શું પેટ્રોલ- ડીઝલ સસ્તા થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ સુરીએ સોમવારે India Energy Week 2023ને સંબોધિત કરતા કહ્યુ કે વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ગ્રાહક દેશ ભારત છે અને જ્યાંથી પણ વ્યાજબી ભાવે ઓઇલ મળશે ત્યાંથી ભારત  ઓઇલ ખરીદશે. India Energy Week ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને આપણા નાગરિકો માટે સુલભતા સુનિશ્ચિત કરે છે અને વૈશ્વિક ઉર્જા સંક્રમણમાં ભારતની ભૂમિકા માટે PM મોદીના લાંબા ગાળાના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

પેટ્રોલિયમ મંત્રી પુરીએ જણાવ્યું હતું કે, દેશ તેની કુલ તેલ જરૂરિયાતોના 85 ટકા અને કુદરતી ગેસની 50 ટકા આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે શેરડી અને અન્ય કૃષિ પેદાશોમાંથી મેળવવામાં આવતા ઇથેનોલને પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. પુરીએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનું સરકારનું લક્ષ્ય છે. ગ્રીન એનર્જિના ક્ષેત્રમાં ભારતના વધતા પગલાને દર્શાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં India Energy Week 2023નું ઉદઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, ઉર્જા ક્ષેત્રે ભારત ખુબ ઝડપથી આગળ આવી રહ્યું છે અને આ ક્ષેત્રમાં હજુ અભૂતપૂર્વ સંભાવનાઓ છે. PM મોદીએ કહ્યુ કે, કોરાના મહામારી અને યુદ્ધની અસર હોવા છતા વર્ષ 2022માં ભારત એક ચમકતો સિતારો બની રહ્યું છે.

ભારત વર્ષ 2006-2007માં 27 દેશોમાંથી ઓઇલ આયાત કરતું હતુંIndia Energy Week 2023માં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે, ભારત ઓઇલની ખરીદી મામલે પોતાના મોટા માર્કેટનો ઉપયોગ કરશે. તેમણે કહ્યુ કે, અમે માર્કેટ કાર્ડનો ઉપયોગ કરીશું. દુનિયામાં જ્યાંથી પણ સસ્તું ઓઇલ મળશે ભારત ત્યાંથી ઓઇલ આયાત કરશે.

ભારત વર્ષ 2006-2007માં 27 દેશોમાંથી ઓઇલ આયાત કરતું હતું. આ સંખ્યા વર્ષ 2021-22માં વધીને 39 દેશો થઇ ગઇ છે. મતલબ કે ભારત હવે 39 દેશોમાંથી ઓઇલ આયાત કરે છે. નવા સપ્લાયર્સમાં કોલંબિયા, રશિયા, લિબિયા, ગેબોન અને ઇક્વેટોરિયલ ગિનીનો સમાવેશ થાય છે. આ સાથે જ રશિયા ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે. રશિયા –યુક્રેન યુદ્ધ પછી વિશ્વના દેશોએ રશિયા પર પ્રતિબંધ મુકવાના કારણે રશિયાએ ભારતને વધારે ઓઇલ અને તે પણ સસ્તા ભાવે આપવામાં માંડ્યું છે.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.