નાણા મંત્રીએ બજેટમાં જે સપ્તઋષિનો ઉલ્લેખ કર્યો હતો, જાણો તેમના વિશે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું તેમાં સપ્તઋષિ નો ઉલ્લેખ કર્યો હતો. સપ્તઋષિનો સંબંધ આ બજેટ સાથે છે એમ તેમણે કહ્યું હતું. નાણા મંત્રાએ કહ્યું હતું કે આ બજેટની 7 પ્રાથમિકતા છે. આ સપ્તર્ષિઓ છે, સમાવેશી વિકાસ,  અંતિમ સીમા સુધી પહોંચવું, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ,ક્ષમતાનો અનુભવ, હરિયાળી વૃદ્ધિ, યુવા શક્તિ અને નાણાકીય ક્ષેત્ર. ચાલો જાણીએ કે તેમને સપ્તઋષિઓ કેમ કહેવામાં આવે છે અને સનાતન ધર્મમાં પણ સપ્તઋષિઓનું શું મહત્વ છે.

પ્રાચીન કાળમાં 7 ઋષિઓનું એક ગ્રુપ હતુ જેને સપ્તઋષિઓ કહેવામાં આવતા હતા. આ ઋષિઓ પર બ્રભાંડમાં સંતુલન બનાવી રાખવા અને માનવ જાતિને યોગ્ય રાહ બતાવવાની જવાબદારી હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે આજે પણ આ સપ્તઋષિઓ આજે પણ તેમના કામમાં લાગેલા છે. રાત્રે આકાશમાં દેખાતા એક તારા મંડળને પણ સપ્તઋષિ તારા મંડળ નામ આપવામાં આવ્યું છે. વેદોમાં જે 7ઋષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ઋષિ કશ્યપ, ઋષિ ભારદ્રાજ, ઋષિ ગૌતમ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ જમદગ્નિ, ઋષિ વશિષ્ઠ અને ઋષિ અત્રિના નામનો ઉલ્લેખ છે. વેદોમાં આ સાતેય ઋષિઓને વૈદિક ધર્મના સંરક્ષક માનવામાં આવે છે.

RISHI KASHYAP

કશ્યપ ઋષિને 17 પત્નીઓ હતી.  તેમની અદિતી નામની પત્નીથી બધા દેવતાઓ અને પત્ની દિતિમાંથી રાક્ષસો ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાકીની પત્નીઓમાંથી પણ વિવિધ જીવો ઉત્પન્ન થયા છે. બીજા ઋષિ અત્રિ છે. પુરાણો અનુસાર, શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ત્રેતાયુગમાં વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમમાં રહ્યા હતા જેમની પત્ની અનસૂયા માતા હતી. તેમના પુત્ર ભગવાન દત્રાતેય હતા. ત્રીજા ઋષિ ભારદ્વાજ છે જેમણે આયુર્વેદ સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી. તેમના પુત્ર દ્રોણાચાર્ય હતા.

RISHI VISHAMITRA

ચોથા ઋષિ વિશ્વામિત્ર છે જેમણે ગાયત્રી મંત્રની રચના કરી હતી.પાંચમા ઋષિ ગૌતમ છે જેમની પત્ની અહલ્યા હતી. તેમણે અહલ્યાને શ્રાપ આપ્યો અને તેને પથ્થર બનાવી દીધી હતી. ભગવાન શ્રી રામની કૃપાથી અહલ્યાએ તેનું સ્વરૂપ પાછું મેળવ્યું હતું. છઠ્ઠા ઋષિ જમદગ્નિ છે જેમના પુત્ર પરશુરામ હતા. સાતમા ઋષિ વશિષ્ઠ રાજા દશરથના ચારેય પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નના ગુરુ હતા.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.