તેલંગાણા સરકારે ઉદ્યોગો અને કારખાનાઓ માટે દરરોજ 10 કલાક કામ કરવાના પ્રસ્તાવ મજુર કર્યો

દેશમાં અઠવાડિયામાં કામના કલાકો અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વાણિજ્યિક એકમો (ઉદ્યોગો અને કારખાનાઓ) માટે દરરોજ 10 કલાક કામ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સાથે, આખા અઠવાડિયામાં કામના કલાકોની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જે 48 કલાક છે. સરકાર દ્વારા 5 જુલાઈએ આ સંદર્ભમાં એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જોકે, દુકાનો અને મોલને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

Telangana-Govt-Labor-Rules3
navbharattimes.indiatimes.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાજ્યમાં વ્યવસાયને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી, તેલંગાણા સરકારે અઠવાડિયામાં કામના કલાકો અંગે આ મોટો આદેશ બહાર પાડયો છે. શ્રમ, રોજગાર, તાલીમ અને કારખાના વિભાગ દ્વારા 5 જુલાઈએ બહાર પડાયેલા સરકારી આદેશ મુજબ, તેલંગાણા દુકાનો અને સ્થાપના અધિનિયમ, 1988 (1988નો અધિનિયમ નં. 20) હેઠળ આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારી આદેશ મુજબ, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાણિજ્યિક એકમોમાં દૈનિક કામના કલાકો 10 કલાકથી વધુ ન હોવા જોઈએ અને સાપ્તાહિક કામના કલાકોની મર્યાદા 48 કલાકથી વધુ ન હોવી જોઈએ. આ મર્યાદાઓ સાથે, સરકારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, જો કર્મચારીઓ આ કરતાં વધુ સમય કામ કરશે તો તેમને ઓવરટાઇમ પણ આપવામાં આવશે.

Telangana-Govt-Labor-Rules2
economictimes.indiatimes.com

એક તરફ, તેલંગાણા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી મર્યાદા અનુસાર, જો 10 કલાકથી વધુ કામ કરવામાં આવે છે, તો કર્મચારીઓને ઓવરટાઇમ મળશે, પરંતુ અહીં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઓવરટાઇમ હોવા છતાં, શિફ્ટ 12 કલાકથી વધુ ન હોઈ શકે. આ ઉપરાંત, દરરોજ 6 કલાકથી વધુ કામ કરવા વચ્ચે કર્મચારીઓને 30 મિનિટનો વિરામ આપવો પણ જરૂરી છે. તેલંગાણા સરકાર આ આદેશ 8 જુલાઈના રોજ તેલંગાણા ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે.

સરકારના જણાવ્યા અનુસાર, અઠવાડિયામાં કામના કલાકો અંગે બનાવેલ આ કાયદો રાજ્યમાં વ્યવસાયને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો છે. આ અંતર્ગત, વાણિજ્યિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને ઓવરટાઇમ વેતન પર અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપી શકાય છે, પરંતુ કોઈપણ ક્વાર્ટરમાં 144 કલાકથી વધુ કામ કરવું પડશે નહીં. સરકારે સ્પષ્ટપણે એમ પણ કહ્યું છે કે જો આ શરતોનું પાલન કરવામાં નહીં આવે અથવા તેનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે, તો સંબંધિત કંપનીને આપવામાં આવેલી છૂટ રદ કરવામાં આવશે.

Telangana-Govt-Labor-Rules1
patrika.com

અત્રે ઉલ્લેખનીય છે કે, તેલંગાણા સરકારે એવા સમયે અઠવાડિયામાં કામના કલાકો અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી છે જ્યારે દેશમાં લાંબા સમયથી વર્ક લાઇફ બેલેન્સ પર ચર્ચા ચાલી રહી છે. ગયા વર્ષે, જ્યારે ઇન્ફોસિસના ચેરમેન N R નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપીને આ મુદ્દો ગરમાવો આપ્યો હતો, ત્યારપછી L&Tના ચેરમેન S N સુબ્રમણ્યમે બે પગલાં આગળ વધીને 90 કલાકના કાર્ય સપ્તાહની સલાહ આપી હતી, જેના માટે તેમની આકરી ટીકા થઈ હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.