વડોદરામાં બ્રાહ્મણ પરિવારની સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ, 5 દિવસથી...

વડોદરામા કર્મકાંડી બ્રાહ્મણ પરિવારની એક સગીર દીકરીનું શાળા પાસેથી અપહરણ થયું હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.પરિવારની એકની એક દીકરીના અપહરણ થવાને કારણે પરિવારની ઉંઘ હરામ થઇ ગઇ છે અને માતાની રડી રડીને હાલત ખરાબ થઇ ગઇ છે. બ્રાહ્મણ પરિવારની સગીર યુવતી 15 સપ્ટેમ્બરે શાળા પાસેથી ગાયબ થઇ હતી, શરૂઆતના બે દિવસ તો પરિવારના લોકોએ સગા સબંધી, દીકરીની બહેનપણી વગેરે જગ્યાએ તપાસ કરી હતી, પરંતુ કોઇ ભાળ મળી નહોતી આખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દીકરીના અપહરણ થયાની FIR કરવામાં આવી હતી.

માતાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો છે. એક દીકરો મોટો છે અને કર્મકાંડી બ્રાહ્મણ તરીકે કામ કરે છે. જ્યારે નાની દીકરી છે સ્નેહાલી.

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે સ્નેહાલી 17 વર્ષ 3 મહિના અને 28 દિવસની છે અને ધો 12માં આર્ટસનો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે તેની શાળાનો સમય બપોરે 12થી 5નો છે અને તેને દરરોજ શાળાએ મુકવા અને લેવા માટે હું જાઉં છું.

એ નિયમ પ્રમાણે 15 સપ્ટેમ્બરે પણ સ્નેહાલીને શાળાએ મુકવા ગઇ હતી અને તેને મેઇન ગેટ પાસે ઉતારીને હું ઘરે ચાલી ગઇ હતી. તે દિવસે મારી દીકરી સ્નેહાલીને શાળામાં આધાર કોર્ડની 3 કોપી અને 11માં ધોરણની માર્કશીટની 3 કોપી આપવાની હતી. ઘરે ગયા પછી મને વિચાર આવ્યો કે આ સ્કુલ વાળા આધાર કાર્ડની 3-3 કોપી કેમ મંગાવે છે.

એ પછી 15 સપ્ટેમ્બરે બપોરે 1 વાગ્યે હું શાળાએ ગઇ હતી. શાળામાં જઇને પુછપરછ કરી તો શિક્ષકોઅ કહ્યુ કે અમે તો માત્ર બે-બે કોપી જ મંગાવી છે. સાથે શાળામાં એ પણ જાણવા મળ્યું કે સ્નેહાલી આજે સ્કુલમાં આવી જ નથી.

આ બાબતે મેં તાત્કાલિક મારા પતિને જાણ કરી હતી. શાળા છુટી ગયા પછી પણ સ્નેહાલી ઘરે આવી નહોતી. પહેલા બે દિવસ તો સગા સંબંધી અને સ્નેહાલીને બહેનપણીઓની પુછપરછ કરી, પરંતુ કોઇ પત્તો લાગ્યો નથી. આખરે 17 સપ્ટેમ્બરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં સ્નેહાલીનું વર્ણન આપ્યું છે તે મુજબ તે 5 ફુટની છે, રંગ ઘંઉવર્ણ છે અને સ્કાય બ્લૂ કલરનું લાઇનીંગ વાળું શર્ટ તેમજ ગ્રે કલરની ટાઇ પહેરેલી છે.

માતાએ ફરિયાદમા કહ્યું છે કે સ્નેહાલીને ફોસલાવીને કોઇ અજાણી વ્યક્તિ અપહરણ કરી ગઇ છે.

પરિવારે વિનંતી કરી છે કે તેમની દીકરીની કોઇને ભાળ મળે તો ગોત્રી પોલીસ સ્ટેશનને તરત જાણ કરે.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.