સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર દેખાઈ રહી છે. તેના પગલે આજે, 15 મેના રોજ રાજ્યના પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઇ શકે છે.

Gujarat-Rain2
gujarati.indianexpress.com

હવામાન વિભાગે 14 મેના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી, જ્યારે 15 મેના રોજ હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. 16 અને 17 મેના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

Gujarat-Rain1
gujarati.abplive.com

તાપમાન અંગે રામાશ્રય યાદવે જણાવ્યું કે 14 થી 17 મે દરમિયાન તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર થવાનો અંદાજ નથી. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન ફુંકાઈ રહ્યો છે. આ હવામાની હાલતનું મુખ્ય કારણ ગુજરાત પર બનેલું સાઈક્લોનિક સર્ક્યુલેશન છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

Top News

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.