24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી, ટેલિકોમ ઓપરેટરોએ ખાતરી કરવી પડશે કે ગ્રાહકો તેમના નામ પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ સિમ કાર્ડ ન મેળવી શકે. 17 ઓગસ્ટના રોજ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)એ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ એવા ગ્રાહકોની ઓળખ કરવા માટે તકનીકી અને વહીવટી પગલાં લે જે નક્કી મર્યાદા કરતા વધુ કનેક્શન લેવા માંગે છે.

વ્યક્તિ કેટલા સિમ કાર્ડ રાખી શકે છે?

વર્તમાન નિયમો હેઠળ, એક ગ્રાહક વિવિધ ટેલિકોમ ઓપરેટરો અને સેવા ક્ષેત્રોમાં કુલ 9 મોબાઇલ કનેક્શન રાખી શકે છે. જોકે, જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તરપૂર્વીય રાજ્યોના રહેવાસીઓ માટે મર્યાદા 6 કનેક્શનની છે. નવા નિયમો હેઠળ, ટેલિકોમ કંપનીઓએ નવો નંબર સક્રિય કરતા પહેલા ગ્રાહકના હાલના કનેક્શનની ચકાસણી કરવી પડશે. અરજદારોએ તેમના નામે પહેલાથી નોંધાયેલા મોબાઇલ નંબરોની વિગતો પણ આપવી પડશે, જેમાં અન્ય ઓપરેટરો અથવા વિવિધ સેવા ક્ષેત્રોમાં મેળવેલા કનેક્શનનો સમાવેશ થાય છે.

BPL
bhaskarenglish.in

DoT તેના ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP)નો ઉપયોગ કરીને ટેલિકોમ ઓપરેટરોની મદદ કરશે, જેથી એ જાણી શકાશે કે કોઇ ગ્રાહક નિર્ધારિત મર્યાદા સુધી પહોંચી ગયો છે કે નહીં. આ પ્લેટફોર્મ વિવિધ ટેલિકોમ કંપનીઓના ગ્રાહક ડેટાને એકત્રિત કરે છે. 23 ઓગસ્ટથી, DIP એવા ગ્રાહકોનો ફોટોગ્રાફ પણ બતાવશે, જેમણે સિમની મર્યાદા પૂરી કરી લીધી છે. આનાથી ઓપરેટરોને ચકાસણીનું વધુ એક માધ્યમ મળશે. ટેલિકોમ કંપનીઓને જરૂરી એકીકરણ પૂર્ણ કરવા અને તેમની સિસ્ટમોને આ પ્લેટફોર્મ સાથે જોડવા માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

sim-card2
prameyanews.com

જો ભૂલથી નિર્ધારિત મર્યાદા કરતા વધુ મોબાઇલ કનેક્શન ચાલૂ થઇ જાય છે, તો મામલો ઉકેલવા દરમિયાન તેને તાત્કાલિક એક દિવસ માટે સસ્પેન્ડ કરી શકાય છે. આવું 'ગ્રાહક અરજી ફોર્મ'ની શરતો અનુસાર કરવામાં આવશે. DoTએ જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ગ્રાહક નિર્ધારિત મર્યાદામાં રહે અને ટેલિકોમ ઓપરેટરો સતત નિયમોનું પાલન કરે.

About The Author

Related Posts

Top News

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ડૉ.સ્મિત પરમારના પત્ની ડૉ.ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કર્યાંના...
Gujarat 
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

હવે, છત્તીસગઢમાં કીટવિજ્ઞાન પરીક્ષા પેપર લીકનું ભૂત ધૂણ્યું છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ, ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં...
National 
વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી...
Business 
24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અંગેનું નવું અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી...
Gujarat 
હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.