અંબાજી મોહનથાળ પ્રસાદનો મામલો વકર્યો, કોંગ્રેસે કહ્યુ- ચીક્કી માફિયાઓને ફાયદો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી માઇ ભક્તોને આપવામાં આવે છે. જે પણ ભક્ત અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તે અચૂક પણે મોહનથાળનો પ્રસાદ લે છે. કેટલાક ભક્તો તો મોહનથાળના પ્રસાદ લીધા વિના અંબાજીની યાત્રાને અધૂરી માને છે. ત્યારે હવે, ભક્તોની શ્રદ્ધા સાથે સંકળાયેલ મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિર્ણય બાદ વિવાદ વકર્યો છે.

માહિતી મુજબ, સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોચ્યા હતા. અહીં, તેમણે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે મંદિરે પહોંચી સૌથી પહેલા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓ અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ, મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષની લાગણી છે.

મીડિયા અહેવાલ મુજબ, તેમણે આગળ કહ્યું કે, સત્તાધીશોના આ નિર્ણયથી અંબાજીમાં 300 જેટલી બહેનોની રોજગારી પર જોખમ વધ્યું છે. આ સાથે પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ અંગે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની જૂની પરંપરા જાળવી રાખવા માગ કરી છે. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા 108 વાર જય અંબેની ધૂન બોલાવી આદેવન પત્ર આપવામાં આવ્યું છે.

Related Posts

Top News

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Copyright (c) Khabarchhe All Rights Reserved.