ટાયર પર કેમ લાગ્યા હોય છે આ 'કાંટા'? માત્ર જીનિયસ જ જાણે છે ! આજે તમે પણ જાણી લો

જો તમે વાહનોના નવા ટાયર ધ્યાનથી જોયા હશે, તો તમારું ધ્યાન તેના પર લાગેલા રબરના ''કાંટા'' પર જરૂરથી ગયું જ હશે. પરંતુ, મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે તેને ટાયરની ઉપર કેમ લગાવવામાં આવે છે. ઘણા ઓછા લોકોને આ વિશેની જાણકારી હોય છે. જો કે, આજે તમને પણ એ વિશે જાણ થઈ જશે કે ટાયર પર 'કાંટા' કેમ હોય છે. વાસ્તવમાં, ટાયરની ઉપર રબરના 'કાંટા'ને એક ખાસ હેતુને કારણે બનાવવામાં આવે છે. ટાયરની ઉપરની સપાટી પર લાગેલા આ રબરના 'કાંટા'ને વેન્ટ સ્પૂઝ કહેવામાં આવે છે.

ટાયરની ઉપર આ 'કાંટા'ઓને વાહનો જ્યારે રસ્તા પર ચાલતા હોય છે તે દરમિયાન ટાયરની કામગીરીને શ્રેષ્ઠ બનાવવા માટે બનાવવામાં આવે છે. જો કે, તેનું કામ ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી ટાયરને બનાવવામાં આવી રહ્યુ છે. એકવાર ટાયર જ્યારે બનીને તૈયાર થઈ જાય છે, તે પછી આ 'કાંટા'ઓ કોઈ કામના નથી હોતા. પછી આ 'કાંટા'ઓ ટાયરમાં હોવાથી કે નહીં હોવાથી કોઈ ફરક નથી પડતો. તમે તેને દૂર પણ કરી શકો છો.

આને આ રીતે સમજો, તમે જાણો જ છો કે વાહનના ચાલવાથી ટાયર પર દબાણ આવે છે, આ દબાવની અસરને ઓછી કરવા માટે ટાયરનું મજબૂત હોવું જરૂરી છે, નહીંતર તે વધુ સારું પ્રદર્શન નહીં આપી શકશે. મજબુત ટાયર બનાવવા માટે જેટલું જરૂરી સારા મટીરિયલનો ઉપયોગ કરવું છે, એટલું જ જરૂરી છે કે તેને બનાવવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ નહીં થાય.

ફેક્ટરીઓમાં ટાયર બનાવવા માટે, રબરને ઓગાળીને ટાયરનો આકાર આપવામાં આવે છે, આ પ્રક્રિયા દરમિયાન ટાયર અને મોલ્ડની વચ્ચે કોઈ હવાના પરપોટા નહીં રહી જાય. તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ દરમિયાન, વેન્ટ સ્પૂઝ બની જાય છે. તે ટાયર બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

પછી જ્યારે તમે ટાયરનો ઉપયોગ કરો છો, ત્યારે ટાયરની જે સપાટી રસ્તા પર લાગે છે, તેના પર લાગેલા આ રબરના 'કાંટા' ઘસાઈને પૂરા થઈ જાય છે, પરંતુ તમારા ટાયર પર તેની કોઈ અસર નથી થતી. જો કે, ટાયરની બાજુમાં વેન્ટ સ્પૂઝ લાંબા સમય સુધી રહી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.