રિલાયન્સ બોર્ડમાં અનંત અંબાણીની નિમણુંકનો વિરોધ, જાણો, કારણ

એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અનંત અંબાણી (Anant Ambani)ને સામેલ કરવાના મામલે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી રિલાયન્સ AGMમાં બોર્ડમાં આકાશ, ઈશા અને અનંત અંબાણીના સમાવેશને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે અનંત અંબાણીને રિલાયન્સ બોર્ડની બેઠક માટે બે કન્સલ્ટિંગ કંપનીઓના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, બંને આંતરરાષ્ટ્રીય પ્રોક્સી સલાહકાર ફર્મ Shareholder Services Inc (ISSI) અને મુંબઈ સ્થિત Institutional Investor Advisory Services India Limited (IIAS) એ બોર્ડમાં તેમની નિમણૂકને સમર્થન ન આપવા માટે અનંત અંબાણીની ઉંમરનું કારણ દર્શાવ્યું છે. આ બંને સલાહકાર કંપનીઓએ રિલાયન્સના શેરધારકોને મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નિયુક્ત કરવાના પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરવા ભલામણ કરી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ISSIએ 12 ઓક્ટોબરે એક નોટ જારી કરી હતી, જેમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ઉંમર અને અનુભવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ નોંધમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઓછી ઉંમરના અનંત અંબાણીનો 6 વર્ષનો લીડરશીપ અનુભવ તેમની નિમણુંકની દરખાસ્તની સામે વોટની ગેરંટી આપે છે. જો કે ISSIએ ઇશા અને આકાશની નિમણુંકને સમર્થન આપ્યું છે.

આ પહેલાં IIASએ 9 ઓકટોબરના એક રિપોર્ટમાં કહ્યું હતું કે 28 વર્ષના અનંત અંબાણીની નિમણક વોટિંગ ગાઇડસાઇન્સને અનુરુપ નથી.

રિલાયન્સ વતી અનંત અંબાણીની નિમણૂંકના વિરોધમાં બહાર આવેલી આ બંને પ્રોક્સી ફર્મ્સને કહેવામાં આવ્યું છે કે અનંત અંબાણીને બોર્ડમાં જોડાવા માટે સંબંધિત અનુભવ અને પરિપક્વતા છે, કારણ કે જૂથના વ્યવસાયમાં તેમની સક્રિય ભાગીદારી તેમજ તેમણે વર્ષોથી વરિષ્ઠ નેતૃત્વ પાસેથી તાલીમ મેળવી છે. આવી સ્થિતિમાં અનંત રિલાયન્સ બોર્ડની બેઠકોમાં યોગદાન આપવા સક્ષમ છે.

રિલાયન્સમાં સ્થાપકો 41 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે વિદેશી અને સ્થાનિક સંસ્થાઓ 40 ટકા હિસ્સો ધરાવે છે. તેઓએ પ્રોક્સી કંપનીઓના સૂચનો પર પોતાનો મત આપ્યો. શેરધારકોએ 26 ઓક્ટોબર 2023 સુધીમાં અનંત અંબાણીને બોર્ડમાં નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર પોતાનો મત આપવાનો રહેશે.

એક તરફ ISSI અને IIAS અનંત અંબાણીની નિમણૂXકના વિરોધમાં છે, તો બીજી તરફ અન્ય આંતરરાષ્ટ્રીય પ્રોક્સી ફર્મ ગ્લાસ લેવિસ અનંતને સમર્થન આપી રહી છે. આ ફર્મના ડિરેક્ટર ડેકી વિન્ડાર્ટોએ કહ્યું છે કે તેઓ માત્ર અનુભવના આધારે અનંત અંબાણીને અલગ નથી કરી રહ્યા. ગ્લાસ લેવિસે જણાવ્યું હતું કે મુકેશ અંબાણીના અન્ય બે બાળકો, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, જેઓ સમાન વ્યાવસાયિક અનુભવ ધરાવે છે, તેઓ અનંત અંબાણી કરતાં માત્ર ત્રણ વર્ષ મોટા છે, અને મતદાન કરવા માટે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.