2026થી વર્ષમાં 2 વખત થશે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા, ડ્રાફ્ટને મળી મંજૂરી

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ આગામી વર્ષ 2026થી વર્ષમાં 2 વખત ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમોના ડ્રાફ્ટને CBSE મંજૂરી આપી દીધી છે. CBSE ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પહેલું ચરણ ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવશે, જ્યારે બીજું ચરણ મે 2026માં આયોજિત કરવામાં આવશે.

 CBSEએ પોતાની પરીક્ષા પ્રણાલીમાં મોટા બદલાવની જાહેરાત કરી છે. આ હેઠળ વર્ષ 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. CBSE 2026-27ના સત્ર માટે 260 વિદેશી શાળાઓ માટે વૈશ્વિક પાઠ્યક્રમ પણ તૈયાર કરશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી.

CBSC1

પરીક્ષાનો પહેલું-બીજું ચરણ ક્યારે થશે?

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે CBSE બોર્ડ 10માની પરીક્ષાનું પહેલું ચરણ 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી આયોજિત કરવામાં આવશે અને બીજું ચરણ 5-20 મે દરમિયાન આયોજિત કરવામાં આવશે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે બંને પરીક્ષાઓ સિલેબસ મુજબ આયોજિત કરવામાં આવશે અને ઉમેદવારોને બંને ચરણમાં સમાન પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. અરજી દાખલ કરવાના સમયે બંને પરીક્ષાઓની પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓ પહેલું અને બીજું ચરણ સપ્લીમેન્ટ્રી પરીક્ષાના રૂપમાં પણ કામ કરશે અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વિશેષ પરીક્ષા આયોજિત કરવામાં નહીં આવે. નવી પ્રણાલી હેઠળ, વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા આપવા અને તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર જાળવી રાખવાનો વિકલ્પ હશે.

CBSEના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ ઓછું કરવાનું છે અને વિદ્યાર્થીઓને પોતાના પ્રદર્શનને પ્રદર્શન સુધારવાની તક આપશે. તેનું ઉદ્દેશ્ય પરીક્ષા સાથે સંબંધિત તણાવ ઓછો કરવાનો છે, સાથે જ વધુ સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રણાલી સુનિશ્ચિત કરવાનો છે. તેમાં, રટણ કરવાની જગ્યાએ સમજણ અને કૌશલ્ય આધારિત મૂલ્યાંકન પર ભાર આપવાનો છે.

નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)માં ભલામણ કરવામાં આવી હતી કે છે કે જોખમને ખતમ કરવા માટે બધા વિદ્યાર્થીઓને મહત્તમ 2 અવસર પર પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવશે.

Related Posts

Top News

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.