મૌલાના કહે-મુસ્લિમોએ રાષ્ટ્રગાન ન ગવાય,તેનો વિરોધ કરનારા 3 મુસ્લિમોએ ફિનાઇલ પીધુ

પોરબંદરમાં ત્રણ મુસ્લિમ છોકરાઓએ ફિનાઇલ પીય લીધું અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને જણાવ્યું કે, તેમના સમુદાયના જ કેટલાક લોકો તેમના પર અત્યાચાર કરી રહ્યા હતા. રાષ્ટ્રીય ધ્વજને લઈને એક મૌલવીના ફતવાને નકારવાના કારણે તેમને બદનામ કરવામાં આવી રહ્યા હતા અને સમાજથી બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય છોકરાઓએ શરિયત કાયદાનો સંદર્ભ આપીને એક મૌલવી તરફથી આપવામાં આવેલા આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ, ગત દિવસોમાં પોરબંદરના એક મૌલાનાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો જોઈએ, પરંતુ તેને સલામી ન આપવી જોઈએ. ત્યારબાદ મુસ્લિમ સમાજના 6 યુવક મૌલાના હાફિઝ વાસિફ રાજા પાસે ગયા અને વાયરલ ઓડિયો ક્લિપને લઈને સવાલ કર્યા. કથિત રીતે મૌલાનાએ સ્વીકાર કર્યો કે ક્લિપ સાચી છે અને તેમણે જ આ નિવેદન આપ્યું છે.

તેના પર યુવકોએ તેમની વાતને નકારતા કહ્યું કે પયગમ્બરે મુસ્લિમોને સંદેશ આપ્યો છે કે તેમણે દેશભક્ત હોવું જોઈએ, એટલે તેમનું નિવેદન ખોટું છે. મૌલાના હાફિઝ વાસિફ રાજા પોતાની વાત પર કાયમ રહ્યા અને ઓડિયોમાં કહેલી વાતોનું પુનરાવર્તન કર્યું. નગીના મસ્જિદ પોરબંદર અને દારૂલ ઉલૂમ ગૌશે આજમ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પંજાની (ઉંમર 60 વર્ષ) તરફથી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, આબિદ અનવર કાદરી, ઇકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાજ હારુન, યુનુસ કાદરી અને કેટલાક અજાણ્યા લોકોએ લગભગ 20 દિવસ અગાઉ અને 2 ઑગસ્ટે ઓડિયો વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ તેઓ દારૂલ સંસ્થામાં આવ્યા અને મૌલાના હાફિજ વાસિફ રાજાને ગાળો આપી અને કેટલાક લોકો સાથે મારામારી કરી. હાફિઝ અને કેટલાક અન્ય મુસ્લિમ નેતાઓને જીવથી મારવાની ધમકી આપી. કેસ નોંધાયા બાદ શકાલી કાદરી, સોહેલ ઈબ્રાહીમ પરમાર અને ઇમ્તિયાજ હારુને ઇસ્ટાગ્રામ પર રીલ બનાવી અને કહ્યું કે, તેમના સમુદાયના કેટલાક લોકો તેમના પર અત્યાચાર કરી રહ્યા છે અને સમાજ બહાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમણે ફિનાઇલ પીય લીધું.

પોરબંદરના એસ.પી. ભાગીરથ સિંહ જાડેજાએ કહ્યું કે, ઓડિયો ક્લિપ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આ દરમિયાન દારૂલ ગૌસેના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પંજાની અને અન્યએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને દાવો કર્યો કે, જે ક્લિપને વાયરલ કરવામાં આવી રહી છે તે સાચી નથી. મૌલાનાએ એવું કોઈ ભાષણ આપ્યું નથી. જે છોકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમની વિરુદ્ધ પહેલાથી જ કેટલાક કેસ ચાલી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.