વડોદરામાં બ્રાહ્મણ પરિવારની સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ, 5 દિવસથી...

વડોદરામા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારની એક સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ થયું હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.પરિવારની એકની એક દીકરીના અપહરણ થવાને કારણે પરિવારની ઉંઘ હરામ થઇ ગઇ છે અને માતાની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ છે. બ્રાહ્મણ પરિવારની સગીર યુવતી 15 સપ્ટેમ્બરે શાળા પાસેથી ગાયબ થઇ હતી, શરૂઆતના બે દિવસ તો પરિવારના લોકોએ સગા સબંધી, દીકરીની બહેનપણી વગેરે જગ્યાએ તપાસ કરી હતી, પરંતુ કોઇ ભાળ મળી નહોતી આખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણ થયાની FIR કરવામાં આવી હતી.

માતાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો છે. એક દીકરો મોટો છે અને કર્મકાંડી બ્રાહ્મણ તરીકે કામ કરે છે. જ્યારે નાની દીકરી છે સ્નેહાલી.

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે સ્નેહાલી 17 વર્ષ 3 મહિના અને 28 દિવસની છે અને ધો 12માં આર્ટસનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે તેની શાળાનો સમય બપોરે 12થી 5નો છે અને તેને દરરોજ શાળાએ મુકવા અને લેવા માટે હું જાઉં છું.

એ નિયમ પ્રમાણે 15 સપ્ટેમ્બરે પણ સ્નેહાલીને શાળાએ મુકવા ગઇ હતી અને તેને મેઇન ગેટ પાસે ઉતારીને હું ઘરે ચાલી ગઇ હતી. તે દિવસે મારી દીકરી સ્નેહાલીને શાળામાં આધાર કોર્ડની 3 કોપી અને 11માં ધોરણની માર્કશીટની 3 કોપી આપવાની હતી. ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે આ સ્કુલ વાળા આધાર કાર્ડની 3-3 કોપી કેમ મંગાવે છે.

એ પછી 15 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે હું શાળાએ ગઇ હતી. શાળામાં જઇને પુછપરછ કરી તો શિક્ષકોઅ કહ્યુ કે અમે તો માત્ર બે-બે કોપી જ મંગાવી છે. સાથે શાળામાં એ પણ જાણવા મળ્યું કે સ્નેહાલી આજે સ્કુલમાં આવી જ નથી.

આ બાબતે મેં તાત્કાલિક મારા પતિને જાણ કરી હતી. શાળા છુટી ગયા પછી પણ સ્નેહાલી ઘરે આવી નહોતી. પહેલા બે દિવસ તો સગા સંબંધી અને સ્નેહાલીને બહેનપણીઓની પુછપરછ કરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો નથી. આખરે 17 સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં સ્નેહાલીનું વર્ણન આપ્યું છે તે મુજબ તે 5 ફુટની છે, રંગ ઘંઉવર્ણ છે અને સ્કાય બ્લૂ કલરનું લાઇનીંગ વાળું શર્ટ તેમજ ગ્રે કલરની ટાઇ પહેરેલી છે.

માતાએ ફરિયાદમા કહ્યું છે કે સ્નેહાલીને ફોસલાવીને કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી ગઇ છે.

પરિવારે વિનંતી કરી છે કે તેમની દીકરીની કોઇને ભાળ મળે તો ગોત્રી પોલીસ સ્ટેશનને તરત જાણ કરે.

About The Author

Related Posts

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.