અંબાજી મોહનથાળ પ્રસાદનો મામલો વકર્યો, કોંગ્રેસે કહ્યુ- ચીક્કી માફિયાઓને ફાયદો...

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ વર્ષોથી માઇ ભક્તોને આપવામાં આવે છે. જે પણ ભક્ત અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે તે અચૂક પણે મોહનથાળનો પ્રસાદ લે છે. કેટલાક ભક્તો તો મોહનથાળના પ્રસાદ લીધા વિના અંબાજીની યાત્રાને અધૂરી માને છે. ત્યારે હવે, ભક્તોની શ્રદ્ધા સાથે સંકળાયેલ મોહનથાળના પ્રસાદને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, આ નિર્ણય બાદ વિવાદ વકર્યો છે.

માહિતી મુજબ, સોમવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રતિનિધિ મંડળ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અંબાજી મંદિરે પહોચ્યા હતા. અહીં, તેમણે મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમંત રાવલે મંદિરે પહોંચી સૌથી પહેલા માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી કહ્યું હતું કે, ચીક્કી માફિયાઓ અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ, મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા કરોડો લોકોમાં રોષની લાગણી છે.

મીડિયા અહેવાલ મુજબ, તેમણે આગળ કહ્યું કે, સત્તાધીશોના આ નિર્ણયથી અંબાજીમાં 300 જેટલી બહેનોની રોજગારી પર જોખમ વધ્યું છે. આ સાથે પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા મોહનથાળના પ્રસાદ અંગે લેવાયેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અંબાજી મંદિરમાં ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની જૂની પરંપરા જાળવી રાખવા માગ કરી છે. આ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા 108 વાર જય અંબેની ધૂન બોલાવી આદેવન પત્ર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.