અમદાવાદ: 12 ભણેલાએ US, કેનેડાના વીઝાના નામે 31 લાખ ખંખેરી લીધા

અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટા વીઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાઇબર ક્રાઇમે પકડી પાડી છે. સાઇબર ક્રાઇમે સુરતથી બે આરોપીની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સાઇબર ક્રાઈમની એક ટીમ સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરી રહી હતી. દરમિયાન સુરતનો એક વિસ્તાર લોકેટ થયો જ્યાં આરોપીની સતત હિલચાલ રહેતી હતી. આથી સાઇબર ક્રાઇમે કાર્યવાહી કરી ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ગુનાની મોડસ ઓપરેન્ડી સમજવા માટે આરોપીઓની પૂછપરછ કરાઈ તો ચોંકાવનારી વિગતો સામે આવી.

પોલીસ તપાસ મુજબ, મૂળ સુરતના ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી અમેરિકા અને કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વીઝા અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. 4 વર્ષ દરમિયાન બંનેએ અંદાજીત 31 લાખથી વધુની છેતરપિંડી કરી છે. આ બંનેએ છેતરપિંડી કરવા માટે એક નવો માર્ગ શોધી કાઢ્યો હતો, જે હેઠળ તેઓ ભોગ બનનારાના બેંક એકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે અન્ય ભોગ બનનારી વ્યક્તિના બેંક ખાતા અને સિમકાર્ડનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઉમેશ ચૌહાણ માત્ર ધોરણ 12 ભણેલો છે અને અગાઉ બેંકમાં ખાતા ખોલાવવાની સામાન્ય નોકરી કરતો હતો, જ્યાંથી તે પોતાનું બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો હતો.

આ બંને આરોપીઓ વીઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક ખાતું ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતા હતા. ત્યારબાદ ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ-અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતા હતા. જોકે હવે સાઇબર ક્રાઇમે તેમની ધરપકડ કરી 15 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.સાઇબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.