NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે મહારાષ્ટ્રના કોચિંગ ઉદ્યોગના સૌથી જાણીતા નામ સુધી પહોંચી ગયા છે. વિદ્યાર્થીઓમાં M Sir (એમ સર) તરીકે લોકપ્રિય અને લાતુર સ્થિત RCC ક્લાસીસ (રેણુકાઈ કરિયર સેન્ટર) નો સ્થાપક શિવરાજ મોટેગાંવકર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની વિસ્તરી રહેલી તપાસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે.

CBI ની પુણે ઓફિસમાં 12 કલાકથી વધુ સમયની સઘન પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને આજે દિલ્હીની CBI કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. NEET-UG 2026 પેપર લીકની તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે અને અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આ મામલે અનેક ધરપકડો થઈ ચૂકી છે. હાલમાં CBI આ કેસના અન્ય એક આરોપી, નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર અને કથિત માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણી સાથે મોટેગાંવકરના કનેક્શનની તપાસ કરી રહી છે.

06

CBI ની તપાસમાં શિવરાજ મોટેગાંવકરના મોબાઈલ ફોનમાંથી NEET UG 2026 લખેલા પ્રશ્નપત્રો અને આન્સર શીટ્સ (ઉત્તરો) મળી આવ્યા છે. એજન્સીને શંકા છે કે 3 મે ના રોજ યોજાયેલી પરીક્ષાના આશરે 10 દિવસ પહેલા, એટલે કે 23 એપ્રિલ જેટલા વહેલા આ પ્રશ્નો અને જવાબો તેમની પાસે ઉપલબ્ધ થઈ ગયા હતા.

આરોપ છે કે મોટેગાંવકરે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને આ લીક થયેલા પ્રશ્નપત્રો અને આન્સર શીટ્સની નકલો આ નેટવર્ક સાથે જોડાયેલા અનેક લોકોને વહેંચી હતી. CBI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું તેઓ અધિકારીઓ દ્વારા વર્ણવવામાં આવેલી આંતર-રાજ્ય પેપર લીક કરનારી કોઈ સંગઠિત ગેંગ (સિન્ડિકેટ) નો ભાગ હતા કે નહીં.

મહારાષ્ટ્રના કોચિંગ જગત માટે આ ઘટના એક મોટો આંચકો છે, કારણ કે મોટેગાંવકરની સફરને અત્યાર સુધી નાના શહેરની એક આદર્શ સફળતાની વાર્તા (Success Story) તરીકે જોવામાં આવતી હતી.   લાતુરના એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મોટેગાંવકરે વિજ્ઞાન (Science) ના વિદ્યાર્થીઓને પ્રાઈવેટ ટ્યુશન આપીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક સમયે તે ભણાવવા માટે આખા શહેરમાં સાયકલ પર ફરતો હતો.  વર્ષ 1999ની આસપાસ, તેણે માત્ર 10 વિદ્યાર્થીઓ સાથે એક ભાડાના રૂમમાંથી RCC ક્લાસીસ શરૂ કર્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ યાદ કરે છે કે તે પોતે કેમિસ્ટ્રી ભણાવતો, હાથથી લખેલી નોટ્સ આપતો અને ધોરણ 11, 12 અને એન્ટ્રન્સ એક્ઝામના વિદ્યાર્થીઓ માટે નાની બેચ ચલાવતો હતો.

આગામી બે દાયકામાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ માટે પ્રખ્યાત બનેલી લાતુર પેટર્ન ની લોકપ્રિયતા સાથે RCC નો પણ ઝડપથી વિસ્તાર થયો. આજે RCC લાતુર ઉપરાંત પુણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ), નાંદેડ, સોલાપુર અને કોલ્હાપુર જેવા મહારાષ્ટ્રના અનેક શહેરોમાં કાર્યરત છે. સ્થાનિક કોચિંગ ઉદ્યોગના અંદાજ મુજબ, દર વર્ષે આશરે 40,000 વિદ્યાર્થીઓ RCC સેન્ટર્સમાં એડમિશન લે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 100 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

સંસ્થાની વેબસાઈટ પર મોટેગાંવકરને કેમિસ્ટ્રીમાં M.Sc. ગોલ્ડ મેડલિસ્ટ અને એક દૂરદર્શી શિક્ષણશાસ્ત્રી તરીકે દર્શાવવામાં આવ્યો છે. RCC એ કેમિસ્ટ્રીની સરળ નોટ્સ, સ્ટેટ-લેવલ ટેસ્ટ સિરીઝ, મેન્ટરશિપ પ્રોગ્રામ્સ અને એપ-બેઝ્ડ લર્નિંગ પ્લેટફોર્મ્સ દ્વારા NEET, JEE અને CET ના વિદ્યાર્થીઓમાં મોટી નામના મેળવી હતી.

08

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટેગાંવકરને એવ શિક્ષક તરીકે ઓળખાવે છે જે ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેમિસ્ટ્રી વિષયને એકદમ સરળ બનાવી દેતો હતો. સ્થાનિક લોકોના મતે, ઓછી ફી અને કન્સેપ્ટ-આધારિત શિક્ષણ પદ્ધતિને કારણે મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓમાં RCC લોકપ્રિય બન્યું હતું. આ જ કારણે, પરીક્ષાની તૈયારીના ગઢ ગણાતા લાતુરમાં આ ધરપકડથી ભારે ચર્ચા જાગી છે.

તપાસકર્તાઓ મોટેગાંવકર અને નિવૃત્ત કેમિસ્ટ્રી પ્રોફેસર પી.વી. કુલકર્ણી વચ્ચેના કથિત સંબંધોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. કુલકર્ણીની આ કેસમાં પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલકર્ણી અગાઉ RCC ક્લાસીસમાં ભણાવતો હતો. CBI ને શંકા છે કે પરીક્ષા સંબંધિત કેમિસ્ટ્રીના પ્રશ્નો લીક કરવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. એજન્સી હવે એ શોધી રહી છે કે શું આ કથિત પેપર લીક ઓપરેશનના કોઈ પણ સ્ટેજ પર RCC ના નેટવર્ક, ફેકલ્ટી કનેક્શન અથવા સંસ્થાની આંતરિક સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો કે નહીં.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.