RBIએ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકોને આપી રાહત, હવે આટલી રકમ કાઢી શકશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 13 ફેબ્રુઆરી, 2025ના રોજ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ પર સર્વશ્રેષ્ઠ દિશાનિર્દેશો (AID) લાગૂ કર્યા હતા અને બેંકને નિર્દેશ આપ્યો હતો કે બચત બેંક કે ચાલુ ખાતા કે કોઇ અન્ય ખાતામાંથી કોઇ પણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપે. ત્યારબાદ રિઝર્વ બેંકે બેંકના બોર્ડને હટાવી દીધું અને સલાહકાર સમિતિ (CoA)ની નિમણૂક કરી જેમ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ એક અખબારી જાહેરાતમાં જાહેર કરવામાં આવી હતી. પ્રશાસકના પરામર્શથી બેન્કની તરલતાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ, રિઝર્વ બેંકે 27 ફેબ્રુઆરી, 2025 થી પ્રતિ જમાકર્તા 25,000 (માત્ર પચીસ હજાર રૂપિયા) સુધીની ડિપોઝિટ ઉપાડની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

New-India-Cooperative-Bank

ATM દ્વારા પણ ઉપાડી શકો છો

સમાચાર અનુસાર, આ છૂટ સાથે, કુલ જમાકર્તામાંથી 50 ટકાથી વધુ તેમની પૂરી બાકી રકમ ઉપાડી શકશે અને બાકીના જમાકર્તા પોતાના જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. જમાકર્તા આ ઉપાડ માટે બેંકની શાખા સાથે-સાથે ATM ચેનલનો ઉપયોગ કરી શકે છે. જો કે, ઉપાડી શકાય તેવી કુલ રકમ જમાકર્તા દીઠ 25,000 રૂપિયા કેવા તેમના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ બેમાંથી જે ઓછું હોય તે હશે.

RBIએ આ મહિને ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને 12 મહિના માટે ભંગ કરી દીધું હતું. RBIએ SBIના પૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની બેંકના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એડમિનિસ્ટ્રેટરને મદદ કરવા માટે સલાહકારોની એક સમિતિની પણ રચના કરી છે.

New-India-Cooperative-Bank1

બેંકના CEOની થઈ ચૂકી છે ધરપકડ

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ બેંકના પૂર્વ CEO અભિમન્યુ ભોઅન (45)ની ધરપકડ કરી લીધી છે. તેઓ 2008થી બેંક સાથે જોડાયેલા હતા. તેઓ શરૂઆતમાં બેંકના ITના વાઇસ પ્રેસિડેન્ટ હતા. વર્ષ 2019માં તેઓ બેંકના CEO બન્યા હતા.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.