ઉપવાસ ફાયદો કરે છેઃ હિન્દુ ધર્મ અનુસાર મહિને આટલા ઉપવાસ કરી શકાય

હિન્દુ ધર્મમાં ઉપવાસનું ઘણુ મહત્વ છે. હવે વિજ્ઞાન પણ માને છે કે ઉપવાસ કરવાથી શરીર સ્વસ્થ તો રહે જ છે તેની સાથે વ્યક્તિનો વીલ પાવર પણ વધે છે. તો જાણીઓ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દર મહિને કયા કયા ઉપવાસ કરી શકાય છે. ઇસ્લામમાં ધર્મનો હાલ રમઝાન ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં પણ આ રીતે અધિક માસ કે શ્રાવણ માસ અને નવરાત્રિ કરવાનો મહિમા છે. 

અગિયારસ-એકાદશી વ્રત

હિંદુ કેલેન્ડર પ્રમાણે અગિયારસના દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે. દર મહિને બે એકાદશી વ્રત હોય છે. એક સુદ પક્ષમાં અને બીજું વદ પક્ષમાં. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અગિયારસનો ઉપવાસ કરતા હોય છે.

અંગારિકા સંકષ્ટી ચતુર્થી

હિંદુ કેલેન્ડર પ્રમાણે દર મહિને બે ચતુર્થી હોય છે. પૂનમ પછી આવતા વદની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે અને અમાસ પછી આવતા સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. દર મહિને ચતુર્થી આવતી હોવા છતાં મહા મહિનામાં આવતી અને પોષ મહિનામાં આવતી ચતુર્થી મુખ્ય ચતુર્થીઓમાંની એક છે. ભાદરવા મહિનામાં આવતી અને મહારાષ્ટ્ર-ગુજરાતમાં રંગેચંગે ઉજવાતી ગણેશ ચતુર્થી એમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.

પ્રદોષ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ ઉપવાસ કરવામાં આવે છે. જે મહિનાના સુદ અને વદ એમ બન્ને પક્ષમાં તેરસના દિવસે આવે છે. જો પ્રદોષનો દિવસ સોમવારે આવે તો એને સોમ પ્રદોષ, મંગળવારે આવે તો એને ભૌમ પ્રદોષ અને જ શનિવારે આવે તો એને શનિ પ્રદોષ કહેવાય છે.

માસિક દુર્ગાષ્ટમી

દર મહિનાની સુદ અને વદ આઠમે આ ઉપવાસ કરવામાં આવે છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટૅ એમની આરાધના રુપે આ વ્રત કરવામાં આવે છે. આસો અને શરદ માસના નોરતામાં આવતી આઠમનું મહત્વ બધી આઠમો કરતા ખૂબ જ વધારે છે.

અઠવાડિક ઉપવાસ.
ઘણા મિત્રો તમને મળતા હશે ત્યારે કહેતા હશે કે આજે મારો મંગળવાર છે,આજે મારો શનિવાર છે આજે મારો સોમવાર છે. અઠવાડિક ઉપવાસ રાખવાની પણ પ્રથા હિન્દુ ધર્મમાં છે.

શિવરાત્રિ
ભગવાન શિવને સમર્પિત દિવસ એટલે શિવરાત્રિ જે દર માસે વદ ચૌદસે એટલે કે અમાસ પહેલાનો દિવસ શિવરાત્રિ તરીકે ઉજવાય છે. પણ મહા વદ ચૌદસની શિવરાત્રિ મહા શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. હરણની રાહ જોતા પારધીની કથા તમને યાદ હશે અને અજાણ્યામાં શિવભક્તિ કરવાથી પણ ભગવાનના પ્રસન્ન થવાની એ કથા દરેકને બાળસહજ રીતે યાદ હશે. કહેવાય છે કે દ્વાપર યુગનો આરંભ શિવરાત્રિના દિવસે જ થયેલો અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હોવાનું મનાય છે.

સ્કંદ છઠ્ઠ
આ તહેવાર તમિલ અને તેલુગુ લોકો વડે ઉજવવામાં આવે છે. દર મહિને ઉજવાતી આ તિથિ સુદ પક્ષની છઠ્ઠના આગલા દિવસે એટલે કે પાંચમથી શરુ થાય છે. સુર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે સ્કંદ તિથિની શરુઆત થાય છે. આ નિયમ ધર્મ સિંધુ અને નિર્ણયસિંધુથી લેવામાં આવ્યો છે. તમિલ અને તેલુગુ પ્રાંતના ભગવાન મુરુગનના મંદિરમાં ઉજવવામાં આવે છે.

પૂનમ

હિન્દુ માન્યતા પ્રમાણે પૂનમનો દિવસ ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઘણા ભક્તો આ દિવસે ઘણા મંદિરોએ દર્શન માટૅ જતા હોય છે. તમે ઘણીવાર સાંભળ્યુ હશે કે " પૂનમ ભરવા ગયા હતા." પૂનમના દિવસે પણ વ્રત રાખવું ફળદાયી છે. પૂનમના દિવસે દાન કરવાની પણ પરંપરા છે. વૈશાખ, કારતક અને મહા મહિનાના પૂનમના દિવસે તીર્થ સ્નાન અને દાન-પૂણ્યનું ઘણું મહત્વ છે.

Related Posts

Top News

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.