NCCF અને નાફેડ 20 ઓગસ્ટથી 40 રૂપિયે કિલોના ભાવે ટામેટા વેચશે

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ગ્રાહક બાબતોના વિભાગે NCCF અને નાફેડને નિર્દેશ આપ્યો છે કે જથ્થાબંધ અને છૂટક બજારોમાં ટામેટાના ભાવમાં સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને તેઓ 20 ઓગસ્ટ, 2023થી 40 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટા વેચે.

દિલ્હી-એનસીઆરમાં ટામેટાંનું છૂટક વેચાણ 14 જુલાઈ, 2023થી શરૂ થયું હતું. અત્યાર સુધીમાં બંને એજન્સીઓ દ્વારા 15 લાખ કિલોથી વધુ ટામેટાની ખરીદી કરવામાં આવી હતી, જેનો દેશના મુખ્ય વપરાશ કેન્દ્રોમાં છૂટક ગ્રાહકોને સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સ્થળોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન (જયપુર, કોટા), ઉત્તર પ્રદેશ (લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ) અને બિહાર (પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સર)નો સમાવેશ થાય છે.

NCCF અને નાફેડ દ્વારા ખરીદવામાં આવેલા ટામેટાંની છૂટક કિંમત શરૂઆતમાં રૂ.90/- પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી, જે ગ્રાહકોને લાભ સુનિશ્ચિત કરવા માટે કિંમતોમાં ઘટાડાને અનુલક્ષીને એક પછી એક ઘટાડવામાં આવી હતી. છૂટક ભાવમાં છેલ્લે 15.08.2023ના રોજ રૂ.50/- પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે હવે 20.08.2023થી ઘટીને રૂ.40/- પ્રતિ કિલો થયો છે.

ઉલ્લેખનીય છે કે ગ્રાહક બાબતોના વિભાગના નિર્દેશ પર NCCF અને નાફેડે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી, જેથી મુખ્ય વપરાશ કેન્દ્રોમાં એક સાથે નિકાલ કરી શકાય, જ્યાં છેલ્લા એક મહિનામાં રિટેલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.