16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું ટ્યુશન બંધ, આદેશ ન માનવા પર આટલો દંડ

શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશ મુજબ, કોચિંગ સંસ્થા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને અહી દાખલ નહીં કરી શકે અને સારા માર્ક્સ કે રેંક અપાવવાની ગેરંટી જેવા ભ્રામક વાયદા પણ નહીં કરી શકે. કોચિંગ સંસ્થાને વિનિયમિત કરવા માટે દિશા નિર્દેશ એક કાયદાકીય ઢાંચાની આવશ્યકતાને પૂરી કરવા અને ખોટી રીતે ખાનગી કોચિંગ સંસ્થાઓના વધારાને રોકવા માટે છે. મંત્રાલયે આ દિશા-નિર્દેશ વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસો, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓના સુવિધાઓની કમી સાથે સાથે તેમના દ્વારા અપનાવાતી શિક્ષણ પદ્ધતિઓ બાબતે સરકારને મળેલી ફરિયાદો બાદ તૈયાર કરવામાં આવ્યા છે.

 દિશા-નિર્દેશમાં શું શું કહેવામાં આવ્યું છે?

 દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈ પણ કોચિંગ સંસ્થા સ્નાતકથી ઓછી યોગ્યતાવાળા શિક્ષકોની નિમણૂક નહીં કરે. કોચિંગ સંસ્થા વિદ્યાર્થીઓના નામાંકન માટે માતા-પિતાને ભ્રામક વાયદા કે રેન્ક કે સારા માર્ક્સની ગેરંટી નહીં આપી શકે છે. સંસ્થા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓનું નામાંકન નહીં કરી શકે. વિદ્યાર્થીઓનું કોચિંગ સંસ્થામાં નામાંકન માધ્યમિક શાળાની પરીક્ષા બાદ જ થવું જોઈએ.

દિશા નિર્દેશ મુજબ કોચિંગ સંસ્થા કોચિંગની ગુણવત્તા કે તેમાં અપાતી સુવિધાઓ કે એવી કોચિંગ સંસ્થા કે તેમની સંસ્થામાં ભણતા વિદ્યાર્થી દ્વારા પ્રાપ્ત પરિણામ બાબતે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈ પણ દાવાને લઈને કોઈ ભ્રામક જાહેરાત પ્રકાશિત નહીં કરી શકે કે પ્રકાશિત નહીં કરાવી શકે કે પ્રકાશનમાં ભાગ નહીં લઈ શકે. કોચિંગ સંસ્થા કોઈ પણ શિક્ષક કે એવા વ્યક્તિની સેવાઓ નહીં લઈ શકે, જે નૈતિક કદાચાર સાથે જોડાયેલા કોઈ પણ ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યો હોય. કોઈ પણ સંસ્થા ત્યાં સુધી રજિસ્ટર્ડ નહીં થાય જ્યાં સુધી તેની પાસે આ દિશા નિર્દેશો મુજબ પરામર્શ પ્રણાલી ન હોય.

દિશા-નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, કોચિંગ સંસ્થાઓની વેબસાઇટ હશે, જેમાં ભણાવતા શિક્ષકો (ટ્યૂટર્સ)ની યોગ્યતા, પાઠ્યક્રમ/પાઠ્ય સામગ્રી, પૂરું થવાની અવધિ, વિદ્યાર્થીઓની સુવિધાઓ અને લેવાતી ફીસનું અદ્યતન વિવરણ હશે. વિદ્યાર્થીઓ પર સખત પ્રતિસ્પર્ધા અને શૈક્ષણિક દબાવના કારણે કોચિંગ સંસ્થાઓએ તેના તણાવથી બચવા માટે પગલાં ઉઠાવવા જોઈએ અને તેમના પર અનાવશ્યક દબાવ નાખ્યા વિના ક્લાસ સંચાલિત કરવા જોઈએ.  કોચિંગ સંસ્થાઓએ સંકટ અને તણાવપૂર્ણ સ્થિતિઓમાં વિદ્યાર્થીઓને નિરંતર સહાયતા પ્રદાન કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ માટે એક તંત્ર સ્થાપિત કરવું જોઈએ.

સક્ષમ અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે પગલું ઉઠાવી શકે છે કે કોચિંગ સંસ્થા દ્વારા એક પરામર્શ પ્રણાલી વિકસિત કરવામાં આવે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સરળતાથી ઉપલબ્ધ થાય. દિશા નિર્દેશો વિદ્યાર્થીઓના માનસિક કલ્યાણને લઈને વિસ્તૃત રૂપરેખા ગયા વર્ષે કોટામાં રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવાની ઘટના બાદ આવ્યા. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું કે વિભિન્ન પાઠ્યક્રમોનો ચાર્જ પારદર્શી અને તાર્કિક હોવો જોઈએ અને વસૂલાતા ચાર્જની રસીદ આપવી જોઈએ.

તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થી વચ્ચે જ પાઠ્યક્રમ છોડે છે તો બચેલી અવધિની ફીસ આપી દેવી જોઈએ. નીતિને સશક્ત બનાવતા કેન્દ્રએ સૂચન આપ્યું કે કોચિંગ સંસ્થાઓ પર દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર એક લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવો જોઈએ કે અત્યાધિક ચાર્જ વસૂલવા પર તેનું રજીસ્ટ્રેશન રદ્દ કરી કરી દેવું જોઈએ. કોચિંગ સંસ્થાઓની ઉચિત દેખરેખ માટે સરકારે દિશા-નિર્દેશના પ્રભાવી થવાના 3 મહિનાની અંદર નવા અને હાલની કોચિંગ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરવાનો પ્રસ્તાવ કર્યો છે. દિશા નિર્દેશો મુજબ રાજ્ય સરકાર કોચિંગ સંસ્થાની ગતિવિધિઓની દેખરેખ માટે જવાબદાર હશે.

About The Author

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.