પત્ની કમાય છે, હું ખર્ચું છું...આમાં આંખો ઝુકાવવા જેવી શું વાત છે? યુવતીએ કહ્યું

એક બહુ જૂની કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આના ઘણા ઉદાહરણો તમે તમારી આસપાસ જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા મોટા ઉદ્યોગપતિઓ પણ પોતાની પત્નીઓ પાસેથી આર્થિક મદદ લઈને સફળતાની સીડી ચડી ચૂક્યા છે. આમ તો આપણા સમાજનું માનવું એવું છે કે અહીં જો કોઈ સ્ત્રી તેના પતિ કરતાં વધુ કમાય છે, તો એવું માનવામાં આવે છે કે તે તેના પતિના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. તો કેટલાક લોકો એવા છે જેમણે તેમની પત્નીઓની મદદ લેવામાં કોઈ ખચકાટ નથી બતાવ્યો અને આખી દુનિયા તેમને જાણે છે.

હકીકતમાં, એક સમાચાર પર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે શું પુરુષને તેની પત્નીની કમાણીથી આગળ વધવું યોગ્ય નથી? આ શાર્ક ટેન્કના એપિસોડ પછી, જેમાં જૂતા બનાવતી એક સ્ટાર્ટઅપ ફ્લેટહેડ્સના ફાઉન્ડરે ભાવુક થઈને કહ્યું હતું કે, પત્ની કમાય છે, હું ઉડાવું છું. શોમાં આ વાત તેમને થોડી નિરાશા સાથે કહી હતી. આ પછી એક ઋચા સિંહ નામની ટ્વિટર યુઝરે આ સમગ્ર મામલે ટ્વિટર થ્રેડ લખીને કહ્યું કે આમાં કંઈ ખોટું નથી અને આ પહેલા પણ ઘણા ઉદ્યોગપતિઓ આવું કરી ચૂક્યા છે.

તેણે લખ્યું, પત્ની કમાય છે, હું ઉડાવું છું. આ વાત ગણેશ બાલક્રિષ્નન (ફ્લેથહેડ્સના સંસ્થાપક) દ્વારા સહેજ શરમાળ સ્મિત સાથે કહી હતી. મને સમજાયું કે આપણા સમાજમાં કેવી રીતે પત્નીની કમાણી પર જીવવાને નીચું જોવામાં આવે છે. તેણે આ થ્રેડને આગળ લઈ જઈને તેમણે લખ્યું, માત્ર ગણેશ જ નહીં, અન્ય બે સફળ ઉદ્યોગપતિઓએ પણ તેમની પત્નીઓ પાસેથી આર્થિક મદદ લીધી હતી. પ્રથમ, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ. તેમણે તેમની પ્રથમ કંપનીની નિષ્ફળતા પછી તેમની પત્ની સુધા મૂર્તિ પાસેથી મૂડી લઈને ઇન્ફોસિસ શરૂ કરી. બીજા, ઓલાના ભાવિશ અગ્રવાલ. તેમની પત્ની રાજલક્ષ્મી અગ્રવાલે શરૂઆતના દિવસોથી જ તેમને મદદ કરી હતી. જ્યારે ઓલા એક નવું સ્ટાર્ટઅપ હતું, ત્યારે ભાવિશ કસ્ટમરના રિક્વેસ્ટ પૂરી કરવા માટે રાજલક્ષ્મી પાસેથી તેની ગાડી માંગતો હતો. ઋચાએ લખ્યું, હું ગણેશની પત્નીને પણ તેના પતિનો ઉત્સાહ જાળવી રાખવા બદલ અભિનંદન આપવા માંગુ છું.

ઋચાના આ ટ્વીટને ઘણો સપોર્ટ મળ્યો છે. ઘણા યુઝર્સે કેટલાક અન્ય બિઝનેસમેનના નામ જણાવ્યા જેઓ તેમની પત્નીઓની મદદથી આગળ આવ્યા હતા. એક યુઝરે લખ્યું કે, સંજીવ ભીચંદાનીએ Naukri.com શરૂ કરવા માટે પત્નીની મદદ પણ લીધી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.