રામદેવ-બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટનું ધરપકડ વોરંટ ઈશ્યુ, જાણો શું છે મામલો

On

આયુર્વેદિક દવા અંગે ભ્રામક દાવાઓના કિસ્સામાં યોગ ગુરુ રામદેવ અને દિવ્યા ફાર્મસીની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. કેરળની એક કોર્ટે અંગ્રેજી અને મલયાલમ અખબારોમાં ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાના કેસમાં તેમની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. આ વોરંટ દિવ્યા ફાર્મસી અને તેના સહ-સ્થાપક રામદેવ અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રામદેવ વિરુદ્ધ વોરંટ 16 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું. આ પલક્કડના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ II દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ કેસમાં આગામી તારીખ 1 ફેબ્રુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્ય ફાર્મસી પતંજલિ આયુર્વેદની સંલગ્ન કંપની છે.

આ કેસમાં ફરિયાદ ડ્રગ્સ અને જાદુઈ ઉપચાર (વાંધાજનક જાહેરાતો) અધિનિયમ, 1954ની કલમ 3, 3(b) અને 3(d) હેઠળ ડ્રગ ઇન્સ્પેક્ટરના અહેવાલના આધારે દાખલ કરવામાં આવી હતી. કલમ 3 ચોક્કસ રોગો અને વિકારોની સારવાર માટે ચોક્કસ દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. કલમ 3(d) એવી દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે, જે કાયદા હેઠળ બનાવેલા નિયમોમાં ઉલ્લેખિત કોઈપણ રોગ, વિકાર અથવા રોગની સ્થિતિનું નિદાન, ઉપચાર, શમન, સારવાર અથવા અટકાવવાનો દાવો કરે છે.

આ કેસમાં દિવ્યા ફાર્મસી કંપનીને પ્રથમ આરોપી બનાવવામાં આવી છે. આમાં આચાર્ય બાલકૃષ્ણને બીજા આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેની સાથે સંકળાયેલા રામદેવને આ કેસમાં ત્રીજા આરોપી બનાવવામાં આવ્યા છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં પણ તેમની સામે આવો જ એક કેસ ચાલી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવણી આપી હતી કે, જો તેઓ કાયદાની વિરુદ્ધ ભ્રામક જાહેરાતો અને તબીબી દાવાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અવમાનનાની કાર્યવાહી શરૂ કરશે. આ પછી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આધુનિક અથવા 'એલોપેથિક' દવાને લક્ષ્ય બનાવતા ભ્રામક દાવાઓ અને જાહેરાતો અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એલોપેથી જેવી આધુનિક દવા પ્રણાલીઓ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ પતંજલિ આયુર્વેદ ઉત્પાદનો સુપ્રીમ કોર્ટની તપાસ હેઠળ હતા. ત્યાર પછી, કોર્ટે પતંજલિ આયુર્વેદને એલોપેથીને બદનામ કરતી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા અને અમુક રોગોની સારવાર વિશે ખોટા દાવા કરવા બદલ અવમાનના નોટિસ પાઠવી હતી.

રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેર માફી માંગ્યા પછી, સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારી લીધી. ત્યાર પછી તેમની સામેના અવમાનનાના કેસ બંધ કરવામાં આવ્યા હતા.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.