હાર્દિકને મોટો ઝટકો, પોલીસ સામે ગેરવર્તનના કેસમાં કોર્ટે અરજી નામંજૂર કરી

ભાજપના વિરમગામના ધારાસભ્ય અને એક જમાનામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને અમદાવાદની ગ્રામ્ય કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને કોર્ટ તરફથી રાહત મળી નથી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરેલા આમરણાંત ઉપવાસ વખતે પોલીસ સાથે કરેલી ગેરવર્તણુંક કેસમાં કોર્ટે હાર્દિકની રાહત આપવાની અરજી નામજૂંર કરી દીધી છે. જો કે હાર્દિક સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક સામે અનેક કેસો થયા હતા.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન જ્યારે જોર પર હતું ત્યારે વર્ષ 2018માં હાર્દિક પટેલે નિકોલમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા અને તે વખતે પોલીસ સામે ગેરવર્તણૂંક કરી હતી. એ સમયે હાર્દિક પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં રાહત આપવા માટે હાર્દિક પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે હાર્દિકની અરજી નામંજૂર કરી દીધી હતી.

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું અને એ દરમિયાન હાર્દિક સામે અનેક ફરિયાદો થઇ હતી. 18 ઓકટોબર 2015માં રાષ્ટ્ર ધ્વજનું અપવામ કરવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચિમાં વિક્ષેપ પાડવા બદલ પણ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.

એ ઉપરાંત પોલીસ કર્મીઓની હત્યા વિશે કથિત ટિપ્પણી બદલ હાર્દિક પટેલ સામે સુરતની કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 15, જુલાઇ 2016ના દિવસે હાર્દિકને 6 મહિના રાજ્યની બહાર અને 9 મહિના મહેસાણા બહાર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.

આ દરમિયાન હાર્દિક ઉદયપુરમાં રહ્યા હતા. વર્ષ 2015ના રાજદ્રોહ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવામાં નિષ્ફળ રહેવા બદલ હાર્દિકની 2020માં ફરી ધરપકડ કરવામાં આવી હતી. આવા તો અનેક કેસ છે.

હાર્દિક પટેલ વર્ષ 2020માં કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને ગુજરાતના કાર્યકારી પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે તેમનો થોડા જ સમયમાં કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો અને જે ભાજપને હાર્દિક પટેલ સતત ભાંડતા હતા તે જ પાર્ટીમાં વર્ષ 2022માં જોડાયા. એ પછી ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકને વિરમગામથી ટિકીટ આપી હતી અને 51555 મતથી હાર્દિક પટેલ ચૂંટણી જીત્યા હતા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ 15-07-2025 વાર - મંગળવાર મેષ - ઉઘરાણી આવવામાં મોડું થઈ શકે, સમાજમાં માન પ્રતિષ્ઠા જાળવવા પ્રયાસ વધારવા. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શેરબજાર કેમ સુધરી નથી રહ્યું? ફરી એકવાર આવ્યો અચાનક તીવ્ર ઘટાડો... IT સેક્ટરમાં બોલ્યો કડાકો

ભારતીય શેરબજાર કેમ સુધરવાની દિશામાં આગળ નથી વધી રહ્યું, શા માટે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા...
Business 
શેરબજાર કેમ સુધરી નથી રહ્યું? ફરી એકવાર આવ્યો અચાનક તીવ્ર ઘટાડો... IT સેક્ટરમાં બોલ્યો કડાકો

હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ રહેલું છે, તેથી જ આના વેચાણ કરનારાઓ પેકેટ...
Health 
હવે ગળ્યા અને તેલયુક્ત ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ સિગારેટ-તમાકુ જેવી ચેતવણીઓ સાથે કરાશે

લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગઈ'

લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન, ઘણા વિવાદાસ્પદ અમ્પાયરિંગ નિર્ણયો સામે આવ્યા છે, ...
Sports 
લોર્ડ્સ ટેસ્ટમાં પોલ રીફેલના અમ્પાયરિંગ પર અશ્વિન થયો ગુસ્સે, 'ભારત વિરુદ્ધ નિર્ણય આપવો પેટર્ન બની ગઈ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.