નારાયણ મૂર્તિએ 4 મહિનાના પૌત્રને 240 કરોડ રૂપિયાની આ ભેટ આપી

On

મોટા લોકોની, મોટી વાતો, દરેક બાબતમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. લગ્ન હોય કે, જન્મદિવસ હોય તેમની ગિફ્ટની તો શું વાત કરવી! થોડા વર્ષો પહેલા નીતા અંબાણીના જન્મદિવસ પર તેમના પતિ અને અબજોપતિ મુકેશ અંબાણીએ એક આખું પ્લેન જ ગિફ્ટ કર્યું હતું. આ દિવસોમાં ચાર મહિનાના બાળકને કરોડોની કિંમતની ભેટ મળી હોવાની ચર્ચા છે. કારણ છે બાળકના દાદા જેમનું નામ નારાયણ મૂર્તિ છે. ઇન્ફોસિસના સહ-સ્થાપકએ તેમના પૌત્રને 240 કરોડ રૂપિયાથી વધુના શેરનો માલિક બનાવ્યો છે. એક જ ભેટે બાળકને કરોડપતિઓની યાદીમાં લાવીને મૂકી દીધું છે.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર સમાચારમાં છે. તેમણે તેમના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને કંપનીના રૂ. 240 કરોડના શેર ભેટમાં આપ્યા છે. એકાગ્ર માત્ર 4 મહિનાનો છે. આ સ્થિતિમાં તે દેશના સૌથી યુવા કરોડપતિ બની ગયો છે.

નારાયણ મૂર્તિ આજકાલ સમાચારોમાં છવાયેલા રહે છે. ક્યારેક 70 કલાક કામ કરવા અંગેના નિવેદન અંગે, તો ક્યારેક સુધા મૂર્તિ સાથેના કોઈ જૂના મુદ્દા પર. આ વખતે નારાયણ મૂર્તિ તેમના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિના કારણે સમાચારમાં આવ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, એક એક્સચેન્જ ફાઇલિંગ સામે આવ્યું છે. આમાં, એકાગ્ર ઇન્ફોસિસના 15 લાખ શેર ધરાવે છે, જે કંપનીમાં 0.04 ટકા હિસ્સાની બરાબર છે. ફાઈલિંગમાં એ પણ ખુલાસો થયો છે કે વ્યવહાર 'ઓફ-માર્કેટ' કરવામાં આવ્યો હતો.

એકાગ્રનો જન્મ નવેમ્બર 2023માં રોહન મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનને ત્યાં થયો હતો. તેઓ નારાયણ અને સુધા મૂર્તિના ત્રીજા પૌત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકાગ્રનું નામ કથિત રીતે મહાભારતમાં અર્જુનના પાત્રથી પ્રેરિત છે. એકાગ્ર સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ છે અતૂટ ધ્યાન અને દ્રઢ નિશ્ચય.

ઈન્ફોસિસની શરૂઆત 1981માં 10,000 રૂપિયાના રોકાણ સાથે કરવામાં આવી હતી અને આજે તે ભારતની બીજી સૌથી મોટી ટેક કંપની બની ગઈ છે. આ કંપનીએ કોર્પોરેટ ગવર્નન્સને એક નવું પરિમાણ આપ્યું અને ઉદ્યોગસાહસિકતાને લોકશાહી સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટ અનુસાર, ટેક કંપનીમાં નારાયણ મૂર્તિનો હિસ્સો વધીને 1.51 કરોડ શેર થઈ ગયો છે, જે પહેલા કરતા 0.04 ટકા ઓછો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, તેમના પરિવારને કંપનીથી અલગ રાખવાનો તેમનો ખોટો નિર્ણય હતો. તેથી, આ વખતે નારાયણ મૂર્તિએ તેમના પૌત્રને આટલી નાની ઉંમરથી કંપની સાથે જોડ્યા છે. તેમણે કહ્યું, 'મને લાગતું હતું કે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ એ છે કે, પરિવારને તેમાં સામેલ ન કરવું જોઈએ, કારણ કે તે દિવસોમાં મોટાભાગના વ્યવસાય પરિવારની માલિકીના હતા, જેમાં પરિવારના બાળકો આવીને કંપની ચલાવતા હતા. આમાં કોર્પોરેટ નિયમોનું ઘોર ઉલ્લંઘન થતું હતું.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.