દિલ્હીમાં ટીચરની વિદ્યાર્થીને સાંપ્રદાયિક ટિપ્પણી- પાકિસ્તાન કેમ ન ગયા? પછી...

દિલ્હીમાં એક સ્કૂલના ચાર વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના ટીચરે સાંપ્રદાયિક ટિપ્પણી કરી અને તેમને પૂછ્યું કે વિભાજન દરમિયાન તેમનો પરિવાર પાકિસ્તાન શા માટે ન ગયા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો કિસ્સો પહેલાથી જ વિવાદમાં ચાલી રહ્યો છે. વીડિયોમાં એક સ્કૂલ ટીચર મુસ્લિમ વિદ્યાર્થી પર તેના અન્ય ક્લાસમેટ પાસેથી તમાચા મરાવતી જોવા મળે છે. સાથે જ તે મહિલા તૃપ્તા ત્યાગી સાંપ્રદાયિક ટિપ્પણી પણ કરે છે.

દિલ્હી પોલીસે કહ્યું- તપાસ કરી રહ્યા છે

દિલ્હી પોલીસે ધોરણ 9ના વિદ્યાર્થીઓના પરિવારોની ફરિયાદ પછી ગાંધી નગરમાં સરકારી સર્વોદય બાલ વિદ્યાલયની ટીચર હેમા ગુલાટી સામે કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે, તેઓ આરોપોની તપાસ કરી રહ્યા છે. સાથે એવું પણ કહ્યું કે, વિભાજન દરમિયાન તમે પાકિસ્તાન શા માટે ન ગયા, તમે ભારત કેમ રહી ગયા. ભારતની આઝાદીમાં તમારો કોઇ ફાળો નથી. ફરિયાદની એક કોપીથી જાણ થઇ કે આ FIR શુક્રવારે સાંજે દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના પરિવારોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીઓથી સ્કૂલમાં વિવાદ થઇ શકે છે અને તેમણે ટીચરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

ટીચરને સજા મળે

એક મહિલા જેના બે બાળકો સ્કૂલમાં ભણે છે, તેણે ANIને જણાવ્યું કે, જો આ શિક્ષિકાને સજા મળી નહીં તો આ પ્રકારની હરકત કરવા માટે અન્યોની પણ હિંમત વધશે. તેમને કહેવામાં આવે કે તેઓ માત્ર ભણાવવાનું કામ કરે અને એવા મામલાઓ પર ન બોલે જેમના વિશે તેમને કોઇ જાણકારી જ નથી. આવા ટીચરો વિદ્યાર્થીઓની વચ્ચે મતભેદ પેદા કરે છે. અમારી માગ છે કે તે ટીચરને સસ્પેન્ડ કરી દેવામાં આવે. તેને અન્ય કોઇ સ્કૂલમાં નોકરી ન મળવી જોઇએ.

સ્થાનીય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી નેતા અનિલ કુમાર વાજપેયીએ શિક્ષિકાને આડે હાથે લીધી છે. ધારાસભ્યએ કહ્યું કે, આ એકદમ જ ખોટું છે. એક શિક્ષકની જવાબદારી છે બાળકોને સારી શિક્ષા આપવી. શિક્ષકે કોઇપણ રીતની ધાર્મિક કે પવિત્ર સ્થાનના વિરોધમાં અપમાનજનક ટિપ્પણી કરવી જોઇએ નહીં. આવા લોકોની ધરપકડ કરવી જોઇએ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.