બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ

સાયણ વિભાગ કેળવણી મંડળના હોદેદારઓ, સભ્યઓ તથા શાળાપરિવારના સહયોગથી બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રથમ, સમગ્ર વર્ગમાં પ્રથમ અને સમગ્ર વર્ગમાં દ્વિતીય આવનાર તેજસ્વી તારલાઓને સન્માનિત કરી પ્રોત્સાહન આપવા શાળામાંથી વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા.

બાલમંદિરથી ધોરણ 12 સુધીમાં સમગ્ર વર્ગોમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના સ્વ. નટવરભાઈ નાથુભાઈ પટેલના સ્મરાણાથે પરિવાર દ્વારા એમના પુત્ર હેમંતભાઈ પટેલના હસ્તે પારિતોષિક આપવામાં આવ્યા તેમજ સમગ્ર વર્ગોમાં દ્વિતીય આવનાર વિદ્યાર્થી ઓને દેલાડના અમૃતભાઈ ડી. પટેલના પરિવાર તરફથી પારિતોષિક આપવામાં આવ્યા. તથા બાલમંદિર વિભાગથી ધોરણ 12 સુધીમાં વર્ગમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર) તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. ધોરણ 9થી 12ના વર્ગોમાં પ્રથમ-દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને દેલાડના સરપંચ વીણાબેન ભાવિનભાઈ પટેલ તરફથી પારિતોષિક અર્પણ કરાયા.

આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન બાબુભાઇ ડાહ્યાભાઈ પટેલ, અતિથિ વિશેષ ધનસુખભાઇ ચુડાસમા, મેહમાન અશોકભાઈ આઈ. પટેલ (ગોથાણ), હેમંતભાઈ પટેલ (દેલાડ), વીણાબેન પટેલ (દેલાડ), ભાવિનભાઈ પટેલ (દેલાડ) અમૃતભાઈ પટેલ (દેલાડ) જયેન્દ્રભાઈ દેસાઈ (સાંધીયેર), સાયણ કેળવણી મંડળના હોદેદારો, સભ્યો, શાળાપરિવાર ઉપસ્થિત હતા.

પ્રાથમિક વિભાગની નવી અધ્યતન કમ્પ્યુટર લેબોરેટરીનું ઉદ્ધઘાટન દાતા બાબુભાઇ પટેલ તથા ધનસુખભાઇ ચુડાસમાના હસ્તે કરાયું. તેમના તરફથી 5 લાખનું દાન મળ્યું છે. સ્વ. અમૃતભાઈ છોટુભાઈ નાયક (સાંધીયેર)ના પુત્ર દર્શનભાઈ નાયક તરફથી તથા સ્વ. સુનિલ જયેન્દ્રભાઈ દેસાઈના પરિવાર તરફથી પ્રાથમિક વિભાગ કમ્પ્યુટર લેબોરેટરીમાં બે એ. સી.નું દાન આપવામાં આવ્યું. અશોકભાઈ પટેલ (ગોથાણ) તરફથી એક લાખ પચાસ હજાર રૂપિયા તથા ભાવિનભાઈ પટેલ તરફથી એક લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું છે. શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ તરફથી સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.