તમારું મોત ક્યારે થશે તે જાણી શકશો, ડોકટરની શોધથી દુનિયાભરમાં ખળભળાટ

વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે જે વસ્તુઓ ગઈકાલ સુધી આપણને અજાણ હતી તે આજે જાણી અને સમજી શકાય છે. હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે, જેને આજે પણ ભગવાનની ઈચ્છા માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બાળકનો જન્મ અને માનવ મૃત્યુ જેવી બાબતો પ્રકૃતિના હાથમાં હોવાનું માનવામાં આવે છે. બાળકના જન્મને લઈને વિજ્ઞાને ઘણું બધું પોતાના નિયંત્રણમાં લીધું છે, પરંતુ મૃત્યુ હજુ પણ ઈશ્વરની ઈચ્છાથી થાય છે.

જો કે હવે એક ડોક્ટરે દાવો કર્યો છે કે તે વ્યક્તિના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકે છે. બ્રિટિશ ડૉક્ટર સીમસ કોયલ છેલ્લા ઘણા વર્ષોથી કેન્સરના દર્દીઓ પર સંશોધન કરી રહ્યા હતા અને હવે તેઓ એક એવી શોધ સુધી પહોંચી ગયા છે, જે માનવ મૃત્યુનો ચોક્કસ સમય જાણવામાં મદદ કરશે. ડૉક્ટરનો દાવો છે કે તેમણે એક એવું મોડલ વિકસાવ્યું છે, જેના દ્વારા તે કેન્સરથી પીડિત દર્દીઓના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકે છે.

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, 53 વર્ષના ડોક્ટર સીમસ કોયલ પોતાના વર્ષોના સંશોધન બાદ એક એવું મોડલ વિકસાવવામાં સફળ થયા છે જેના દ્વારા કેન્સરના દર્દીના મૃત્યુનો ચોક્કસ સમય કહી શકાય. હવે તેઓ તે ટેસ્ટ વિકસાવવામાં વ્યસ્ત છે, જેના દ્વારા પરિવારના સભ્યો એ જાણી શકશે કે તેમના પ્રિયજનોને જીવતે જીવ ક્યારે વિદાય આપવાની છે.

The Clatterbridge Cancer Centreમાં સલાહકાર તરીકે કામ કરતા, ડૉ. સીમસ લોકોને કેન્સરના પ્રારંભિક ચિહ્નો શોધવામાં મદદ કરી રહ્યા છે.

આ સિસ્ટમ દ્વારા, જો દર્દીઓના સંબંધીઓને તેમના મૃત્યુના ચોક્કસ સમયનો ખ્યાલ હશે, તો તેઓ તેમની અંતિમ ક્ષણોમાં તેમની સાથે રહી શકશે. ડૉ. સિમસ કહે છે કે કેન્સર પર લાંબા સમયથી સંશોધન થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કહી શક્યું નથી કે દર્દીનું મૃત્યુ ક્યારે થશે. ડોકટરોને આ વિશે પોતાનો ખ્યાલ હતો અને ઘણી વખત અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો દર્દીની સાથે નહોતા.


International Journal of Molecular Sciencesમાં પ્રકાશિત થયેલા તેમના અહેવાલ મુજબ દર્દીના પેશાબ પરથી તેમના મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાય છે. આ જાણ્યા પછી, દર્દીઓ પોતે નક્કી કરશે કે શું તેઓ આ દુનિયાને તેમના ઘરે શાંતિથી છોડવા માંગે છે કે પછી તેમને હોસ્પિટલમાં રહેવું છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.