બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ

સાયણ વિભાગ કેળવણી મંડળના હોદેદારઓ, સભ્યઓ તથા શાળાપરિવારના સહયોગથી બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રથમ, સમગ્ર વર્ગમાં પ્રથમ અને સમગ્ર વર્ગમાં દ્વિતીય આવનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરી પ્રોત્સાહન આપવા શાળામાંથી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.

બાલમંદિરથી ધોરણ 12 સુધીમાં સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના સ્વ. નટવરભાઈ નાથુભાઈ પટેલના સ્મરાણાથે પરિવાર દ્વારા એમના પુત્ર હેમંતભાઈ પટેલના હસ્તે પારિતોષિક આપવામાં આવ્યા તેમજ સમગ્ર વર્ગોમાં દ્વિતીય આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના અમૃતભાઈ ડી. પટેલના પરિવાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા. તથા બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીમાં વર્ગમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર) તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. ધોરણ 9થી 12ના વર્ગોમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને દેલાડના સરપંચ વીણાબેન ભાવિનભાઈ પટેલ તરફથી પારિતોષિક અર્પણ કરાયા.

આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન બાબુભાઇ ડાહ્યાભાઈ પટેલ, અતિથિ વિશેષ ધનસુખભાઇ ચુડાસમા, મેહમાન અશોકભાઈ આઈ. પટેલ (ગોથાણ), હેમંતભાઈ પટેલ (દેલાડ), વીણાબેન પટેલ (દેલાડ), ભાવિનભાઈ પટેલ (દેલાડ) અમૃતભાઈ પટેલ (દેલાડ) જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર), સાયણ કેળવણી મંડળના હોદેદારો, સભ્યો, શાળાપરિવાર ઉપસ્થિત હતા.

પ્રાથમિક વિભાગની નવી અધ્યતન કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદ્ધઘાટન દાતા બાબુભાઇ પટેલ તથા ધનસુખભાઇ ચુડાસમાના હસ્તે કરાયું. તેમના તરફથી 5 લાખનું દાન મળ્યું છે. સ્વ. અમૃતભાઈ છોટુભાઈ નાયક (સાંધીયેર)ના પુત્ર દર્શનભાઈ નાયક તરફથી તથા સ્વ. સુનિલ જયેન્દ્રભાઈ દેસાઈના પરિવાર તરફથી પ્રાથમિક વિભાગ કમ્પ્યુટર લેબોરેટરીમાં બે એ. સી.નું દાન આપવામાં આવ્યું. અશોકભાઈ પટેલ (ગોથાણ) તરફથી એક લાખ પચાસ હજાર રૂપિયા તથા ભાવિનભાઈ પટેલ તરફથી એક લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું છે. શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ તરફથી સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

બંગાળની કોલેજમાં બેગમાં ભરેલી કરોડોની નોટોને ઉધઈ ખાઈ ગઈ

પશ્ચિમ બંગાળમાં, તાજેતરના દિવસોમાં રાજકારણ અને વહીવટ સાથે જોડાયેલા ઘણા ઘટનાક્રમ એક સાથે આવ્યા છે. કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં મોટી...
National 
બંગાળની કોલેજમાં બેગમાં ભરેલી કરોડોની નોટોને ઉધઈ ખાઈ ગઈ

મમતાના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? TMCમાં 'મહાખેલા'ની ઇનસાઇડ સ્ટોરી

તૃણમૂલ કોંગ્રેસ (TMC) હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. પક્ષના ધારાસભ્યોનો એક મોટો ધડો શોભનદેબ...
Politics 
મમતાના હાથમાંથી કેવી રીતે સરકી ગયા 58 ધારાસભ્યો? TMCમાં 'મહાખેલા'ની ઇનસાઇડ સ્ટોરી

સાઉદીની જેલમાં 20 વર્ષ બંધ રહ્યો, પછી લોકોને બ્લડ મની તરીકે 34 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા ત્યારે કેરળ પહોંચ્યો અબ્દુલ

કેરળના અબ્દુલ રહીમની વાર્તા માનવતા અને અતૂટ આશાનું ઉદાહરણ છે. એક દિવ્યાંગ બાળકના મૃત્યુના આરોપમાં સાઉદી અરબમાં 20 વર્ષ જેલમાં...
World 
સાઉદીની જેલમાં 20 વર્ષ બંધ રહ્યો, પછી લોકોને બ્લડ મની તરીકે 34 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા ત્યારે કેરળ પહોંચ્યો અબ્દુલ

રાજકોટમાં ACP પટેલે જુગારીને એવી સલાહ આપી કે નિવૃત્તિના 24 કલાક અગાઉ જ બરતરફ કરાયા

ગુજરાતમાં ગૃહ વિભાગે કડક નિર્ણય લેવાનું શરૂ દીધું છે. રાજકોટમાં જુગારના આરોપીને મદદ કરવાના ગંભીર આરોપો બાદ તેની તપાસમાં દોષિત...
Gujarat 
રાજકોટમાં ACP પટેલે જુગારીને એવી સલાહ આપી કે નિવૃત્તિના 24 કલાક અગાઉ જ બરતરફ કરાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.