હિંડનબર્ગે અદાણી ગ્રુપને પહોંચાડ્યું ભારે નુકસાન, હવે લેવો પડ્યો આ મોટો નિર્ણય

અમેરિકી રિસર્ચની અસર અદાણી ગ્રુપ પર હજુ પણ જોવા મળી રહી છે. વીતેલા 20 દિવસોથી ભારે નુકસાન ઝેલી રહેલા ગ્રુપે શોર્ટ સેલર ફર્મ સાથે આરપારની કાયદાકીય લડાઈ લડવાની તૈયારી સાથે જ પોતાનું સમગ્ર ફોકસ ડેમેજ કંટ્રોલ પર લગાવી દીધુ છે. તેના માટે દેવુ ચુકવવાથી લઈને ખર્ચમાં રોકડ બચાવવા સુધી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. શેરોમાં આવેલી ત્સુનામીને પગલે થયેલા નુકસાન બાદ અદાણી ગ્રુપે હવે પોતાના રેવેન્યૂ ગ્રોથ ટાર્ગેટને 40 ટકાથી ઘટાડીને આશરે અડધો કરી દીધો છે.

ગત મહિને 24 જાન્યુઆરીએ પબ્લિશ થયેલી અમેરિકી ફર્મ હિંડનબર્ગની રિસર્ચ રિપોર્ટની એવી તાત્કાલિક અસર અદાણી ગ્રુપ પર જોવા મળી કે અત્યારસુધી તેણે દરરોજ ખોટ સહન કરવી પડી રહી છે. 88 ગંભીર સવાલોને ઉઠાવનારો રિપોર્ટ જાહેર થયા બાદથી અત્યારસુધી ગ્રુપનું માર્કેટ કેપ 117 અબજ ડૉલર કરતા વધુ ઘટી ચુક્યુ છે. શેરોમાં આવેલા જોરદાર ઘટાડાને પગલે અદાણીની નેટવર્થ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ અને દુનિયાના અબજોપતિઓના લિસ્ટમાં ચોથા નંબર પરથી તેઓ નીચે સરકીને ટોપ-20માંથી બહાર થઈ ગયા. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ આવનારા નાણાકીય વર્ષ માટે રેવેન્યૂ ગ્રોથ ટાર્ગેટને પૂર્વ અનુમાન 40 ટકાથી ઘટાડીને 15થી 20 ટકા કરી શકે છે.

હિંડનબર્ગના વંટોળમાંથી બહાર નીકળવા માટે અદાણી ગ્રુપે જે પ્લાનિંગ કર્યું છે, તેમા દેવાની ચુકવણી, કેશ બચાવવી, કેપિટલ એક્સપેન્ડીચર પ્લાનમાં કાપ અને ગિરવે મુકેલા શેરોને છોડાવવા જેવી બાબત સામેલ છે. રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓએ બેંકો પાસે પોતાના વધારાના શેર ગિરવે મુક્યા છે, જેને છોડાવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે કંપનીઓના શેર ગિરવે છે, તેમા અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જી સામેલ છે.

હિંડનબર્ગની ખરાબ અસરને પગલે થયેલા નુકસાનમાંથી બહાર આવવા માટે હવે અદાણી ગ્રુપ પોતાની ફાયનાન્સિયલ હેલ્થને ફરીથી રિપેર કરવાના પ્રયત્નોમાં લાગી ગયુ છે. રિસર્ચ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપોથી ઘેરાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ એક સામાન્ય ઓડિટ કરવા માટે બિગ ફોર (Deloitte, EY, KPMG અને PWC) અકાઉન્ટિંગ ફર્મોમાંથી એકને નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત, ગ્રુપે શોર્ટ સેલર ફર્મ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડવા માટે અમેરિકાની દિગ્ગજ લો ફર્મ વોયટેલને પસંદ કરી લીધી છે.

અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહ્યો. સવારે માર્કેટ ખુલ્યા બાદ 9.30 વાગ્યા સુધી અદાણી પાવર લિમિટેડના સ્ટોક 4.99 ટકા ગગડીને 156 રૂપિયા, અદાણી વિલ્મર લિમિટેડના શેર 1.48 ટકા ઘટાડા સાથે 429.45 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેર 5 ટકા ઘટીને 688.05 રૂપિયા, અદાણી ટોટલ ગેસ લિમિટેડના શેર 5 ટકા તૂટીને 1192.65 રૂપિયા, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના સ્ટોક્સ 5 ટકા ઘટીને 1127.35 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આ ઉપરાંત, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને ACC Ltdના શેર પણ લાલ નિશાન પર ખુલીને ક્રમશઃ 360.65 અને 1870.00 રૂપિયાના લેવલ પર કારોબાર કરી રહ્યા હતા. આ દરમિયાન, Adani Enterprise Ltd ના શેર મામૂલી ઘટાડા સાથે 1845.75 રૂપિયા અને Adani Ports and Special Economic Zone ના શેર 583.25 રૂપિયા પર હતા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.