RBIએ લોન એકાઉન્ટ્સ પર પેનલ્ટીના નિયમોમાં ફેરફાર કર્યા

RBIએ લોન એકાઉન્ટ્સ પર જે પેનલ્ટી લાગે છે તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. કેન્દ્રીય બેન્કે 18મી ઓગસ્ટના રોજ કહ્યું છે કે, બેન્ક પોતાના રેવન્યુને વધારવા માટે લોન એકાઉન્ટ્સ પર પેનલ્ટી ન લગાવી શકે. લોનના ગ્રાહકોના કોન્ટ્રાક્ટની શરતોના ઉલ્લંઘન પર બેન્ક તેના પર પેનલ્ટી લગાવે છે. RBIએ કહ્યું છે કે, બેન્કોએ નિયમોના ઉલ્લંઘન પર લગાવાતી પેનલ્ટીને પેનલ ચાર્જની કેટેગરીમાં રાખવી જોઇએ અને તેને પેનલ ઇન્ટરેસ્ટ તરીકે ન ગણવી જોઇએ. પેનલ ઇન્ટરેસ્ટ બેન્કોની લોન પર ઇન્ટરેસ્ટથી થતી કમાણીમાં જોડવામાં આવે છે.

કેન્દ્રીય બેન્કે સ્પષ્ટ કર્યું છે કે, પેનલ ચાર્જિસનું કેપિટલાઇઝેશન ન થવું જોઇએ. તેનો મતલબ છે કે, આ રીતના ચાર્જ પર ફરીથી ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન ન થવું જોઇએ. આમ કરવા પર લોન એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટના કંપાઉન્ડિંગની સામાન્ય પ્રોસિજર પર અસર ન પડશે. RBIએ જોયું હતું કે, કેટલીક બેન્ક એપ્લિકેબલ ઇન્ટરેસ્ટ રેટ્સ પર પેનલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ લગાવી રહી છે. આમ ગ્રાહકોની લોન પર ડિફોલ્ટ કરવા કે પછી લોનની શરતોના ઉલ્લંઘન પર કરવામાં આવે છે.

કેન્દ્રીય બેન્કે કહ્યું કે, જોકે પેનલ ઇન્ટરેસ્ટ લગાવવાનો હેતુ ગ્રાહકોમાં લોનના રીપેમેન્ટ પર અનુસાશન લાવવાનો છે. પણ સુપરવાયઝરી રિવ્યુથી ખબર પડે છે કે, બેન્ક તેના વિશે અલગ અલગ રીતે પ્રેક્ટિસિઝનો ઉપયોગ કરે છે. એવામાં ચાર્જ લાગવાનો હેતુ રેવન્યુ વધારવાનો ન હોવો જોઇએ. સાથે જ ઇન્ટરેસ્ટ લોનની શરતમાં બતાવવામાં આવેલા ઇન્ટરેસ્ટથી વધારે ન હોવું જોઇએ.

RBIનું આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે, કેટલાક ગ્રાહકોએ બેન્કના પેનલ્ટી લગાવવામાં પારદર્શિતાના અભાવની ફરિયાદો કરી છે. કેન્દ્રીય બેન્કે આખી સ્થિતિ પર ધ્યાન આપ્યા બાદ બેન્કોને એમ કહ્યું છે કે, તેમણે રેટ ઓફ ઇન્ટરેસ્ટને લઇને કોઇ પ્રકારના કોમ્પોનેન્ટની શરૂઆત ન કરવી જોઇએ. તેમણે એક રીતે આ ગાઇડલાઇન્સના પાલનના પ્રયાસો કરવા જોઇએ. તે સિવાય બેન્કોના પેનલ ચાર્જિસ કે લોન પર આ પ્રકારની પેનલ્ટી માટે બોર્ડના એપ્રૂવલથી પોલિસી બનાવવી જોઇએ.

RBIએ 18મી ઓગસ્ટના રોજ કહ્યું છે કે, પેનલ ચાર્જિસની ક્વોન્ટિટી ઉચિત હોવી જોઇએ અને તે લોનની શરતોના ઉલ્લંઘનના હિસાબે હોવી જોઇએ. કોઇ ખાસ લોન કે પ્રોડક્ટ કેટેગરીની અંદર આ કેસમાં કોઇ પ્રકારનો ભાદભાવ ન હોવો જોઇએ. કેન્દ્રીય બેન્કે એક મહત્વની વાત એ કરી છે કે, ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકોને આપવામાં આવેલી લોનના કેસમાં પેનલ ચાર્જિસ નોન ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકોના પેનલ ચાર્જિસથી વધારે ન હોવા જોઇએ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.