RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને આપી રાહત, હવે આટલી રકમ કાઢી શકશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ પર સર્વશ્રેષ્ઠ દિશાનિર્દેશો (AID) લાગૂ કર્યા હતા અને બેંકને નિર્દેશ આપ્યો હતો કે બચત બેંક કે ચાલુ ખાતા કે કોઇ અન્ય ખાતામાંથી કોઇ પણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપે. ત્યારબાદ રિઝર્વ બેંકે બેંકના બોર્ડને હટાવી દીધું અને સલાહકાર સમિતિ (CoA)ની નિમણૂક કરી જેમ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ એક અખબારી જાહેરાતમાં જાહેર કરવામાં આવી હતી. પ્રશાસકના પરામર્શથી બેન્કની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી, 2025 થી પ્રતિ જમાકર્તા 25,000 (માત્ર પચીસ હજાર રૂપિયા) સુધીની ડિપોઝિટ ઉપાડની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

New-India-Cooperative-Bank

ATM દ્વારા પણ ઉપાડી શકો છો

સમાચાર અનુસાર, આ છૂટ સાથે, કુલ જમાકર્તામાંથી 50 ટકાથી વધુ તેમની પૂરી બાકી રકમ ઉપાડી શકશે અને બાકીના જમાકર્તા પોતાના જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. જમાકર્તા આ ઉપાડ માટે બેંકની શાખા સાથે-સાથે ATM ચેનલનો ઉપયોગ કરી શકે છે. જો કે, ઉપાડી શકાય તેવી કુલ રકમ જમાકર્તા દીઠ 25,000 રૂપિયા કેવા તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ બેમાંથી જે ઓછું હોય તે હશે.

RBIએ આ મહિને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને 12 મહિના માટે ભંગ કરી દીધું હતું. RBIએ SBIના પૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એડમિનિસ્ટ્રેટરને મદદ કરવા માટે સલાહકારોની એક સમિતિની પણ રચના કરી છે.

New-India-Cooperative-Bank1

બેંકના CEOની થઈ ચૂકી છે ધરપકડ

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ બેંકના પૂર્વ CEO અભિમન્યુ ભોઅન (45)ની ધરપકડ કરી લીધી છે. તેઓ 2008થી બેંક સાથે જોડાયેલા હતા. તેઓ શરૂઆતમાં બેંકના ITના વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2019માં તેઓ બેંકના CEO બન્યા હતા.

Top News

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'

PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
National 
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Copyright (c) Khabarchhe All Rights Reserved.