હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો પર ખૂલીને વાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કઈ ભૂલોને કારણે તેમનો વ્યવસાય ચોપટ થઈ ગયો. તામિલનાડુમાં ઉછરેલા શિવશંકરને એક પોડકાસ્ટમાં પોતાના કરિયરની સક્સેસ સિક્રેટ અને પછી પોતાના ડાઉનફોલને લઈને કહ્યું કે, જો મેં મારા જીવનમાં 2 ભૂલો ન કરી હોત, તો આજે મારી પાસે 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોત. તેમાં પહેલી ભૂલ છે હિન્દી ન શીખવી. જો મેં હિન્દી શીખી હોત, તો હું 140 કરોડ ભારતીયોને જોડી શકતો હતો.

c sivasankaran
ndtv.com

 

શિવશંકરને આગળ કહ્યું કે, મારી બીજી ભૂલ એ હતી કે, મારે ચેન્નાઈથી મુંબઈ કે દિલ્હી શિફ્ટ થઈ જવું જોઈતું હતું. જો હું મારી યુવાનીમાં દિલ્હી કે મુંબઈ જતો રહેતો અને હિન્દી શીખી ગયો હોત, તો જરૂર હું 1 લાખ કરોડ રૂપિયા બનાવી ચૂક્યો હોત. તેમનું માનવું છે કે હિન્દી ભાષાના જ્ઞાનના અભાવે તેઓ દેશના મોટા ભાગ સાથે જોડાઈ ન શક્યા અને તેનાથી મોટી વ્યવસાયિક તકો હાથમાંથી નીકળતી ગઇ. સાથે જ તેમને દિલ્હી કે મુંબઈમાં રહીને જે નેટવર્કિંગ બની શકતું હતું તેનો લાભ પણ તેમને ન મળ્યો.

c sivasankaran
thenewsminute.com

શિવશંકરને વર્ષ 1999માં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની એરસેલની સ્થાપના કરી હતી. કંપનીએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. કંપનીએ પોતાની માર્કેટિંગ પર ફોકસ કર્યું અને સંપર્કોનો ફાયદો ઉઠાવતા કંપનીનો ઝડપથી વિસ્તાર. એરસેલે તે સમયમાં લાખો ગ્રાહકો જોડ્યા. જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. અચાનક વર્ષ 2006માં, તેમના જીવનમાં એક ટ્વીસ્ટ આવ્યું અને તેમના બિઝનેસમાં પતનની શરૂઆત થઈ.

c sivasankaran
hindustantimes.com

 

હકીકતમાં, વર્ષ 2006માં, તેમણે એરસેલની 74 ટકા હિસ્સેદારી મલેશિયા સ્થિત મેક્સિસ કોમ્યુનિકેશન્સને વેચી દીધી, જે બાદમાં તેમના માટે પરેશાન કરનારી ડીલ સાબિત થઈ. આ ડીલ 2011માં વિવાદમાં આવી ગઈ. શિવશંકરને આરોપ લગાવ્યો હતો કે તેમના પર બળજબરીપૂર્વક દબાવ નાખવામાં આવ્યો હતો કે તેમની હિસ્સેદારી મેક્સિસને વેચી દે. અહીંથી એરસેલ માટે બિઝનેસ કરવો મુશ્કેલ બની ગયો. આખરે, ફેબ્રુઆરી 2018માં, કંપનીએ ગંભીર નાણાકીય મુશ્કેલીઓને કારણે ટેલિકોમ બજારમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.