ્યા તે ખબર નથી.

બિલ નેલ્સને કહ્યું કે, બ્રહ્માંડમાં ઘણા રહેવા યોગ્ય ગ્રહો દેખાય રહ્યા છે. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અમે આવા એક્સોપ્લેનેટની શોધ કરી રહ્યા છીએ. આ તો માત્ર શરૂઆત છે. એક દિવસ આપણે એવા ગ્રહોની શોધ કરીશું કે જેના પર જીવન હશે. તેના પુરાવા પણ મળશે.

બિલે કહ્યું કે, આ ગ્રહો મધ્યમ કદના ખડકાળ ગ્રહો હશે. તેમનો સૂર્ય પણ મધ્યમ કદનો અને સંપૂર્ણ અંતરે હશે. તે ગ્રહો પર કાર્બન હશે. તેમજ રહેવા યોગ્ય વાતાવરણ પણ હાજર રહેશે. જો તમે મને પૂછો કે શું બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે. તો હું તમને જણાવી દઉં કે આ બહુ મોટી વાત છે. પરંતુ વ્યક્તિગત રીતે મારો જવાબ હા હશે.

પરંતુ જ્યારે મેં મારા વૈજ્ઞાનિકોને પૂછ્યું કે ગાણિતિક અથવા વૈજ્ઞાનિક આધાર પર તેની સંભાવના શું છે. તો તેણે કહ્યું કે, જો લાખો અને કરોડો તારાઓની તપાસ થાય. જે લાખો અને કરોડો આકાશગંગાઓમાં છે. ત્યારે જવાબ મળશે કે, ઓછામાં ઓછા એક લાખ કરોડ ગ્રહો એવા હશે જ્યાં જીવનની શક્યતા હોઈ શકે. અથવા ત્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે.

નાસાએ તેના UAP સંશોધન માટે નવા ડિરેક્ટરની પસંદગી કરી છે. તે એક નિષ્ણાત પેનલનું નેતૃત્વ કરશે, જે એલિયન્સ, UFO એટલે કે UAPનો અભ્યાસ કરશે. તેમની તપાસ કરશે. હાલમાં, નાસાના નવા અહેવાલમાં કોઈ એલિયન વિશ્વ, એલિયન્સની હાજરી અથવા UFO અથવા UAPના અસ્તિત્વની સંભાવનાને નકારી કાઢવામાં આવી છે.

અમેરિકી રક્ષા મંત્રાલય એટલે કે પેન્ટાગોન પણ આ કામમાં નાસાને મદદ કરી રહ્યું છે. બિલ નેલ્સન કહે છે કે, એલિયન્સ અથવા UFO એવા પદાર્થો અથવા વિષયો છે જે ખૂબ જ રસપ્રદ છે. જેને લઈને લોકોના મનમાં તેમના વિશે અનેક પ્રશ્નો છે. કારણ કે લોકો કે આપણે વૈજ્ઞાનિકો તેમના વિશે બહુ જાણતા નથી. અમે આ વિષય પર સનસનાટી ફેલાવવા કરતાં વધુ સારું રહેશે કે તેને વિજ્ઞાનની રીતે સાબિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ વિષય પર વૈજ્ઞાનિક રીતે કામ કરવામાં આવે. અને તેની શોધખોળ થવી જોઈએ.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.