કલેક્ટરે મંદિરને સીલ મારી દીધું, કારણ હતું દલિતોને પ્રવેશ...

મંદિરોમાં દલિતાનો પ્રવેશ પર બબાલ થઇ હોવાના અનેક મામલા તમે જોયા હશે કે સાંભળ્યા હશે. પરંતુ તમિલનાડુની એક ઘટના થોડી અલગ છે. અહીં એક મંદિરમાં દલિતોના પ્રવેશને લઇને એવો વિવાદ ઉભો થયો કે જેને કારણે મંદિરને જ સીલ મારી દેવામાં આવ્યું. આ મામલો તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાનો છે. અહીંના મેલપાડી વિસ્તારમાં દ્રોપદી અમ્મન મંદિર છે, જેને સીલ મારી દેવામાં આવ્યું છે. 7 જૂને કલેકટરે કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાએ મંદિરને સીલ મારવાન નિર્ણય લીધો હતો.

મંદિરમાં પ્રવેશને લઈને કથિત ઉચ્ચ જાતિ અને દલિતો વચ્ચેના વિવાદ બાદ આવું કરવામાં આવ્યું છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

દ્રોપદી અમ્મન મંદિર છેલ્લાં 45 વર્ષથી હિંદુ ધાર્મિક અને ચેરીટેબલ સંસ્થા દ્રારા ચલાવવામાં આવે છે. મંદિરના સંચાલકો અને અન્ય શ્રધ્ધાળુઓને દલિતોના મંદિરમાં પ્રવેશ સામે વાંધો છે. પહેલા મામલો ઉકેલવા માટે, ગ્રામ પંચાયતના વડાઓ, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. જે બાદ જિલ્લા પ્રશાસને આ પગલું ભર્યું હતું.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષના એપ્રિલ મહિનામાં દલિત સમાજના એક વ્યકિતએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. જેની સામે ઉચ્ચ જાતિના લોકોએ નારાજગી દર્શાવી હતી. એ પછી દલિતોને મંદિરમાં આવતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારથી આ બંને વર્ગો વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે. આ મામલામાં ઓછામાં ઓછી 4 FIR થઇ ચૂકી છે.

મંદિર પર એક નોટીસ લગાવવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જ્યા સુધી ઉકેલ નહીં આવે ત્યાર સુધી બંને વર્ગ મંદિરમાં પ્રવેશ કરી શકે નહી. ગામમાં બે વર્ગ વચ્ચે પૂજા-પાઠની સમસ્યાને કારણે અસામન્ય હાલત બની ગઇ છે. જેને કારણે કાયદો વ્યવસ્થા બગડી શકે છે.

તાજેતરમાં વિલ્લુપુરમના સાંસદ અને ડીએમકેના નેતા ડી રવિકુમારે સ્થાનિક વહીવટીતંત્ર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 5 જૂન, સોમવારે તેઓ પાર્ટીના અન્ય નેતાઓ સાથે જિલ્લા કલેક્ટર સી પલાની પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે અધિકારીને એક મેમોરેન્ડમ સુપરત કરીને વિનંતી કરી કે તમામ ભક્તોને કોઈપણ જાતિના પક્ષપાત વિના મંદિરની અંદર જવાની મંજૂરી આપવી જોઈએ. જો કે, આનાથી પણ મામલો ઉકેલાયો ન હતો અને હવે મંદિરના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.