2026થી વર્ષમાં 2 વખત થશે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, ડ્રાફ્ટને મળી મંજૂરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ આગામી વર્ષ 2026થી વર્ષમાં 2 વખત ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમોના ડ્રાફ્ટને CBSE મંજૂરી આપી દીધી છે. CBSE ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવશે, જ્યારે બીજું ચરણ મે 2026માં આયોજિત કરવામાં આવશે.

 CBSEએ પોતાની પરીક્ષા પ્રણાલીમાં મોટા બદલાવની જાહેરાત કરી છે. આ હેઠળ વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. CBSE 2026-27ના સત્ર માટે 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક પાઠ્યક્રમ પણ તૈયાર કરશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી.

CBSC1

પરીક્ષાનો પહેલું-બીજું ચરણ ક્યારે થશે?

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે CBSE બોર્ડ 10માની પરીક્ષાનું પહેલું ચરણ 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી આયોજિત કરવામાં આવશે અને બીજું ચરણ 5-20 મે દરમિયાન આયોજિત કરવામાં આવશે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે બંને પરીક્ષાઓ સિલેબસ મુજબ આયોજિત કરવામાં આવશે અને ઉમેદવારોને બંને ચરણમાં સમાન પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. અરજી દાખલ કરવાના સમયે બંને પરીક્ષાઓની પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓ પહેલું અને બીજું ચરણ સપ્લીમેન્ટ્રી પરીક્ષાના રૂપમાં પણ કામ કરશે અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વિશેષ પરીક્ષા આયોજિત કરવામાં નહીં આવે. નવી પ્રણાલી હેઠળ, વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપવા અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર જાળવી રાખવાનો વિકલ્પ હશે.

CBSEના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ ઓછું કરવાનું છે અને વિદ્યાર્થીઓને પોતાના પ્રદર્શનને પ્રદર્શન સુધારવાની તક આપશે. તેનું ઉદ્દેશ્ય પરીક્ષા સાથે સંબંધિત તણાવ ઓછો કરવાનો છે, સાથે જ વધુ સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રણાલી સુનિશ્ચિત કરવાનો છે. તેમાં, રટણ કરવાની જગ્યાએ સમજણ અને કૌશલ્ય આધારિત મૂલ્યાંકન પર ભાર આપવાનો છે.

નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)માં ભલામણ કરવામાં આવી હતી કે છે કે જોખમને ખતમ કરવા માટે બધા વિદ્યાર્થીઓને મહત્તમ 2 અવસર પર પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.