જેટ એરવેઝ હવે ચાલુ નહીં થાય,કંપનીની નિષ્ફળતાના કારણો જાણો

એક જમાનામાં ભારતની નંબર વન ગણાતી જેટ એરવેઝ હવે ફરી ચાલું નહીં થાય. 7 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝને ફડચામાં લઇ જવાનો આદેશ આપ્યો છે. ફડચામાં લેવાનો મતલબ એ છે કે કંપનીની સંપત્તિ વેચીને દેવા અને જવાબદારી પુરી કરવી. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ જેલમાં હતા.

જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ એક જમાનામાં ભારતના સૌથી ધનિકોની યાદીમાં 16માં નંબર પર હતા અને તેમની નેટવર્થ તે વખતે 1.9 અરબ ડોલર હતી. કંપનીની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે, ઇન્ડિગો, સ્પાઇસ, ગો એરવેઝ જેવી કંપનીઓને ગંભીરતાથી ન લીધી. આ બધી કંપનીઓએ સસ્તી ટિકીટનો આખો બિઝનેસ કેપ્ચર કરી લીધો હતો. ઉપરાંત નરેશ ગોયલે ખોટી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને બેંકો પાસેથી લોન લઇને ઉચાપત કરી તેવો આરોપ લાગ્યો. ગોયલની 2023માં મની લોન્ડરીંગ અને ઉચાપતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.