‘મજા નહોતી આવતી..’, 2.7 કરોડની નોકરી છોડીને 22 વર્ષીય યુવકે સંભળાવી આપવીતી

સ્ટાર્ટઅપ્સની ઝડપી ગતિવાળી દુનિયામાં, ઘણીવાર એવું શીખવવામાં આવે છે કે જેટલું વધુ કામ, તેટલી મોટી સફળતા. જોકે, અમેરિકામાં એક યુવા એક્ઝિક્યૂટિવે આ ખ્યાલ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે. અમેરિકામાં એક AI સ્ટાર્ટઅપના ચીફ માર્કેટિંગ ઓફિસરે 12 કલાકના વર્કવીકથી હતાશ થઈને પોતાની કરોડો ડોલરની નોકરી છોડી દીધી. આ નિર્ણય હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.

આ મામલો AI સ્ટાર્ટઅપ Cluely સાથે જોડાયેલો છે. 22 વર્ષીય ડેનિયલ મિને ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) તરીકેના પદ પરથી રાજીનામું આપી દીધું. ડેનિયલ મિનનું કહેવું છે કે, સતત 12 કલાક કામ કરવાની દિનચર્યા તેમના અંગત જિંદગીને પૂરી રીતે ખાઈ રહી હતી.

daniel
businessinsider.com

ડેનિયલ મિને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે તેને વાર્ષિક 300,000 ડૉલરથી વધુ એટલે કે લગભગ 2.7 કરોડ રૂપિયાનો પગાર મળી રહ્યો હતો. છતા તે તેની જિંદગીની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણો ગુમાવી રહ્યો હતો જેમ કે મિત્રો સાથે ભોજન, પરિવાર સાથેનો સમય, અને તેના જન્મદિવસ પર તેના નાના ભાઈને સરપ્રાઈઝ કરવાની તક પણ.

ડેનિયલ કહે છે કે, 21 વર્ષની ઉંમરમાં મને લાગતું હતું કે દિવસ-રાત કામ કરવું એ જ સાચો રસ્તો છે. પરંતુ ધીમે-ધીમે મને સમજાયું કે હું જિંદગીની નાની-નાની ખુશીઓ ગુમાવી રહ્યો છું. ડેનિયલ મિન મે 2025માં Cluelyમાં જોડાયો હતો. તે સમયે તે માત્ર 21 વર્ષનો હતો. તેણે તાજેતરમાં જ ધ વ્હાર્ટન સ્કૂલમાંથી માર્કેટિંગ અને ઓપરેશન્સ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં કામ રોમાન્ચક લાગતું હતું. મોટી જવાબદારી અને ઝડપી વૃદ્ધિએ તેને ઉત્સાહિત કર્યો, પરંતુ 4 મહિનામાં જ વસ્તુઓ બદલાવા લાગી.

ડેનિયલના મતે, સમય સાથે તેનું કામ એક જેવું અને કંટાળાજનક લાગવા લાગ્યું. એક લીડર હોવાના સંબંધમાં હું મારું 100% આપી રહ્યો હતો. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે-ધીમે એ જ દિનચર્યા, એ જ દબાણ... બધું બોજ જેવું લાગવા લાગ્યું.

daniel2
youtube.com

જ્યારે Cluelyના CEO, રોય લીએ ડેનિયલની ઉદાસીનો અહેસાસ કર્યો તો તેની સાથે વાત કરી, ત્યારે તે પોતાની જાતને સંભાળી ન શક્યો. તેણે કહ્યું કે, ‘મેં તેમને કહ્યું કે હું લાંબા સમયથી કંપની છોડવાનું વિચારી રહ્યો હતો, અને આમ કહેતા હું રડી પડ્યો. ડેનિયલના જણાવ્યા મુજબ, કંપનીના CEOએ તેને પૂરું સમર્થન આપ્યું અને કહ્યું કે, તેણે એ જ રસ્તો પસંદ કરવો જોઈએ, જેનાથી તે ખુશ રહી શકે.

ડેનિયલ મીન કહે છે કે, Cluely તેમના માટે માત્ર એક કંપની નથી, પરંતુ એક પ્રકારનો ભાઈચારો હતો, જ્યાં તેઓ દરરોજ લગભગ 12 કલાક સાથે વિતાવતો હતો. પરંતુ આખરે તેને સમજાયું કે આ તે રસ્તો નથી, જેના પર તે પોતાની જિંદગી આગળ લઈ જવા માંગતો હતો. અંતે, ડેનિયલ મીને કહ્યું કે, ‘મને સમજાયું કે મને કેવા પ્રકારનની જિંદગી જોઈએ છે.

About The Author

Related Posts

Top News

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

ક્યારેક, ભંગારમાં પણ એવી કિંમતી વસ્તુઓ મળી જાય છે કે જેની કિંમત લાખો કરોડોની હોય છે. જાલંધરમાં એક દાયકાઓથી...
National 
ભંગારમાં પડેલું 105 વર્ષ જૂનું જર્મન ટ્રેક્ટર સવા કરોડમાં વેચાયું; ઇન્ટરનેટ પર થયું વાયરલ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.