ગુજરાતમાં શાળાઓની મનમાની, સ્કૂલે નક્કી કરેલું સ્વેટર જ પહેરવું પડે છે સરકાર...

ગુજરાતમાં શાળાઓની મનમાની અને સરકારના આદેશોને ઘોળીને પી જવાની આદત નવી નથી. રાજ્યના શાળાઓ સરકારના કોઇ પણ આદેશને ગણકારતી નથી. હવે એવી વાત સામે આવી છે કે જે જાણીને તમને થશે કે શાળાઓ કોઇને ગાંઠતી કેમ નથી?

વાત એમ છે કે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડી પડી રહી છે અને કેટલીક શાળાઓએ એવો આદેશ કર્યો છે કે બાળકોએ સ્કુલે આપેલા જ સ્વેટર પહેરીને શાળાએ આવવું પડશે. હવે સરકારે એવો આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળાએ જવાની છુટ આપી છે. પરંતુ નઘરોળ શાળા સંચાલકોએ સરકારના આદેશની ઐસી તૈસી કરી નાંખી છે અને પોતોની સ્કુલના સ્વેટર પહેરવા પર જ વાલીઓને મજબુર કર્યા છે.

આ વખતે શિયાળાની સિઝનમાં ઠંડીએ ગુજરાતને થથરાવી નાંખ્યું છે એવા સમયે ગુજરાત સરકારના પ્રવક્તાએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે શાળાના વિદ્યાર્થીઓ તેમની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને  શાળાએ જઇ શકે છે. પરંતુ કેટલીક સ્કુલોએ જાહેરાત કરી છે કે શાળા દ્રારા નક્કી કરાયેલું સ્વેટર જ પહેરવું પડશે. આ શાળાઓમાં ભાવનગર, સુરત, વડોદરાની શાળાઓએ વાલીઓને શાળાનું જ સ્વેટર પહેરવા હુકમ કર્યો છે. ભાવનગરની વિદ્યાધીશ હાઈસ્કૂલ, વડોદરાની નવરત્ન સ્કૂલ, સુરતની જ્ઞાન ભારતી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ગોધરાની સંત આર્નોલ્ડ સ્કૂલ,સુરતની ભૂલકા ભવન સ્કૂલ આ બધી શાળાઓએ વાલીઓને સ્કુલ દ્રારા નિયત કરવામાં આવેલી સ્વેટર પહેરવું પડે છે.

સરકારના આદેશ છતા બાળકો પોતાના ઘરનું સ્વેટર પહેરીને આવી શકતા નથી. કેટલીક શાળાઓ તો બ્લેઝર કે પાતળું સ્વેટર પહેરીને આવવા માટે કહી રહી છે. કેટલીક શાળાઓ તો એવી છે કે જો બાળક બીજું સ્વેટર પહેરીને આવ્યું તો મેઇન ગેટ પર જ એ સ્વેટર કઢાવી મુકે છે અને વિદ્યાર્થીઓએ ઠંડીમાં વગર સ્વેટરે બેસવું પડે છે. કેટલાંક વાલીઓએ તો સ્વેટરની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

નવાઇની વાત એ છે કે જે શાળાઓ સ્કુલનું જ સ્વેટર પહેરવાનો આગ્રહ રાખે છે એ જ શાળાના આચાર્ય કે શિક્ષકો પોતે સાલ ઓઢીને સ્કુલમાં આવે છે અને જો મીડિયાના પત્રકારો સવાલ પુછે તો મોં સંતાડી દે છે. કેટલાંક વાલીઓએ એવો પણ આરોપ મુક્યો છે કે અમે વિરોધ કરીએ તો શાળા સંચાલકો દાદાગીરી કરે છે.

રાજકોટની જસાણી શાળામાં રિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું. એ પછી શાળા સંચાલોકોની મનમાની સામે સવાલો ઉઠ્યા હતા. રિયાની માતાનો આરોપ હતો કે રિયાનું ઠંડીને કારણે લોહી થીજી થવાથી મોત થયું હતું.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.