‘મજા નહોતી આવતી..’, 2.7 કરોડની નોકરી છોડીને 22 વર્ષીય યુવકે સંભળાવી આપવીતી

સ્ટાર્ટઅપ્સની ઝડપી ગતિવાળી દુનિયામાં, ઘણીવાર એવું શીખવવામાં આવે છે કે જેટલું વધુ કામ, તેટલી મોટી સફળતા. જોકે, અમેરિકામાં એક યુવા એક્ઝિક્યૂટિવે આ ખ્યાલ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે. અમેરિકામાં એક AI સ્ટાર્ટઅપના ચીફ માર્કેટિંગ ઓફિસરે 12 કલાકના વર્કવીકથી હતાશ થઈને પોતાની કરોડો ડોલરની નોકરી છોડી દીધી. આ નિર્ણય હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

આ મામલો AI સ્ટાર્ટઅપ Cluely સાથે જોડાયેલો છે. 22 વર્ષીય ડેનિયલ મિને ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું. ડેનિયલ મિનનું કહેવું છે કે, સતત 12 કલાક કામ કરવાની દિનચર્યા તેમના અંગત જિંદગીને પૂરી રીતે ખાઈ રહી હતી.

daniel
businessinsider.com

ડેનિયલ મિને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે તેને વાર્ષિક 300,000 ડૉલરથી વધુ એટલે કે લગભગ 2.7 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો હતો. છતા તે તેની જિંદગીની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણો ગુમાવી રહ્યો હતો જેમ કે મિત્રો સાથે ભોજન, પરિવાર સાથેનો સમય, અને તેના જન્મદિવસ પર તેના નાના ભાઈને સરપ્રાઈઝ કરવાની તક પણ.

ડેનિયલ કહે છે કે, 21 વર્ષની ઉંમરમાં મને લાગતું હતું કે દિવસ-રાત કામ કરવું એ જ સાચો રસ્તો છે. પરંતુ ધીમે-ધીમે મને સમજાયું કે હું જિંદગીની નાની-નાની ખુશીઓ ગુમાવી રહ્યો છું. ડેનિયલ મિન મે 2025માં Cluelyમાં જોડાયો હતો. તે સમયે તે માત્ર 21 વર્ષનો હતો. તેણે તાજેતરમાં જ ધ વ્હાર્ટન સ્કૂલમાંથી માર્કેટિંગ અને ઓપરેશન્સ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં કામ રોમાન્ચક લાગતું હતું. મોટી જવાબદારી અને ઝડપી વૃદ્ધિએ તેને ઉત્સાહિત કર્યો, પરંતુ 4 મહિનામાં જ વસ્તુઓ બદલાવા લાગી.

ડેનિયલના મતે, સમય સાથે તેનું કામ એક જેવું અને કંટાળાજનક લાગવા લાગ્યું. એક લીડર હોવાના સંબંધમાં હું મારું 100% આપી રહ્યો હતો. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે-ધીમે એ જ દિનચર્યા, એ જ દબાણ... બધું બોજ જેવું લાગવા લાગ્યું.

daniel2
youtube.com

જ્યારે Cluelyના CEO, રોય લીએ ડેનિયલની ઉદાસીનો અહેસાસ કર્યો તો તેની સાથે વાત કરી, ત્યારે તે પોતાની જાતને સંભાળી ન શક્યો. તેણે કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે હું લાંબા સમયથી કંપની છોડવાનું વિચારી રહ્યો હતો, અને આમ કહેતા હું રડી પડ્યો. ડેનિયલના જણાવ્યા મુજબ, કંપનીના CEOએ તેને પૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે, તેણે એ જ રસ્તો પસંદ કરવો જોઈએ, જેનાથી તે ખુશ રહી શકે.

ડેનિયલ મીન કહે છે કે, Cluely તેમના માટે માત્ર એક કંપની નથી, પરંતુ એક પ્રકારનો ભાઈચારો હતો, જ્યાં તેઓ દરરોજ લગભગ 12 કલાક સાથે વિતાવતો હતો. પરંતુ આખરે તેને સમજાયું કે આ તે રસ્તો નથી, જેના પર તે પોતાની જિંદગી આગળ લઈ જવા માંગતો હતો. અંતે, ડેનિયલ મીને કહ્યું કે, ‘મને સમજાયું કે મને કેવા પ્રકારનની જિંદગી જોઈએ છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.