હોળીમાં જે ઠુમકો નહીં લગાવશે તે આવતા જન્મમાં પાકિસ્તાન જશે: ધીરેન્દ્ર શાસ્ત્રી

મધ્ય પ્રદેશમાં આવેલા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન  હોળીના ગીતો પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોને ખુબ નચાવ્યા અને પોતે પણ ઝુમ્યા. શાસ્ત્રીએ ઉપસ્થિત શ્રધ્ધાળુઓને કહ્યુ હતું કે જે હોળીનો ઠુમકો નહીં લગાવશે તે આવતા જન્મમાં પાકિસ્તાન પહોંચી જશે. બાગેશ્વર ધામના આ શાસ્ત્રી વિવાદો અને બેધડક નિવેદનો માટે જાણીતા છે.

રાજકીય નેતાઓ, સંતો અને મોટી હસ્તીઓ જેના દરબારમાં કુરશીશ બજાવે છે તેવા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હોળી મિલન સમારોહનું આયોજનકર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. બાગેશ્વર ધામમાં ફુલોની હોળી રમાડવામાં આવી હતી, સાથે જ ગુલાલ પણ મોટા પાયે ઉડાડવામાં આવ્યો હતો. ભક્તો ધૂળેટીના રંગમાં રંગાઇ ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તોને જોઇને ગેલમાં આવી ગયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધાર્મિક ભજનો પર ભક્તોને ડોલાવ્યા હતા અને પોતે પણ સ્ટેજ પર ઝુમી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મજાકમાં કહ્યું કે, હોળીમાં જે નાચશે નહીં તે આવતા જન્મમાં પાકિસ્તાન પહોંચી જશે. ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને ભક્તો વધારે ફોર્મમાં આવી ગયા હતા અને જોમમાં આવીને નાચવા માંડયા હતા.

કાર્યક્રમમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બરસાનેની હોળીની જેમ ધામમાં હોળીની ઉજવણી કરી હતી. પીઠાધીશ્વર હોળીના ગીતો પર નાચતા અને ગાતા જોવા મળ્યા હતા. બાગેશ્વર ધામમાં રંગ ગુલાલ ઉપરાંત ફૂલોથી હોળી પણ રમવામાં આવી હતી. ભક્તોએ અગાઉ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર પુષ્પવર્ષા કરી હતી. આ પછી, ભક્તોએ ઉગ્રતાથી હોળી રમી. ધામમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ફાલ્ગુન માસના શુક્લ પક્ષની નવમીના રોજ બરસાનેની લઠ્ઠમાર હોળી ઉજવવામાં આવે છે. આ દિવસે નંદગાંવના ગોવાળિયાઓ હોળી રમવા રાધા રાણીના બરસાના ગામમાં જાય છે અને વિવિધ મંદિરોમાં પૂજા કર્યા પછી નંદગાંવના માણસો હોળી રમવા બરસાના ગામમાં આવે છે અને બરસાના ગામના લોકો નંદગાંવ જાય છે.

બાગેશ્વર ધામમાં હોળી માટે ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. મંચ પર ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સાથે અન્ય ઘણા નેતાઓ પણ ત્યાં હાજર હતા. આ સાથે અન્ય લોકો પણ હોળી મિલન સમારોહમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે નાચતા જોવા મળ્યા છે. લોકો એકબીજા પર રંગ લગાવીને ધૂળેટીની મજા માણી રહ્યા હતા.ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ટેજ પરથી હોલી ખેલે રઘુવીરા ગીત પર ભક્તોને ખુબ નચાવ્યા હતા.

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.