NDTVમાં સૌથી વધારે હિસ્સેદારી અદાણી ગ્રુપની થઈ, 602 કરોડમાં ડીલ, પેમેન્ટ રોકડમાં

NDTVના સ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોયે ગયા અઠવાડિયે એક નિવેદન જારી કર્યું હતું કે તેઓ કંપનીના મોટાભાગના શેર અદાણીને વેચી રહ્યાં છે. આ નિવેદન પછી હવે, શુક્રવારે,30 ડિસેમ્બર 2022એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે કહ્યું છે કે તેમમે NDTVના શેર સાથે સંબંધિત લેવડ-દેવડ પુરી કરી છે.

BSE અને NSE હેઠળ પૂર્ણ થયેલી આ ડીલ અથવા ફાઇલિંગ અંગે, અદાણી ગ્રૂપે જણાવ્યું છે કે તેઓએ પ્રણય રોય અને રાધિકા રોય પાસેથી NDTVનો 27.26 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. આ પછી,  હવે  અદાણી ગ્રુપ NDTV ગ્રુપના સૌથી મોટા શેરહોલ્ડર બની ગયા છે.

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે એક નિવેદનમાં કહ્યું છે કે, અદાણી એન્ટરપ્રાઇઝિસની પરોક્ષ પેટાકંપની અને NDTVના પ્રમોટર/પ્રમોટર જૂથના સભ્ય RRPRએ પ્રણય રોય અને રાધિકા રોય પાસેથી NDTVમાં 27.26 ટકા ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે.

સ્ટોક એક્સચેન્જો સાથે કરવામાં આવેલી ફાઇલિંગ મુજબ, RRPR હવે NDTVમાં 56.45 ટકા હિસ્સો ધરાવશે. હકીકતમાં, RRPR પાસે NDTVમાં પહેલેથી જ 29.18 ટકા હિસ્સો છે. અદાણી ગ્રૂપે એ પણ માહિતી આપી છે કે વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ, જે અદાણી જૂથની પરોક્ષ પેટાકંપની છે તેનો NDTVમાં 8.27 હિસ્સો  છે. આથી, અદાણી ગ્રુપ હવે NDTVમાં 64.72ટકા હિસ્સો ધરાવે છે.

અદાણી એન્ટરપ્રાઇઝના એક નિવેદનમાં જણાવાયું છે કે કંપનીએ NDTVના સ્થાપકો પ્રણય અને રાધિકા રોય પાસેથી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે 27.26 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આનો અર્થ એ થયો કે કંપનીએ તેમને શેર માટે 600 કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા હતા. ગયા અઠવાડિયે NDTV દ્વારા ફાઇલિંગ અનુસાર, પ્રણય રોયે 86,65,209 ઇક્વિટી શેર અને રાધિકા રોયે 89,12,467 શેર અદાણી જૂથને ટ્રાન્સફર કર્યા હતા. એટલે કે બંને પ્રમોટર્સે કુલ 1,75,77,676 ઇક્વિટી શેર ટ્રાન્સફર કર્યા છે. મતલબ કે 342.65 શેર દીઠ ગણતરી કરીએ તો 602, 29, 90, 681 રકમ થાય છે. અદાણી ગ્રુપે નિવેદનમાં કહ્યું છે કે તેમણે પ્રણય ને રાધિકા રોયને રોકડમાં પેમેન્ટની ચૂકવણી કરી છે.

અદાણી ગ્રૂપે પ્રણય અને રાધિકા રોયને ઓપન ઓફરમાં ચૂકવેલી કિંમત પર પ્રીમિયમ ચૂકવ્યું છે. અદાણી ગ્રુપે ઓપન ઓફરમાં NDTVના લગભગ 53.27 લાખ શેર ખરીદવા માટે પ્રતિ શેર 294 રૂપિયા ચૂકવ્યા હતા. આનો અર્થ એ થયો કે પ્રણય અને રાધિકા રોયને લગભગ 17ટકા વધુ ચૂકવણી કરવામાં આવી હતી.

અદાણી ગ્રૂપ દ્વારા NDTVનું સંપાદન આ વર્ષે ઓગસ્ટમાં AMG મીડિયા નેટવર્ક્સ દ્વારા  વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)ના અધિગ્રહણ સાથે શરૂ થયું હતું, જે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. વિશ્વપ્રધાને RRPRમાં 99.9 ટકાના હિસ્સામાં રૂપાંતરિત કરવાના અધિકાર સાથે વ્યાજમુક્ત લોનના બદલામાં RRPR ના વોરંટ રાખ્યા હતા

પ્રણય રોય અને રાધિકા રોય 23 ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમણે NDTVના મોટા ભાગના શેર વેચવાનો નિર્ણય કર્યો છે. એ નિવેદનમાં તેમણે 5 ટકા શેર વેચવાની વાત કરી હતી. મતલબ કે પ્રણય અને રાધિકા રોય પાસે સંયુક્ત રીતે હજુ 5 ટકા હિસ્સો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.