જો રાજ્ય સહમત થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે, નાણામંત્રીએ જણાવી યોજના

બજેટ બહાર પાડ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવને GSTના દાયરામાં લાવવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એક TV ચેનલ સાથે વાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે સહમત થતા તેમણે કહ્યું કે, તે રાજ્ય સરકારો પર નિર્ભર છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારો પ્રસ્તાવ સાથે સંમત થાય અને તેમની વચ્ચે વ્યાજબી દર નક્કી કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય છે.

નાણામંત્રીએ કહ્યું કે, જો રાજ્ય સરકારો વચ્ચે સહમતિ સધાઈ જાય તો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય છે. તેમના પર VATને બદલે GST લાદવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો રાજ્ય સરકારો વચ્ચે નિયત દર પર સહમતિ થશે તો પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTમાં સામેલ કરવામાં આવશે. રાજ્યો સંમતિ આપે પછી તેને તરત જ લાગુ કરી શકાય છે.

જો પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવશે તો તેલના ભાવમાં ઘટાડો થશે. GSTના દાયરામાં આવ્યા પછી પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ ટેક્સને બદલે એક જ ટેક્સ લાગશે. જેના કારણે ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. દેશભરમાં તેની એક કિંમત હશે. GSTના દાયરામાં આવતાં, પેટ્રોલ અને ડીઝલ પર મહત્તમ 28 ટકા ટેક્સ લાગશે, જે વર્તમાન GST સ્લેબમાં સૌથી વધુ છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વર્ષ 2022માં જ પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો નિર્ણય રાજ્યો પર છોડી દીધો હતો. તે સમયે સરકારે કહ્યું હતું કે, જો રાજ્યો પગલાં લેશે તો કેન્દ્ર સરકાર તેના માટે તૈયાર છે, પરંતુ આ માટે રાજ્યો વચ્ચે કોઈ સહમતિ બનતી નથી.

હાલમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક રાજ્યમાં અલગ અલગ છે, કારણ કે દરેક રાજ્યોએ તેના પર અલગ-અલગ ટેક્સ નાંખ્યો છે. આના ઉપર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે, અંતિમ ગ્રાહક બે વાર ટેક્સ ચૂકવે છે, એકવાર રાજ્ય સરકારને અને પછી કેન્દ્રને. બંનેને GSTના દાયરામાં લાવવાનો અર્થ એ થશે કે સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ લાગુ થશે. અને આ રીતે સૈદ્ધાંતિક રીતે ભાવમાં ઘટાડો કરી શકાય છે.

PM નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદનો પર લગભગ 60 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, જેના કારણે રાજ્યને 2.5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે અને કેન્દ્રને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાથી, આ ઉત્પાદનો પર મહત્તમ 28 ટકાનો ટેક્સ સ્લેબ હશે, કારણ કે વર્તમાન ટેક્સ વ્યવસ્થામાં આ સૌથી વધુ સ્લેબ છે.

Related Posts

Top News

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.