વસંત પંચમી પર પીળા રંગથી કરો આ ચોક્કસ ઉપાય, બુદ્ધિની સાથે ધનમાં પણ થશે વધારો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વસંત પંચમીના દિવસે જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. આથી જ માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિધિ વિધાનથી માતા સરસ્વતીની પૂજા કરવાથી ભક્તોને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે વસંત પંચમીનો તહેવાર 26 જાન્યુઆરીના દિવસે આવી રહ્યો છે. શાસ્ત્રો મુજબ આ દિવસે પીળા રંગનો વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગનો ઉપયોગ કરવાથી માતા સરસ્વતીની કૃપાથી વ્યક્તિને બુદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમીના દિવસે પીળા રંગથી કરો આ ઉપાય

1 જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા રંગની બરફી અથવા લાડુનો ભોગ ધરાવો. આ પછી આ ભોગને 7 છોકરીઓમાં વહેંચી દો. આનાથી મા સરસ્વતીની સાથે સાથે મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

2 જો તમારું બાળક અભ્યાસમાં નબળું છે અથવા ભણવામાં તેનું મન નથી લાગતું, તો તેના હાથોથી કોઈ ગરીબ વ્યક્તિને પીળા રંગની વસ્તુઓ જેમ કે કેળા, દાળ, પીળા કપડાં, શિક્ષણ વગેરે સાથે જોડાયેલ વસ્તુનું દાન કરાવો. તેનાથી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

3 જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે અને યાદશક્તિના વિકાર માટે વસંત પંચમી પર પીળા રંગના વસ્ત્રો પહેરો. આ સાથે જ, બે મુખ વાળો દીવો પ્રગટાવો અને વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો.

4 જો કોઈ વ્યક્તિના લગ્ન જીવનમાં તણાવ હોય તો વસંત પંચમીના દિવસે દૂધમાં હળદર મિક્સ કરીને દેવી સરસ્વતીનો અભિષેક કરી દો. તેનાથી વ્યક્તિની વાણીમાં મીઠાસ આવે છે.

5 વસંત પંચમીના દિવસે મા સરસ્વતીને ભોગમાં મળેલા મીઠા ચોખા ચઢાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. વાણી પર નિયંત્રણ રાખવાની ક્ષમતા વધે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ નીખરી આવે છે.

6 જો કોઈ વ્યક્તિને અભ્યાસમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી છે, તો વસંત પંચમીના દિવસે 108 પીળા ફૂલ દેવી સરસ્વતીને ચઢાવી દો. આટલું જ નહીં, ઓમ એં સરસ્વત્યાય એં નમઃ મંત્રની એક માળાનો જાપ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મળી જશે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.