આ વર્ષે રક્ષાબંધન 30 કે 31 ઓગસ્ટે મનાવવાની? લોકોમાં મૂંઝવણ, જાણી લો તારીખ

રક્ષાબંધનના તહેવારની તિથિને લઇને આ વખતે લોકોમાં ઘણી મુંઝવણ છે. લોકોમાં એ વાતની ચર્ચા છે કે આ વખતે રક્ષાબંધન 30મી કે 31 ઓગસ્ટે મનાવવાની? તો તમારું કન્ફ્યુઝન જ્યોતિષવીદોએ દુર કર્યું છે. તેમનું કહેવું છે કે આ વખતે રક્ષાબંધન 30 અન 31 બંને દિવસે મનાવવામાં આવશે. પરંતુ ભદ્રાના પડછાયાને કારણે તમારે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું પડશે. 30 ઓગસ્ટે લગભગ આખો દિવસ ભદ્રાનો પડછાયો રહેશે અને 31 ઓગસ્ટે રાખડી બાંધવાનું  શુભ મુહૂર્ત મર્યાદિત સમય માટે છે. રક્ષાબંધન માટે 2 દિવસ મળેલા છે, પરંતુ સમય ઓછો છે તેનું ધ્યાન રાખજો.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રા કાળમાં મનાવવો જોઇએ નહીં. એવું કરવું અશુભ માનવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ 30 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે અને 2 મિનિટ સુધી રહેશે. મતલબ કે 30 ઓગસ્ટે રાત્રે 9 અને 2 મિનિટ પછી રક્ષાબંધન મનાવી શકો છો.31 ઓગસ્ટે માત્ર 7 વાગ્યાથી 5 મિનિટ સુધીનું જ શુભ મુર્હૂત જ છે. એનો મતલબ એ થાય છે કે તમારી પાસે રક્ષાબંધન મનાવવા માટે 30મી રાત્રે 9 વાગ્યેને 2 મિનિટથી 31મીએ સવારે 7 વાગ્યેને 5 મિનિટ સુધીનો જ સમય છે. એટલે ધ્યાન રાખજો કે આ શુભ મુહૂર્તમાં જ રાખડી બંધાવજો.

હિંદુ પંચાગ મુજબ, રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધન હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વમાં જ્યાં પણ હિન્દુ ધર્મના લોકો વસે છે ત્યાં આ તહેવાર ભાઈ-બહેન વચ્ચે ઉજવવામાં આવે છે. રાખડીનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે.

ધાર્મિક વિધીના જાણકારોનું કહેવું છે કે જ્યારે તમે તમારા ભાઇને રાખડી બાંધો ત્યારે તમારી પૂજાની થાળીમાં ધૂપ, ઘીનો દીવો હોવો જોઈએ. તેમાં ચંદન રાખો. થાળીમાં તુટેલા ન હોય તેવા ચોખા રાખવા જોઇએ.તમે તમારા ભાઇને જે રાખડી બાંધવાના છો તે પણ એ જ થાળીમાં રાખો અને તેમાં મીઠાઈઓ પણ રાખો. જો તમે તમારા ઘરમાં બાલ ગોપાલ એટલે કે ભગવાન કૃષ્ણની સ્થાપના કરી છે તો રક્ષાબંધનના દિવસે તમારે  બાલ ગોપાલને પણ રાખડી બાંધવી જોઈએ.

આ થાળીમાં એક કળશ, નારિયેળ, સોપારી, ચંદન, ચોખા, દહીં, રાખડી, મિઠાઇ બધું મુક્યા પછી એક ઘીનો દિવો પણ હોવો જોઇએ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.