દાંત સાફ નહીં રાખો તો મગજ બગડી શકે છે 

સ્વસ્થ મોઢું ફક્ત તમારી સ્માઇલ જ નહીં, પણ તમારા મગજને પણ સુરક્ષિત રાખી શકે છે. ન્યુરોલોજી  મેગેઝિનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા બે નવા અભ્યાસો બતાવે છે કે પેઢાની બીમારી અને દાંતમાં જીવાણુઓ (કૅવિટીઝ) સ્ટ્રોક અને મગજની બીમારીઓનું જોખમ વધારી શકે છે.

પેઢાની બીમારી અને મગજ વચ્ચેનો સંબંધ

આ અભ્યાસો લાંબા સમયથી ચાલતા ઍથેરોસ્ક્લેરોસિસ રિસ્ક ઇન કોમ્યુનિટીઝ (ARIC) પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવ્યા હતા, જેમાં હજારો લોકોના આરોગ્યનો દાયકાઓ સુધી નજર રાખવામાં આવી હતી.

પ્રથમ અભ્યાસમાં 1,143 વયસ્કોમાં દાંતની સ્થિતિ અને તેમના મગજના MRI સ્કૅનનું વિશ્લેષણ કરવામાં આવ્યું. પરિણામે જાણવા મળ્યું કે પેઢાની બીમારી ધરાવતા લોકોમાં મગજની નસોમાં વધુ નુકસાન જોવા મળ્યું, જેને વ્હાઇટ મેટર હાયપરઇન્ટેન્સિટી (WMH) કહેવાય છે. આ પ્રકારનું નુકસાન સામાન્ય રીતે સ્મૃતિમાં ઘટાડો, સ્ટ્રોક અને નાની નસોની બીમારી સાથે જોડાયેલું હોય છે.

અભ્યાસ મુજબ, પેઢાની બીમારી ધરાવતા લોકોને સ્વસ્થ દાંત ધરાવતા લોકોની તુલનામાં 56% વધારે જોખમ હતું. વૈજ્ઞાનિકો માને છે કે પેઢામાં થતી સૂજન (ઇન્ફ્લેમેશન) શરીરમાં ફેલાય છે અને મગજની નાજુક નસોને નુકસાન પહોંચાડે છે.

02

પાયરિયા એટલે પેઢામાં થતું ઈન્ફેક્શન.મોઢાંની યોગ્ય સફાઇ ન કરવી એ તેનું મુખ્ય કારણ છે, જેના કારણે દાંત પર પ્લેક અને ટાર્ટર જમા થાય છે. ધુમ્રપાન કે તમાકુનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ કમજોર કરે છે. કેટલાક લોકોમાં જિનેટિક કારણોસર આ રોગની શક્યતા વધારે હોય છે, જ્યારે હોર્મોનલ બદલાવ, લાંબા ગાળાના રોગો અને યોગ્ય પોષણનો અભાવ પણ જોખમ વધારે છે. સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે

બીજા અભ્યાસમાં 5,900 કરતાં વધુ લોકોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા — સ્વસ્થ મોઢું, ફક્ત પેઢાની બીમારી, અને પેઢાની બીમારી સાથે દાંતમાં જીવાણુઓ.

21 વર્ષના અભ્યાસ પછી પરિણામ આ મુજબ હતા:

 -સ્વસ્થ મોઢાવાળાઓમાં 4.1% સ્ટ્રોકનું જોખમ,
-પેઢા બીમારી ધરાવનારાઓમાં 6.9% જોખમ,
- બંને બીમારીઓ ધરાવનારાઓમાં 10% જોખમ.

અર્થાત્, મોઢાના ગંભીર ઈન્ફેક્શન ધરાવતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ દોઢથી બે ગણું વધારે હતું.

મોઢાથી મગજ સુધીનો માર્ગ

વિજ્ઞાનીઓ કહે છે કે મોઢાની બીમારી શરીરમાં સતત ઇન્ફ્લેમેશન પેદા કરે છે — જે હૃદયરોગ, સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવા રોગોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. “મોઢું મગજ સુધીનો દ્વાર છે,” સંશોધકો કહે છે. “પેઢાની બીમારી ફક્ત ખરાબ આરોગ્યનો સંકેત નથી, તે મગજની નસોને નુકસાન પહોંચાડી શકે છે.”

03

 શું કરી શકાય?

વિશેષજ્ઞો કહે છે કે વધુ સંશોધનની જરૂર છે, પરંતુ સંદેશ સ્પષ્ટ છે — દાંતની સારસંભાળ રાખો, મગજને બચાવો.

દિવસમાં વાંરવાર દાંત સાફ કરવા, ફ્લોસ કરવું, નિયમિત ડેન્ટલ ચેક-અપ કરાવવું, તમાકુથી દૂર રહેવું અને સંતુલિત આહાર લેવો — આ નાના પગલાં મોટું રક્ષણ આપી શકે છે.

એક ન્યુરોલોજિસ્ટના શબ્દોમાં, “બ્રશ મગજની સુરક્ષાનું સૌથી સરળ સાધન હોઈ શકે છે.”

About The Author

Dr. Risshi D. Bhatt Picture

Dr. Risshi Bhatt is a dental surgeon specializing in TMJ disorders and facial pain. He leads the RR Dental and Maxillofacial Clinic, known for its integrated approach to jaw and sleep-related conditions. Passionate about patient education and preventive care, Dr. Bhatt bridges the gap between dentistry and overall wellness.

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

સુપ્રીમ કોર્ટ હાલમાં એક અસાધારણ કાનૂની અને રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વ્યંગાત્મક આંદોલન...
કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ...
Gujarat 
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ...
Agriculture 
કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ...
Politics 
રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું
Copyright (c) Khabarchhe All Rights Reserved.