ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આ આગાહી

રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. પવન સાથે ઠંડીનું જોર વધતાં લોકોએ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેવો પડ્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

હાલ રાજ્યમા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે વધુ એક અગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે મહાશિવરાત્રી બાદ્થી શિયાળો વિદાય લેશે અને ગુજરાતીઓને કોલ્ડવેવથી રાહત મળશે. અમદાવાદમાં બપોરે પારો તા. 7 ફેબ્રુઆરી સુધીમાં 31 ડિગ્રીએ પહોંચી જશે તેવી આગાહી સામે આવી છે.

બીજી તરફ ત્રણ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનનું હાલનું પ્રમાણ જળવાઈ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હાલ રાજ્યમા ઠડા પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં પારો લઘુતમ 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે જે તા. 7 ફેબ્રુઆરી સુધીમાં 16 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ પહચવાની શકયતા છે.

આ સિવાય વડોદરા 14.8, ભાવનગર 17.4, ભૂજ 12, છોટાઉદેપુર 15, દાદરા-નગર હવેલી 18.2, દાહોદ 12, દમણ 19, ડાંગ 15, ડીસા 12.6, દીવ 14.2, દ્વારકા 16.4, ગાંધીનગર 12.8, જૂનાગઢ 19.8, જામનગર 15.9, કંડલા 14.4, નલિયા 5.3 પારો નોંધાયો છે.

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.