હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો પર ખૂલીને વાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કઈ ભૂલોને કારણે તેમનો વ્યવસાય ચોપટ થઈ ગયો. તામિલનાડુમાં ઉછરેલા શિવશંકરને એક પોડકાસ્ટમાં પોતાના કરિયરની સક્સેસ સિક્રેટ અને પછી પોતાના ડાઉનફોલને લઈને કહ્યું કે, જો મેં મારા જીવનમાં 2 ભૂલો ન કરી હોત, તો આજે મારી પાસે 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોત. તેમાં પહેલી ભૂલ છે હિન્દી ન શીખવી. જો મેં હિન્દી શીખી હોત, તો હું 140 કરોડ ભારતીયોને જોડી શકતો હતો.

c sivasankaran
ndtv.com

 

શિવશંકરને આગળ કહ્યું કે, મારી બીજી ભૂલ એ હતી કે, મારે ચેન્નાઈથી મુંબઈ કે દિલ્હી શિફ્ટ થઈ જવું જોઈતું હતું. જો હું મારી યુવાનીમાં દિલ્હી કે મુંબઈ જતો રહેતો અને હિન્દી શીખી ગયો હોત, તો જરૂર હું 1 લાખ કરોડ રૂપિયા બનાવી ચૂક્યો હોત. તેમનું માનવું છે કે હિન્દી ભાષાના જ્ઞાનના અભાવે તેઓ દેશના મોટા ભાગ સાથે જોડાઈ ન શક્યા અને તેનાથી મોટી વ્યવસાયિક તકો હાથમાંથી નીકળતી ગઇ. સાથે જ તેમને દિલ્હી કે મુંબઈમાં રહીને જે નેટવર્કિંગ બની શકતું હતું તેનો લાભ પણ તેમને ન મળ્યો.

c sivasankaran
thenewsminute.com

શિવશંકરને વર્ષ 1999માં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની એરસેલની સ્થાપના કરી હતી. કંપનીએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. કંપનીએ પોતાની માર્કેટિંગ પર ફોકસ કર્યું અને સંપર્કોનો ફાયદો ઉઠાવતા કંપનીનો ઝડપથી વિસ્તાર. એરસેલે તે સમયમાં લાખો ગ્રાહકો જોડ્યા. જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. અચાનક વર્ષ 2006માં, તેમના જીવનમાં એક ટ્વીસ્ટ આવ્યું અને તેમના બિઝનેસમાં પતનની શરૂઆત થઈ.

c sivasankaran
hindustantimes.com

 

હકીકતમાં, વર્ષ 2006માં, તેમણે એરસેલની 74 ટકા હિસ્સેદારી મલેશિયા સ્થિત મેક્સિસ કોમ્યુનિકેશન્સને વેચી દીધી, જે બાદમાં તેમના માટે પરેશાન કરનારી ડીલ સાબિત થઈ. આ ડીલ 2011માં વિવાદમાં આવી ગઈ. શિવશંકરને આરોપ લગાવ્યો હતો કે તેમના પર બળજબરીપૂર્વક દબાવ નાખવામાં આવ્યો હતો કે તેમની હિસ્સેદારી મેક્સિસને વેચી દે. અહીંથી એરસેલ માટે બિઝનેસ કરવો મુશ્કેલ બની ગયો. આખરે, ફેબ્રુઆરી 2018માં, કંપનીએ ગંભીર નાણાકીય મુશ્કેલીઓને કારણે ટેલિકોમ બજારમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.