પતંજલિએ માફી માગી, કોર્ટને કહ્યું- આવી જાહેરાતો નહીં બતાવીએ

ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ પતંજલિએ માફી માગી લીધી છે. પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કોઈ પણ શરત વગર માફી માગી લીધી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણએ કહ્યું હતું કે, તેઓ હવેથી આવી ભૂલ બીજી વાર નહીં કરે. સુપ્રીમ કોર્ટે રામદેવની સાથે બાલકૃષ્ણને પણ 2 એપ્રિલના રોજ વ્યક્તિગત રીતે રજૂ થવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ બાદ પણ દવાની ભ્રામક જાહેરાત પતંજલિએ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ આજે પતંજલિએ માફી માગતા કહ્યું હતું કે, હવે તેઓ આવી જાહેરાત નહીં દર્શાવે

બાબા રામદેવ પર સુપ્રીમ કોર્ટ કેમ લાલચોળ થઇ ગઇ?

મંગળવારે સુપ્રીમ કોર્ટે પતંજલિના બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બે સપ્તાહની અંદર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પહેલા 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિ આર્યુવેદની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જાહેરાતોમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા અને સ્થૂળતા જેવા રોગોને લગતી હતી. જાહેરાત એવા પ્રકારની હતી કે લોકો આધુનિક દવા લેવાનું બંધ કરે અને પતંજલિની આર્યુવેદિક દવા અપનાવે.

પતંજલિની જાહેરાતો ભ્રામક છે એવા આરોપ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ 2022માં ફરિયાદ દાખલ કરેલી છે. 27 ફેબ્પુઆરીએ જજ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચે પતંજલિને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ જવાબ માંગ્યો હતો, કારણકે, કોર્ટના પ્રતિબંધ છતા પતંજલિને એ જાહેરાતો ચાલુ રહી હતી.

તાજેતરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને હાજર રહેવા આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, હાજર નહીં રહેશો તો પરિણામ ભોગવવા પડશે. સાથે કોર્ટે કહ્યું કે, કોર્ટની અવગણના કરવા પર તમારી સામે તિરસ્કારની ફરિયાદ કેમ ન દાખલ કરવી જોઇએ?

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.