RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને આપી રાહત, હવે આટલી રકમ કાઢી શકશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ પર સર્વશ્રેષ્ઠ દિશાનિર્દેશો (AID) લાગૂ કર્યા હતા અને બેંકને નિર્દેશ આપ્યો હતો કે બચત બેંક કે ચાલુ ખાતા કે કોઇ અન્ય ખાતામાંથી કોઇ પણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપે. ત્યારબાદ રિઝર્વ બેંકે બેંકના બોર્ડને હટાવી દીધું અને સલાહકાર સમિતિ (CoA)ની નિમણૂક કરી જેમ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ એક અખબારી જાહેરાતમાં જાહેર કરવામાં આવી હતી. પ્રશાસકના પરામર્શથી બેન્કની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી, 2025 થી પ્રતિ જમાકર્તા 25,000 (માત્ર પચીસ હજાર રૂપિયા) સુધીની ડિપોઝિટ ઉપાડની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

New-India-Cooperative-Bank

ATM દ્વારા પણ ઉપાડી શકો છો

સમાચાર અનુસાર, આ છૂટ સાથે, કુલ જમાકર્તામાંથી 50 ટકાથી વધુ તેમની પૂરી બાકી રકમ ઉપાડી શકશે અને બાકીના જમાકર્તા પોતાના જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. જમાકર્તા આ ઉપાડ માટે બેંકની શાખા સાથે-સાથે ATM ચેનલનો ઉપયોગ કરી શકે છે. જો કે, ઉપાડી શકાય તેવી કુલ રકમ જમાકર્તા દીઠ 25,000 રૂપિયા કેવા તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ બેમાંથી જે ઓછું હોય તે હશે.

RBIએ આ મહિને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને 12 મહિના માટે ભંગ કરી દીધું હતું. RBIએ SBIના પૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એડમિનિસ્ટ્રેટરને મદદ કરવા માટે સલાહકારોની એક સમિતિની પણ રચના કરી છે.

New-India-Cooperative-Bank1

બેંકના CEOની થઈ ચૂકી છે ધરપકડ

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ બેંકના પૂર્વ CEO અભિમન્યુ ભોઅન (45)ની ધરપકડ કરી લીધી છે. તેઓ 2008થી બેંક સાથે જોડાયેલા હતા. તેઓ શરૂઆતમાં બેંકના ITના વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2019માં તેઓ બેંકના CEO બન્યા હતા.

About The Author

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.