જેમની પાસે બેંક ખાતું નથી, તેઓ 2000 રૂપિયાની નોટ ક્યાં અને કેવી રીતે બદલી શકશે?

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે 2000 રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે રૂ. 2000ની નોટો માન્ય રહેશે અને અન્ય મૂલ્યોની નોટો માટે સરળતાથી બદલી શકાશે. આ માટે તારીખ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 2000 રૂપિયાની નોટને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા છે. આમાંથી એક એ છે કે, જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ 2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલી શકશે? 

RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંક પાસેથી બદલવી પડશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો ગ્રાહકોને આપવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. 

હવે સવાલ એ છે કે, શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એમ પણ કહ્યું છે કે, નોટ બદલવાની સુવિધા મફતમાં મળશે. 

20 હજાર રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટ એક સમયે બદલાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે 'ક્લીન નોટ પોલિસી' હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ RBI ધીમે ધીમે બજારમાંથી રૂપિયા  2000ની નોટો પાછી ખેંચી લેશે. સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં 3.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે. પરંતુ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે. 

RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે, જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. આ સમયમર્યાદા પૂરી થયા પછી RBI ના માધ્યમથી બદલી શકાય છે. 30 સપ્ટેમ્બર પછી, 2000 રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં. 

RBIએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.