લોનના હપ્તા નહીં ભરનાર સામે SBIનું અનોખું અભિયાન,ચારેકોર ચર્ચા

શું તમે દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહક છો અને શું તમે અહીંથી કોઈ પ્રકારની લોન લીધી છે? તો અમે તમને જણાવી દઈએ કે આ લોનની EMI સમયસર ભરો, જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો તમને ચોકલેટ મોકલવામાં આવશે. આ વાંચીને તમે ચોંકી જશો. પરંતુ સ્ટેટ બેંકે હવે લોન રિકવરી માટે અથવા EMI બાઉન્સ થવાની સ્થિતિના નિવારણ માટે SBIએ બેંક રિકવરી એજન્ટ કે કર્મચારીઓ દ્વારા ગ્રાહકો પર પ્રેસર ઉભું કરવાનું બદલે ચોકલેટ આપીને ગાંધીગીરિ કરીને રકમ વસુલવાનો અનોખો પ્લાન બનાવ્યો છે.

ન્યૂઝ એજન્સી PTI ના જણાવ્યા મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ખરેખર લોન ગ્રાહકોને રીમાઇન્ડર મોકલવા માટે આ પદ્ધતિ અપનાવી છે જેઓ તેમની EMI ચૂકવવામાં આનાકાની કરે છે અથવા સમયસર હપ્તા ચૂકવતા નથી. સ્ટેટ બેંક આ રીતે સારી લોન રિપેમેન્ટ કલેક્શનની અપેક્ષા રાખે છે. SBI અનુસાર, આ રીતે લોકોને યાદ અપાવવામાં આવશે કે લોનની EMI સમયસર ચૂકવણી કરવી જરૂરી છે. જો કે, બેંકનું કહેવું છે કે આ રીત હજુ પાયલોટ સ્ટેજ પર શરૂ કરવામાં આવી રહી છે.

બેંકમાંથી લોન લીધા પછી જો કોઇ ગ્રાહક તેનો મહિનાનો હપ્તો ચૂકવવાનું ભુલી જાય છે અથવા બેંકને એવી આશંકા હોય કે ગ્રાહક ડિફોલ્ટ કરી શકે છે.તો એવા ગ્રાહકોના ઘરે SBI ચોકલેટ મોકલશે અથવા ચોકલેટનો એક ડબ્બો લઇને SBIનો કર્મચારી ગ્રાહકના ઘરે જશે. સંબંધિત ગ્રાહકને એવું યાદ અપાવવામાં આવશે કે તમારો હપ્તો ભરવાનો બાકી છે.

બેંકોમાંથી રિટેલ લોન લેનારા ગ્રાહકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને તેની સાથે જ EMI ડિફોલ્ટના કિસ્સા પણ વધવા માંડ્યા છે.જેને કારણે દરેક બેંકો રિપેમેન્ટ માટે જાત જાતના પ્રયાસ કરે છે. એ જ દિશામાં સ્ટેટ બેંકે પણ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે.

સામાન્ય રીતે જ્યારે કોઇ ગ્રાહક લોનનો હપ્તો ચુકી જાય છે ત્યારે બેંકો SMS અથવા કોલ કરીને ગ્રાહકોને રિમાઇન્ડર કરતી રહેતી હોય છે. પરંતુ કેટલાંક ગ્રાહકો એવા હોય છે જે બેંકના ફોન પણ રિસીવ નથી કરતા, કોઇ જવાબ પણ નથી આપતા હોતા અને હપ્તો પણ નથી ભરતા.

હવે SBI આ ગ્રાહકોની સમસ્યાના નિવારણ માટે ચોકલેટ અભિયાન શરૂ કર્યું છે. સ્ટેટ બેંકના રિટેલ લોનના ડેટા પર એક નજર નાંખીએ તો જૂન 2023ના ત્રિમાસિક ગાળામાં બેંકે કુલ 12,04,279 કરોડ રૂપિયાની લોન આપી હતી. જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં આ આંકડો 10,34,111 કરોડ રૂપિયા હતો. જેમાં વર્ષની અંદર 1,70,168 કરોડ રૂપિયાનો વધારો થયો. આપેલી લોનની સરખામણીમાં કુલ ઉધારી 33,03,731 કરોડ રૂપિયા હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.