હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો પર ખૂલીને વાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે કઈ ભૂલોને કારણે તેમનો વ્યવસાય ચોપટ થઈ ગયો. તામિલનાડુમાં ઉછરેલા શિવશંકરને એક પોડકાસ્ટમાં પોતાના કરિયરની સક્સેસ સિક્રેટ અને પછી પોતાના ડાઉનફોલને લઈને કહ્યું કે, જો મેં મારા જીવનમાં 2 ભૂલો ન કરી હોત, તો આજે મારી પાસે 1000 કરોડ રૂપિયાની સંપત્તિ હોત. તેમાં પહેલી ભૂલ છે હિન્દી ન શીખવી. જો મેં હિન્દી શીખી હોત, તો હું 140 કરોડ ભારતીયોને જોડી શકતો હતો.

c sivasankaran
ndtv.com

 

શિવશંકરને આગળ કહ્યું કે, મારી બીજી ભૂલ એ હતી કે, મારે ચેન્નાઈથી મુંબઈ કે દિલ્હી શિફ્ટ થઈ જવું જોઈતું હતું. જો હું મારી યુવાનીમાં દિલ્હી કે મુંબઈ જતો રહેતો અને હિન્દી શીખી ગયો હોત, તો જરૂર હું 1 લાખ કરોડ રૂપિયા બનાવી ચૂક્યો હોત. તેમનું માનવું છે કે હિન્દી ભાષાના જ્ઞાનના અભાવે તેઓ દેશના મોટા ભાગ સાથે જોડાઈ ન શક્યા અને તેનાથી મોટી વ્યવસાયિક તકો હાથમાંથી નીકળતી ગઇ. સાથે જ તેમને દિલ્હી કે મુંબઈમાં રહીને જે નેટવર્કિંગ બની શકતું હતું તેનો લાભ પણ તેમને ન મળ્યો.

c sivasankaran
thenewsminute.com

શિવશંકરને વર્ષ 1999માં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની એરસેલની સ્થાપના કરી હતી. કંપનીએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. કંપનીએ પોતાની માર્કેટિંગ પર ફોકસ કર્યું અને સંપર્કોનો ફાયદો ઉઠાવતા કંપનીનો ઝડપથી વિસ્તાર. એરસેલે તે સમયમાં લાખો ગ્રાહકો જોડ્યા. જિંદગીમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. અચાનક વર્ષ 2006માં, તેમના જીવનમાં એક ટ્વીસ્ટ આવ્યું અને તેમના બિઝનેસમાં પતનની શરૂઆત થઈ.

c sivasankaran
hindustantimes.com

 

હકીકતમાં, વર્ષ 2006માં, તેમણે એરસેલની 74 ટકા હિસ્સેદારી મલેશિયા સ્થિત મેક્સિસ કોમ્યુનિકેશન્સને વેચી દીધી, જે બાદમાં તેમના માટે પરેશાન કરનારી ડીલ સાબિત થઈ. આ ડીલ 2011માં વિવાદમાં આવી ગઈ. શિવશંકરને આરોપ લગાવ્યો હતો કે તેમના પર બળજબરીપૂર્વક દબાવ નાખવામાં આવ્યો હતો કે તેમની હિસ્સેદારી મેક્સિસને વેચી દે. અહીંથી એરસેલ માટે બિઝનેસ કરવો મુશ્કેલ બની ગયો. આખરે, ફેબ્રુઆરી 2018માં, કંપનીએ ગંભીર નાણાકીય મુશ્કેલીઓને કારણે ટેલિકોમ બજારમાંથી બહાર થવાનો નિર્ણય લીધો.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.