અંબાજી મોહનથાળ પ્રસાદનો મામલો વકર્યો, કોંગ્રેસે કહ્યુ- ચીક્કી માફિયાઓને ફાયદો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી માઇ ભક્તોને આપવામાં આવે છે. જે પણ ભક્ત અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તે અચૂક પણે મોહનથાળનો પ્રસાદ લે છે. કેટલાક ભક્તો તો મોહનથાળના પ્રસાદ લીધા વિના અંબાજીની યાત્રાને અધૂરી માને છે. ત્યારે હવે, ભક્તોની શ્રદ્ધા સાથે સંકળાયેલ મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિર્ણય બાદ વિવાદ વકર્યો છે.

માહિતી મુજબ, સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોચ્યા હતા. અહીં, તેમણે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે મંદિરે પહોંચી સૌથી પહેલા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓ અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ, મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષની લાગણી છે.

મીડિયા અહેવાલ મુજબ, તેમણે આગળ કહ્યું કે, સત્તાધીશોના આ નિર્ણયથી અંબાજીમાં 300 જેટલી બહેનોની રોજગારી પર જોખમ વધ્યું છે. આ સાથે પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ અંગે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની જૂની પરંપરા જાળવી રાખવા માગ કરી છે. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા 108 વાર જય અંબેની ધૂન બોલાવી આદેવન પત્ર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.