તમારું મોત ક્યારે થશે તે જાણી શકશો, ડોકટરની શોધથી દુનિયાભરમાં ખળભળાટ

On

વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે જે વસ્તુઓ ગઈકાલ સુધી આપણને અજાણ હતી તે આજે જાણી અને સમજી શકાય છે. હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે, જેને આજે પણ ભગવાનની ઈચ્છા માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળકનો જન્મ અને માનવ મૃત્યુ જેવી બાબતો પ્રકૃતિના હાથમાં હોવાનું માનવામાં આવે છે. બાળકના જન્મને લઈને વિજ્ઞાને ઘણું બધું પોતાના નિયંત્રણમાં લીધું છે, પરંતુ મૃત્યુ હજુ પણ ઈશ્વરની ઈચ્છાથી થાય છે.

જો કે હવે એક ડોક્ટરે દાવો કર્યો છે કે તે વ્યક્તિના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકે છે. બ્રિટિશ ડૉક્ટર સીમસ કોયલ છેલ્લા ઘણા વર્ષોથી કેન્સરના દર્દીઓ પર સંશોધન કરી રહ્યા હતા અને હવે તેઓ એક એવી શોધ સુધી પહોંચી ગયા છે, જે માનવ મૃત્યુનો ચોક્કસ સમય જાણવામાં મદદ કરશે. ડૉક્ટરનો દાવો છે કે તેમણે એક એવું મોડલ વિકસાવ્યું છે, જેના દ્વારા તે કેન્સરથી પીડિત દર્દીઓના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકે છે.

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, 53 વર્ષના ડોક્ટર સીમસ કોયલ પોતાના વર્ષોના સંશોધન બાદ એક એવું મોડલ વિકસાવવામાં સફળ થયા છે જેના દ્વારા કેન્સરના દર્દીના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકાય. હવે તેઓ તે ટેસ્ટ વિકસાવવામાં વ્યસ્ત છે, જેના દ્વારા પરિવારના સભ્યો એ જાણી શકશે કે તેમના પ્રિયજનોને જીવતે જીવ ક્યારે વિદાય આપવાની છે.

The Clatterbridge Cancer Centreમાં સલાહકાર તરીકે કામ કરતા, ડૉ. સીમસ લોકોને કેન્સરના પ્રારંભિક ચિહ્નો શોધવામાં મદદ કરી રહ્યા છે.

આ સિસ્ટમ દ્વારા, જો દર્દીઓના સંબંધીઓને તેમના મૃત્યુના ચોક્કસ સમયનો ખ્યાલ હશે, તો તેઓ તેમની અંતિમ ક્ષણોમાં તેમની સાથે રહી શકશે. ડૉ. સિમસ કહે છે કે કેન્સર પર લાંબા સમયથી સંશોધન થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કહી શક્યું નથી કે દર્દીનું મૃત્યુ ક્યારે થશે. ડોકટરોને આ વિશે પોતાનો ખ્યાલ હતો અને ઘણી વખત અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો દર્દીની સાથે નહોતા.


International Journal of Molecular Sciencesમાં પ્રકાશિત થયેલા તેમના અહેવાલ મુજબ દર્દીના પેશાબ પરથી તેમના મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાય છે. આ જાણ્યા પછી, દર્દીઓ પોતે નક્કી કરશે કે શું તેઓ આ દુનિયાને તેમના ઘરે શાંતિથી છોડવા માંગે છે કે પછી તેમને હોસ્પિટલમાં રહેવું છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.