સોરી પપ્પા, હવે કશું બચ્યું નથી, જઇ રહ્યો છું, પરીક્ષા રદ્દે યુવાનનો ભોગ લીધો

રાજસ્થાનના હનુમાનગઢમાં એક યુવાને જંતુનાશક દવા પીને આપઘાત કરી દેવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.  છોકરો 6 દિવસથી ગુમ હતો, પરિવારે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કમનસીબે સિંચાઇ વિભાગના ખાલી પડેલા એક મકાનમાંથી તેનો મૃતદે મળ્યો છે અને તેની પાસે જંતુનાશક દવાની ખાલી બોટલ પણ મળી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ર્સ્પધાત્મક પરિક્ષા પાસ કરવા છતા યુવાનને સરકાર નોકરી નહોતી મળતી એટલે ડિપ્રેશમાં  હતો. એવામાં તેણે આ આત્યંતિક પગલું ભર્યું છે. યુવાને પોતાના પિતાને સંબોધન કરીને સ્યુસાઇડ નોટ પણ લખી છે.

રાજસ્થાનના હનુમાનગઢીમાં કન્હૈયાલાલ નામના યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. પોલીસે કહ્યું હતું કે, કન્હૈયાલાલે Rajasthan Eligibility Examination for Teacher (REET) પરીક્ષા પાસ કરવા છતા તેને સરકારી નોકરી મળી નહોતી રહી. જેને કારણે ડિપ્રેશનમાં આવીને તેણે જતુંનાશક દવા પીને જીવન ટુંકાવી દીધું છે.

પોલીસને મળેલી સ્યુસાઇડ નોટમાં કન્હૈયાલાલે લખ્યું છે કે Sorry પપ્પા, હવે મારી પાસે કશું બચ્યું નથી, હું જઇ રહ્યો છું. તમે તમારું અને બધાનું ધ્યાન રાખજો. અનિલ અને સુનિલ બંને ભાઇઓ સારા છે, તમે લોકોએ મારા માટે ઘણું કર્યું છે, પરંતુ હું કશું કરી શક્યો નથી. યુવાન કન્હૈયાલાલે Sorry લવ સપના એવું પણ લખ્યું છે.

જાણવા મળેલી માહિતી મુજબ કન્હૈયાલે એક વખત  REETની પરીક્ષા આપી હતી, જેમાં તેનો 135મો નંબર આવ્યો હતો. તેને વિશ્વાસ હતો કે આ વખતે તો તેને સરકારી નોકરી મળી જ જશે. પરંતુ એ પરીક્ષા રદ થઇ ગઇ. એ પછી કન્હૈયાલાલે વનપાલની પરીક્ષા આપી હતી તો એ પરીક્ષા પણ રદ થઇ ગઇ હતી. ફરી એક વખત કન્હૈયાલાલ REETની પરીક્ષાની તૈયારી કરતો હતો, પરંતુ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.

જેના કારણે તેણે આ પગલું ભરીને જંતુનાશક દવા પીને જીવનનો અંત આણ્યો હતો. 24 ડિસેમ્બરે સિનિયર શિક્ષકની ભરતીમાં GKનું પેપર હતું, પરીક્ષા પહેલા જ કન્હૈયાલાલે આત્મહત્યા કરી લીધી હતી.આ પેપર પણ લીક થયું હતું.કનૈયા લાલનો મોટો ભાઈ ધરમપાલ સરકારી શિક્ષક છે.પોલીસે કહ્યું હતું કે કન્હૈયાલાલના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા.

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.