અમદાવાદઃ CA બની ગયો સંન્યાસી, માત્ર 24 વર્ષની ઉંમરમાં ત્યજી દીધું સાંસારિક જીવન

અમદાવાદના 24 વર્ષીય યુવા CA નિર્મલ જૈન ગુરુવારે સાંસારિક જીવન ત્યજીને સંન્યાસી બની ગયો. તેની સાથે જ 5 દિવસીય વિશેષ જૈન ભાગવત દીક્ષા મહોત્સવનું સમાપન થઈ ગયું. સંન્યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્યું કે, ધર્મગુરુઓના સત્સંગમાં સતત રહેવાથી તેના વિચારોમાં બદલાવ આવ્યો. પંડિત રત્ન ઉપાધ્યાય હેમચંદ્ર મહારાજના જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં જૈન ભાગવતી દીક્ષા સમારોહનું વિશેષ આયોજન SS જૈન સભા જૈન નગરના તત્વાધાનમાં જૈન સ્થાનકમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

SS જૈન સભા (રજી.) જૈન નગરના મહામંત્રી મુનિશ જૈને જણાવ્યું કે, ગુરુવારે સવારે 7:00 વાગ્યે જૈન નગર તિરાહા સ્થિત શાંતિનાથ જૈન મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે સવા નવ વાગ્યે ગુરુ નિહાલ દરબાર જૈન સ્થાનકમાં દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ થયો. આ દરમિયાન શ્રીમણ સંઘીય સલાહકાર ભીષ્મ પિતામહ રાજર્ષિ તપસ્વીરત્ન ગરુદેવ સુમતિ પ્રકાશ અને શ્રમણ સંઘીય વરિષ્ઠ ઉપાધ્યાય પ્રવર વાચનાચાર્ય ગુરુદેવ ડૉ. વિશાલ મુનિના સાંનિધ્યમાં દીક્ષાર્થી અમદાવાદના CA નિર્મલ જૈનને દીક્ષા અપાવવામાં આવી.

સમારોહના અધ્યક્ષ ધનેશ જૈન, ધ્વજારોહણ કર્તા ડૉ. અરુણ જૈન, અતુલ જૈન વગેરેની ઉપસ્થિતિ આ અવસર પર ધામધૂમથી કાર્યક્રમનું આયોજન થયું. 20 મેથી આયોજિત આ પાંચ દિવસીય વિશેષ જૈન ભગવતી દીક્ષા મહોત્સવના ક્રમમાં બુધવારે ગુરુ નિહાલ જૈન દરબાર જૈન સ્થાનકમાં સન્માનિત બહુમંડળ જૈન નગરમાં દીક્ષાર્થીની મહેંદીની રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલ, SS જૈન સભા જૈન નગરના પ્રધાન અમન જૈનની સાથે અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિ સહિત બધા સભ્ય હાજર રહ્યા હતા.

CAમાંથી સંન્યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્યું કે, ધર્મગુરુઓના સત્સંગમાં સતત રહેવાથી વિચારોમાં બદલાવ આવ્યો. મન થયું કે જીવનને પ્રભુના ચરણોમાં અર્પિત કરવાનું છે. ભક્તિમાર્ગ જ જીવનનો આધાર છે. એટલે વિચારી લીધું કે હવે સંન્યાસના માર્ગે જવાનું છે. તે કહે છે કે શરૂઆતતામાં પરિવારને સમજાવવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ત્યારબાદ પરિવારે સપોર્ટ કર્યો. પરિવારની શુભેચ્છાથી ધર્મ માર્ગને અપનાવવામાં સફળતા મળી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.