ભારતના નવા કાયદા મુજબ એપલ પર લાગી શકે છે રૂ. 3 લાખ કરોડનો દંડ

દુનિયાની સૌથી મોટી અમેરિકન ટેક કંપની એપલની ભારતમાં મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આ જ કારણ છે કે, કંપની નવા નિયમનો વિરોધ કરી રહી છે અને તેને પડકારવા માટે કોર્ટમાં ગઈ છે. જોકે ભારતમાં હજુ સુધી એપલ પર દંડ ફટકારવામાં આવ્યો નથી, પરંતુ સ્પર્ધા વિરોધી કાયદાઓમાં ફેરફારને કારણે તેના પર 38 બિલિયન ડૉલરના દંડનું જોખમ તોળાયેલું છે. ભારતીય રૂપિયામાં તેને બદલવામાં આવે તો, આ રકમ આશરે રૂ. 320,000 કરોડ થાય છે.

આ અગાઉ, ભારતમાં આ દંડ ફક્ત એ વ્યવસાય પર લગાવવામાં આવતો હતો જે વ્યવસાય ભારતમાં કરવામાં આવતો હોય. એટલે કે એપલના કિસ્સામાં, ફક્ત એપ સ્ટોર ભારતની આવક પર. આ રકમ ખૂબ જ ઓછી હોત. જો કે, કાયદામાં કરવામાં આવેલા ફેરફાર સાથે, CCI (ભારતીય સ્પર્ધા પંચ)ને દંડ માટે કંપનીના સમગ્ર વૈશ્વિક આવકનો ઉપયોગ કરવાની સત્તા આપવામાં આવી હતી.

03

બદલાયેલા આ નિયમથી આ ખતરો આટલી મોટી રકમ સુધી પહોંચી ગયો છે. આ જ કારણ છે કે એપલ ગભરાઈ ગઈ છે અને હવે તેણે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ચાલો જોઈએ કે આ કેસ કેવી રીતે શરૂ થયો અને તેની પાછળની મૂળ વાત શું છે.

આ વિવાદ એપલની એપ સ્ટોર નીતિઓને કારણે ઉભો થયો હતો. ભારતીય ડેવલપર્સે ફરિયાદ કરી હતી કે, આઇફોન વપરાશકર્તાઓ ફક્ત એપલના એપ સ્ટોરમાંથી જ એપ્સ ડાઉનલોડ કરી શકે છે. એપલની ચુકવણી સિસ્ટમ પણ એપલના નિયમો હેઠળ કાર્ય કરે છે, અને કમિશન પણ તેના નિયમો અનુસાર ચાલે છે. આના કારણે ભારતીય ડેવલપર્સને નુકસાન પણ થતું હોય છે.

ડેવલપર્સને લાગ્યું કે આ બજાર પર અયોગ્ય નિયંત્રણ છે. CCIએ આ ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી. આ તપાસમાં એપલ તેની સત્તાનો દુરુપયોગ કરી રહી છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા. આ તપાસને કારણે કેસને દંડના ઘેરામાં લાવવામાં આવ્યો.

02

જ્યારે તપાસ શરૂ થઈ, ત્યારે એપલ જાણતી હતી કે કોઈપણ દંડ ફક્ત તેના ભારતીય વ્યવસાય પર લાગુ થશે. જોકે, 2023માં, સ્પર્ધા કાયદામાં સુધારો કરવામાં આવ્યો. સરકારે CCIને કંપનીના વૈશ્વિક ટર્નઓવરના 10 ટકા સુધી દંડ લાદવાની નવી સત્તાઓ આપી.

એપલ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક છે, જેની વૈશ્વિક આવક ટ્રિલિયન ડૉલરમાં છે. તેથી, દસ ટકા સીધા 38 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયા. તપાસ ભારતમાં છે, પરંતુ ખતરો પુરી વૈશ્વિક આવક સુધી વિસ્તરી ગયો છે. આખી રમત અહીં જ પલટી ગઈ.

એપલ દલીલ કરે છે કે, જો તપાસ એપ સ્ટોર ભારતની નીતિઓ વિશે છે, તો દંડ પણ તેના આવકના તે ભાગ પર લગાવવો જોઈએ. કંપની કહે છે કે ભારતનો નવો નિયમ તેની સામે એક પ્રકારની સજા જેવો છે. એપલ એવી પણ દલીલ કરે છે કે, સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ચુકાદો આપ્યો છે કે, સંબંધિત ટર્નઓવર પર દંડ લાદવો જોઈએ, એટલે કે, ફક્ત તે વ્યવસાયના આવક પર જેમાં સમસ્યા મળી આવી હતી. એપલ કહે છે કે, ભારતની નવી સિસ્ટમ આ સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે અને તેથી તેને અટકાવવી જોઈએ.

04

CCIનું વલણ સંપૂર્ણપણે અલગ છે. તે કહે છે કે, નાના દંડનો મોટી ટેક કંપનીઓ પર કોઈ પ્રભાવ પડતો નથી. તેમના વ્યવસાયો એટલા વિશાળ છે કે સ્થાનિક આવક પર દંડ લાદવો બિનઅસરકારક છે. તેથી, મોટી કંપનીઓ ભારતીય કાયદાને ગંભીરતાથી લે તે સુનિશ્ચિત કરવા માટે નવો નિયમ રજૂ કરવામાં આવ્યો હતો. ભારત દલીલ કરે છે કે, જો કંપનીઓ વૈશ્વિક સ્તરે કાર્ય કરે છે, તો કાયદાની પણ સમાન અસર થવી જોઈએ.

આ મામલો હવે કોર્ટમાં છે. જો કોર્ટ એપલની દલીલ સ્વીકારે છે, તો ખતરો વર્ચ્યુઅલ રીતે દૂર થઈ જશે. દંડ ફરી એકવાર ભારત સ્થિત વ્યવસાયો સુધી મર્યાદિત રહેશે. પરંતુ, જો કોર્ટ ભારતના નવા નિયમને સમર્થન આપે છે, તો CCIને વિશ્વની સૌથી મજબૂત દંડનીય શક્તિઓ પ્રાપ્ત થશે. આ અસર ફક્ત એપલ પૂરતી મર્યાદિત રહેશે નહીં. ગૂગલ, મેટા અને એમેઝોન જેવી અન્ય ટેક કંપનીઓએ પણ આ જ પ્રકારે તેનો સામનો કરવો પડશે.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.