રુપિયાનું ઘટવું, RBIના ગવર્નર બોલ્યા- કેમ ગભરાઈએ? સામે રાખ્યા 30 વર્ષના આંકડા

અર્થતંત્ર મજબૂત છે, પરંતુ રૂપિયો ઘટી રહ્યો છે. શું આ જોખમનો સંકેત નથી? RBIના ગવર્નર સંજય મલ્હોત્રાનું કહેવું છે કે રૂપિયાની નબળાઈ છતા ભારતીય અર્થતંત્રએ મજબૂતી દર્શાવી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 2025માં અત્યાર સુધીમાં રૂપિયામાં લગભગ 4.68%નો ઘટાડો થયો છે, પરંતુ તેની અર્થતંત્ર પર ગંભીર અસર નહીં પડે.

સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે આ વર્ષે રૂપિયાના ઘટાડા પાછળ ઘણા કારણો છે, જેમાં મજબૂત અમેરિકન ડોલર, વિદેશી ભંડોળનો ઉપાડ અને ભારત-અમેરિકા વેપાર ટેરિફ ડીલમાં વિલંબનો સમાવેશ થાય છે. જોકે, RBIનું માનવું છે કે ઘણા ક્ષેત્રો સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેથી અર્થતંત્ર પર કોઈ અસર નહીં થાય.

sanjay-malhotra3
deccanchronicle.com

ઇન્ડિયા ટૂડે સાથે વાત કરતા મલ્હોત્રાએ કહ્યું કે છેલ્લા 20 વર્ષોમાં રૂપિયાના અવમૂલ્યનને જોતા 2025માં કોઈ મોટી વધઘટ થઈ નથી. છેલ્લા 10 વર્ષોમાં રૂપિયામાં દર વર્ષે લગભગ 3% અને પાછલા 20 વર્ષોમાં લગભગ 3.4%નો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, 16 ડિસેમ્બરે રૂપિયો યુએસ ડોલરની તુલનમાં 91.16 ના રેકોર્ડ નીચા સ્તરે ગગડી ગયો. 2025 સુધીમાં ચલણમાં 4.68%નો ઘટાડો થયો છે, જેના કારણે તે એશિયન ચલણોમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ બન્યું હતું.

રૂપિયાના ઘટાડાનું બીજું એક મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે સ્થાનિક ફુગાવામાં ઘટાડો થવાને કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પહેલા કરતા ઓછી આક્રમક હસ્તક્ષેપ રણનીતિના અપનાવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘RBI ચલણ બજારમાં દૈનિક વધઘટને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, રૂપિયાનું વર્તમાન સ્તર કોઈ મોટી ચિંતાનો વિષય નથી અને સરકાર પણ તેના પર નજર રાખી રહી છે. સરકાર પોતાની રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

sanjay-malhotra
aajtak.in

RBI ગવર્નરે જણાવ્યું હતું કે નવેમ્બરમાં સોનું, તેલ અને કોલસાની આયાતમાં ઘટાડાને કારણે વેપારનું નુકસાન 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું હતું. તો, ગયા મહિને અમેરિકામાં ભારતીય નિકાસ માસિક 10% અને વાર્ષિક ધોરણે 21% વધી હતી, જે વિદેશી માંગમાં સુધારો દર્શાવે છે.

RBIના આંકડા અનુસાર, ભારત પાસે લગભગ 11 મહિનાનો આયાત કવરેજ છે, અને બાહ્ય દેવાનો કવરેજ લગભગ 92% છે, જેનાથી બેંકોને બાહ્ય જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ બનાવે છે. વિશ્લેષકોના મતે, ભારતીય રૂપિયાના ઘટાડાને વૈશ્વિક પરિબળો સાથે જોડવામાં આવી રહ્યો છે, જેમ કે અમેરિકામાં ઊંચા વ્યાજ દરો અને ડોલરમાં મજબૂતીમાંથી બહાર આવવું. આ પરિસ્થિતિ ન માત્ર ભારત માટે, પરંતુ ઘણા ઉભરતા બજારો માટે સામાન્ય રહી છે. જો કે, RBIએ સંકેત આપ્યો છે કે તે નાણાકીય અને વિનિમય દર નીતિમાં સતત સંતુલન બનાવી રાખશે, જેથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા યથાવત રહે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.